આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

This is the flower of a Chinese White chilli plant


આપણને ખબર છે ખુબ વરસાદથી જ્યાં પાણી ભરાય રહેતું હોય તેવી જમીનમાં કપાસ હોઈ કે મરચી કે પછી મગફળી કોઈ પણ પાક નબળો પડી જાય , કેમ ? ચાલો વિજ્ઞાન ને સમજીયે

જમીન માંથી જમીનનો ઓક્સિજન બહાર નીકળી ગયો, નીચેના મુળિયા સતત પાણીમાં રહેવાથી કામ કરતા બંધ થયા, ઉપરના મુળિયાને થોડી થોડી ભેજ અને હવા મળતી હતી તેથી ઉપર ઉપર ના તંતુ મૂળ વધ્યા , જોજો આવા મૂળ તમને જમીન ની ઉપર ની સપાટી પર પણ દેખાશે, સમજાયું તમને

યાદ રાખજો , આવા તંતુ મૂળ ને લીધે છોડ ટકી રહ્યો હતો તડકો પડ્યો એટલે ઉપરની જમીન સુકી થઇ ત્યાંથી મૂળને જે પોષણ મળતું હતું તે બંધ થયું,

શું થશે ?

ઉપરના તંતુ મૂળ થી છોડ જીવતો હતો ત્યાં ભેજ ચાલ્યો ગયો અને પણ નીચે તો ભેજ બહુ છે તેથી ત્યાંથી તો મરચી ના મૂળ ખોરાક લઇ સકતા નથી, નીચેના મૂળ તો કામ કરતા નથી કારણ કે ઊંડો ભેજ પુષ્કળ છે,

ઉપરના મૂળને જરૂરીયાત મુજબનો ભેજ આપો , આવું ફક્ત ડ્રિપ વાળા ખેડૂત કરી શકે .જે ખુલ્લા પાણીથી શક્ય નથી. આને ટેકનીકલ ઈરીગેશન કહે છે. અડધો કલાક ડ્રીપ થી પાણી આપો. પાલર પાણી ઉતારતા નહિ નહીંતર શું થશે ખબર છે ?

આજે સમજાય છે ટપક ની કિંમત ,

છોડને બચાવી રાખો જો મોટું પિયત આપશો કે વધુ વરસાદ પડશે  તો ફાયટોપ્થોરા લાગી જશે.


સોસીઅલ મીડિયા પાર વગર ના ગ્રુપ છે, આપણા ગ્રુપ ની વૈજ્ઞાનિક માહિતી તમને ગમતી હોઈ તો બીજા નું પણ ભલું થાય તેવું કરજો , સારું મળે તેને એકલું નહિ ખાતા , જીતો ને જિતાડો -

બીજા ની ખેતી પણ સારી ખેતી થશે તો તમને ભાવ નહિ મળે તે વાત ને મન માંથી કાઢી નાખજો

ક્વોલિટી બનાવો

🌿



આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 






Green Nature Leaves Wet Plants Water wallpaper | 1920x1200 ...


 પહેલા એ નોંધો કે સતત વરસાદ થી જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા બને છે. 

સતત વરસાદ પડતો હોય , વાતાવરણમાં 90 નો ભેજ હોય , સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, આવા વખતે જો જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તેવી શક્યતા હોય તો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.

વરસાદનું પાણી ૧૪ કલાક પાંદડાં કે ફળ ઉપર વધુ રહેશે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા વધી જશે. એટલે શું ન કરવું એ પણ યાદ રાખો અને નિયમ આધારિત ખેતી કરો , નામનેઠા વગર ની દવાને પણ ખેતર માં લાવતા નહિ , સમય પ્રમાણે કાર્ય પદ્ઘતિ ગોઠવજો , ઉપર બતાવ્યું તેવું નો કરવાનું કરતા નહિ

400 x 90

ચાલો જીતો ને જિતાડીએ , 

આ      માસ્ટર - કી      બીજા ને પણ આપજો

આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની માસ્ટર- કી જો કોઈ હોઈ તો તે છે આ ચાર પ્રશ્નના જવાબ મેળવવા

ખેતી ની કોઈ સમશ્યા હોઈ કે ખેતીની અગવડતા કે મુશ્કેલી હોય ,

આ બધા માટે ઉપર આપેલા ચાર પ્રશ્નો નો જવાબ શોધી કાઢો
એટલે દરેક સમશ્યામાં આ માસ્ટર- કી લાગે છે ,

દા .ત. મરચી માં રોગ આવ્યો છે , મરચી પીળી થઇ ગઈ છે , મરચીના પાનમાં દવા છાંટ્યા પછી કુક્ડાય ગયા હોઈ , મરચી ને પાણી લાગી ગયું હોઈ કે પછી મરચીમાં પાનના ટપકા નો રોગ લાગ્યો હોય ,

દરેક સમશ્યા માટે ઉપરના ચાર પ્રશ્નો પૂછો અને જવાબ શોધો

દા. ત. મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે

પ્રશ્ન શું છે ? મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે , પાન ઉપર અનિયમિત આકારના ટપકાં છે, પાન તોડીને નિષ્ણાંતને દેખાડવું જોઈએ અથવા સારા અને અનુભવી વેપારીને આ પાન બતાવવું જોઈએ તોજ કારણ શું છે ? જવાબ મળે

આપણને વૈજ્ઞાનિક જવાબ જોઈએ ,
એમનામ કઈ પણ દવા છાંટો એવું નહિ ,
કારણ વૈજ્ઞાનિક સુજ વગર ખોટું નિદાન હોઈ તો ફેરો મોંઘો પડે કારણકે
એક દવા નો ડોઝ ખોટો ....મતલબ આવક માં ઘટાડો

જો સાચું કારણ મળી જાય તો આપોઆપ
ઉપાય શું છે ? નો જવાબ મળી જાય કે વરસાદના પાણી થી સતત પાન ભીના રહેવાથી અને વાતાવરણ કે હવામાનના બેક્ટેરિયાથી બેક્ટેરિયલ સ્પોટ છે , સર્કોસ્પોરા નથી તો કોપર સાથે સ્ટ્રેપટો છાંટો તેવો જવાબ મળે

છેલ્લું હું શું કરી શકું ?
હું કઈ કરું નહિ અથવા નિર્ણય મોડો લઉં ,
કે ભાગીયાના ભરોસે રહું તો
સાચી દવા પણ ઘણી વાર મોડી કે અવ્યવસ્થિત છાંટવાથી આપણું કામ સરે નહિ અને
એક રોગ મોડો કંટ્રોલ માં આવે એટલે પાક ઉત્પાદન માં નુકશાની આપી ને જાય

માસ્ટર- કી નો ઉપયોગ વારંવાર ખેતી માં કે સાંસારિક જીવનમાં કરતા રહેજો
અને હા,
હું શું કરી શકું ? નો જવાબ મળ્યો એટલે તમે સફળ



આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 











Bacterial Spot of Pepper | Pests & Diseases


મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે
બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન ખરી પડશે,

ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? કેટલા દિવસ મોડા પડ્યા ? વિચારજો

400 x 90


મરચીના પાક માં વિવિધ પોષક તત્વો અને સુક્ષ્મતત્વોની જરૂર પડે છે

  • જે તત્વ સરળ રીતે પાન-છોડમાં ફરે છે તેવા તત્વો નાઇટ્રોજન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસની ઉણપના લક્ષણો જુના પાનમાં એટલે કે છોડના નીચેના પાનમાં જોવા મળે છે. દા.ત. નાઇટ્રોજનની ખામી સૌપ્રથમ નીચેના પાનમાં પીળાશ પડતાં થવાથી જાણી શકાય છે. જે ધીરે-ધીરે ઉપરની તરફ વધતું જાય છે. ફોસ્ફરસ મુખ્ય તત્વની ખામી પણ નીચેના પાનમાં ખૂબ ઘાટા લીલા પાન થઈ જવા. ઘણી વખત જાંબુડિયા પાન થઈ જવા સુધી જોઈ શકાય છે.

  • મેગ્નેશિયમની ખામી મરચીમાં ખાસ જોવા મળે છે. જુના નીચેના પાનમાં પીળાશ પડે છે, પાન અંદર તરફ વળે છે પણ તેની નસો લીલી જ રહે છે તો સમજવું કે મેગ્નેશિયમની ખામી છે

  • જે તત્વ મીડીયમ રીતે છોડમાં પ્રસરે છે તેવા તત્વો જેવા કે પોટેશિયમ, સલ્ફર, ઝિંક, કોપર અને મેગેનીઝ છે. દરેકની ઉણપથી શું વચ્ચેના પાનમાં શું થાય તે ટૂંકમાં નોંધો.
  • પોટેશિયમની ખામી થી પાનની કિન્નરી પીળી પડે, ઘણી વખત ટાંચણીથી કાણા પાડયા હોય તેવા પણ થઈ જાય. મેગેનીઝની ઉણપ તો વળી સાવ નોખો દેખાવ આપે. મીડીયમ વચ્ચેના પાનમાં પીળાશ પડે પરંતુ છરકા છરકા થઈને લાંબા ખાંચા પડે.
  • સૌથી ઉપરના પાનમાં આયર્ન, કેલ્શિયમ અને બોરોનની ખામી હોય તો તેમાં કેલ્શિયમની વાત લઈને  પ્રશ્ન પૂર્ણ કરીએ. કેલ્શિયમની ખામી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે કેલ્શિયમની ખામીથી ઘણીવાર બ્લોસમ રોટ- ઉભા પાકમાં મરચાનો નીચેનો છેડો પીળો પડી સડી જાય છે  તે રોગને બ્લોસમ રોટ કહે છે .
400 x 90


મરચીની ખેતીમાં જેટલું ઉત્પાદન લેવું છે તે પ્રમાણે પોષણ આપવાનું હોય છે. શુક્ષ્મ તત્વોની આવશ્યકતા પણ જમીનના પૃથ્થકરણ રીપોર્ટ પ્રમાણે વત્તે ઓછે પ્રમાણમાં રહે છે.પરંતુ મેગ્નેશિયમની આવશ્યકતા મરચામાં ખાસ રહે છે તેથી તેની પૂર્તિ કરવી ખાસ જરૂરી છે.

હા, મેગ્નેશિયમનો છંટકાવ ક્યારે ન કરવો ? તે ખાસ નોંધશો. જ્યારે વરસાદ જેવું વાતાવરણ છે, સતત વરસાદ પડે છે, બેક્ટેરિયલ સ્પોટ રોગ આવવાની શક્યતા હોય , ત્યારે મેગ્નેશિયમ છાંટવું નહીં તે છાંટવાથી બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકા વધી જાય છે ,









Widespread crop damage from dicamba herbicide fuels controversy

મરચી ના પાંદડા પર આપણે કેમિકલ ઇન્જુરી ખોટી દવા કે દવાના મિશ્રણ નું નુકશાન ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ

આપણે કેવા ખબર છે ? આપણે અભ્યાશ બહુ ઓછો કરીયે અને ડાયરી પણ રાખીયે નહિ

આપણે બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટીએ
અથવા
ઘણી વાર પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બે કે ચાર દવા ને મિક્સ કરી ને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી

આવું થાય ત્યારે કેટલું નુકશાન જાય તેની આપણને જરાય ખબર નથી બોલો,

છોડ આ આઘાત કે નુકસાની માંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ

મરચી માં ટબુકોનાઝોલ અને મેટાલેકઝીલ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો


ટેબુકોનાઝોલ સાથે કોપર હાઇડ્રોક્સાઇડ કે કોપર ઓક્સીકલોરાઇડ ભળતું નથી

મેટાલેકઝીલ સાથે કોપર કે માઇક્રોનાઇઝડ સલ્ફર કે લૂફેનયુરોન કે થાયોડિકાર્બ ભેળવવું નહિ


દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?

કારણ મરચી તો તમારી છે ને તેમાંથી તમારે આવક મેળવવા ની છે તો પછી કાળજી તમારી હોવી જોઈએ ને દવાના વેપારી ની ?

વિચારજો , વાંચતા રહો ખેતર ની વાત ચેનલ




-- --


Book your Advt Here
400 x 90







બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે બેક્ટેરિયા થી થતો સુકારો


મરચીનો આ સુકારો બેક્ટેરિયાથી થાય છે. ફૂગથી થતો સુકારો અને બેક્ટેરિયાથી થતો સુકારો અલગ અલગ હોય છે.

બેક્ટેરીયલ વિલ્ટનો સુકારો નીચેના પાન પીળા પડવાનું શરુ થાય છે અને એકા એક કાયમી માટે આખો છોડ સુકાય જાય છે. આખો છોડ પીળો પણ નથી પડ્યો હોતો ને લીલેલીલો છોડ સુકાય જાય છે. મૂળિયું ચીરતા તેના થડમાં ભૂખરા કલરનો ભાગ જોવા મળે છે એટલે કે અચાનક તેના મૂળ પાણી ખેંચવાનું બંધ કરી દે છે. આ જમીનજન્ય બેક્ટેરિયા થી થતો સુકારો છે.

જુના મૂળ અને થડમાં લાંબા સમય સુધી આ રોગ સચવાઈ રહે છે તેથી મરચીવાળા ખેતરમાં મરચી વાવવી નહિ. આ રોગ આવવાનુ કારણ ખેતી કરતી વખતે કે નીમેટોડ ડંખ થી કે જમીનજન્ય જીવાતના મૂળમાં પડતા ઘાવને લીધે ત્યાંથી આ રોગ દાખલ થાય છે.

ખુબ ઊંચું તાપમાન અને વધુ પડતો ભેજ આ રોગના ફેલાવા માટે જવાબદાર છે, પાણી દ્વારા પણ આ બેક્ટેરિયા બીજા છોડમાં સુધી ફેલાઈ શકે છે. પ્રથમ ચિહ્ન દેખાય ત્યારે તુરત જ મૂળ પાસે બેક્ટેરીસાઈડ જેવી કે એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાય્ક્લીન) ૧૨ ગ્રામ/ પંપ અથવા કોપર + ફોઝેટાઈલ ૩૦ ગ્રામ/ પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ડ્રેન્ચિંગ કરવું.

400 x 90

આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા ૧ નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે  ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા  કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....




-- --









મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર  અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે ગયા વર્ષે મરચીની ખેતી માં ચુરડા-મુરડા બહુ આવ્યો અને બ્લેક થ્રિપ્સ નું નિયંત્રણ થયું નહિ એટલે  અમારું ઉત્પાદન ૫૦ ટકા થઇ ગયું. આ ચુરડા મુરડા કયો  રોગ છે? સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમનામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે  આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. પરપ્રાંતમાં ઓછું ઉત્પાદન આપણને ગયા વર્ષે વધુ ભાવ અપાવી ગયું પણ આ વર્ષે આપણામાં કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર મોટા પાયે થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે










Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • વરસાદ પછી મરચી માં શું કરવું ? કઈ ચાર વાત ખાસ કરવી ?
  • મરચી મૂળ અને થડ પાસે ગળું પડે છે શું કારણ હશે ?
  • આજનો પ્રશ્ન : મરચી માં વાવેતર પછી 15 દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?
  • મરચીનો ડમ્પિંગ ઓફ - રોપનો સુકારો ઉગસુક
  • જીવાત કરતા રોગ કઈ રીતે વધુ નુકસાનકારક ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • ટેકો આપવો - ફાલ ખરણ - ફૂલો લાવવા -બ્લોસમ રોટ
  • મરચીની ખેતીમાં વાતાવરણીય અસર
  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
  • વરસાદ પછીની માવજત - ૧૭- મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates