આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા
Field Resistance of Chilli Cultivars Against Anthracnose Disease ...

આ રોગનું નામ છે એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ.

આ રોગ આવી ગયો હોય છે લીલા મરચા હોય ત્યારે પરંતુ તેના લક્ષણ દેખાય છે મરચા જયારે પાકે ત્યારે
અથવા આ રોગના લક્ષણો દેખાય છે જ્યારે લાલ મરચાં થાય ત્યારે .


યાદ રાખી લેજો કે ૧૨ કલાક તમારા છોડ અને લીલા મરચાં વરસાદ થી સતત ભીના રહે અથવા ઝાકળ થી ભીના રહ્યા હોય તો દવા વરસાદ પછી છાંટવાની હોય છે , શિયાળામાં ઝાકળ આવે ત્યારે આ વાત યાદ રાખજો

જેટલીવાર ૧૨ કલાક છોડ સિઝનમાં ભીના રહે તેટલીવાર સામાન્ય ફુગનાશક છાંટો તો મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝમાંથી બચી શકાય.આવી ગયા પછી પિયત સાધારણ આપો ડ્રિપ થી આપો , વધુ પડતો ભેજ કે ભેજવાળું ગરમ હવામાન કે માવઠું માર્ચિને નુકશાન કરી શકે

કવચ (ક્લોરોથેનોલીન) ૪૫ ગ્રામ/પંપ અથવા

કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ /પંપ અથવા

એમીસ્ટાર (એઝોકસીસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા

એન્ટ્રાકોલ (પ્રોપીનેબ)૪૫ ગ્રામ /પંપ અથવા

ટેબુકોનાઝોલ 25 મિલી પ્રતિ પમ્પ

વારાફરતી ટેક્નિકલ બદલતા રહો



New chilli pathogens discovered in Australia


લાલ મરચાની ખેતી કરનારને એટલે કે સૂકા મરચા ની ખેતી કરતા ખેડૂતો ને મહાપજવનારો આ રોગ ને
એન્થ્રેકનોઝ કહેવાય છે. આ રોગ કોલેટોટ્રીટમ પ્રજાતિના રોગકારકને લીધે થાય છે.


રોગ વહેલો લાગે છે એટલે કે કે મરચી માં ફળ લાગેલા હોઈ ત્યારે વધુ વરસાદ વખતે જો મરચી નો છોડ કે મરચા સતત વરસાદ ના પાણી કે ઝાકળને લીધે ભીનાને ભીના રહ્યા હોય તે છોડ અને તે મરચામાં અન્થ્રેકનોઝ ત્યારે લાગી ગયો હોય છે, સમય જતા પાછળ થી મરચાના ફળમાં પાણી પોચા ડાઘ ગોળાકારમાં પડે છે ફળ પાકે ત્યારે આપણને ખબર પડે છે.

રીંગ આકારે ફળમાં ૩ થી ૪ સેમી સુધી ગોળ ગોળ ડાઘ થતા ફળ નકામાં બને છે. મરચા સુકાય જાય તોય ડાઘવાળા રહે છે તેથી આવું મરચું ફોરવર્ડના નીચા ભાવે વેચાય છે ,

આ રોગ થી ઘણું આર્થિક નુકશાન ખેડૂતો ને જાય છે,

આ રોગને ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. ૨૦ થી ૨૮o તાપમાન અને ભેજવાળું વાતાવરણમાં આ રોગ લાગે છે. થડ ઉપર પણ આ રોગના ડાઘ પડે છે






-- --











એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ

એન્થ્રેક્નોઝ એ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વાલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે.
આ રોગ કોલેટોટ્રીકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન , ફળ અને ડાળીમાં જોવા મળે છે.
ફુગના ચેપનું ટપકું વધીને સમય જતા સર્કલ આકારે મોટું ધાબુ બને છે. આ રોગ પાણી અને હવાથી ફેલાય છે. આની શરૂઆત જમીનમાં પડેલા રોગકારક થી થાય છે.

રોગકારક લાગે છે ક્યારે ? અને દેખાય છે ક્યારે ?


પહેલા ચિત્રમાં તમને દેખાય છે તે લાલ મરચા ઉપર પડેલા ગોળાકાર રીંગ ડાઘ અન્થ્રેકનોઝ રોગનો છે.
બીજા ચિત્રમાં એન્થ્રેકનોઝ નું જીવન ચક્ર જુવો, રોગકારકના સ્પોર જમીન ઉપર પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા તે પાન કે ડાળી ઉપર કે પછી મરચા ઉપર લાગશે ,રોગકારક છોડ પર લાગે પછી થોડા દિવસો પછી ડાઘ પડે છે , ડાઘ પડ્યો તે દેખાય ત્યાં સુધીમાં બહુ વાર થઇ જાય છે અને પાકને નુકશાન થઇ જાય છે . ફળ ઉપર ટપકા પડે છે તે જતે દહાડે ગોળાકાર રીંગનો ડાઘ પાડે છે. જો બગડેલા ફળોને વીણીને નાશ કરી દેવામાં આવે તો તેનો ફેલાવો ઓછો કરી શકાય છે.

એન્થ્રેક્નોઝનો ચેપ ક્યારે લાગે ?
જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે તેવા સતત વરસાદી વાતાવરણમાં મરચીના ઉભા પાકમાં આ રોગ લાગે છે . ટૂંકમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. રોગના લક્ષણો મોડા દેખાય છે ઘણી વખત તમને મરચું લાલ થાય ત્યારે દેખાય છે. એટલે કે આપણે નિયંત્રણ માટે ખુબ મોડા પડીયે છીએ


પાણી પહેલા પાળ બાંધવા શું કરવું ?

યાદ રાખો હવે જો સતત વરસાદી વાતાવરણ રહ્યું હોય અને જો 12 થી 14 કલાક છોડ વરસાદથી કે ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે સામાન્ય ફુગનાશક છાંટી દયો તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય. વરસાદ પૂરો થયો અને ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક મરચીના પાન ભીના રહ્યા તો ફરી ફુગનાશક છાંટો 11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન રાખો તો મરચીમાં આ રોગ લાગવાની શક્યતા ઘટી જાય નહીંતર મોંઘામા મોંઘી દવાના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો રોજ ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા 12 કલાકથી વધારે સતત ભીના રહ્યા તો છાંટો . મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..


બઝારમાં મળતી નવી દવાઓ :

નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ અથવા

ડાયફેનકાઝોલ + એઝોસ્ટ્રોબીન 20 પ્રતિ પંપ અથવા 

થાયો ફેનેટ મિથાઇલ 25 ગ્રામ પ્રતિ પમ્પ









Understanding Leaf Spots In Peppers - Seminis











ફૂગ અને બેક્ટેરિયા બંને જુદા છે બેક્ટેરિયાને જીવાણું પણ કહેવાય.બેક્ટેરિયાને મારવા બેક્ટેરિસાઇડ અને ફુગને મારવા ફંજીસાઈડ જોઈએ .

ફૂગ કરતા બેક્ટેરિયા નાનું હોય છે જ્યાં સતત ભેજ રહે ત્યાં બેક્ટેરિયા લાગે.

દા.ત. 12 કલાક સતત મરચીના પાન કે મરચા વરસાદ કે ઝાકળના લીધે ભીનાને ભીના રહ્યા તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો ચેપ મરચીને લાગશે. જે મરચીમાં પાનના ટપકાનો રોગ લાવશે. ચેપ લાગ્યા પછી પાનના ટપકાનો રોગ માટે સમયસર પગલાં લેવા ખુબ અગત્યના છે પણ આપણે મરચીના પાનને ચેપ લાગ્યા પછી જયારે પાન 15 દિવસ પછી આપમેળે ખરે પાટલામાં પાંદડા ખરેલા જોઈએ ત્યારે દવા છાંટવા દોડીએ.ક્યારે દવા ની જરૂર હતી ? વિચારો .

ફુગને સમજવા એક દાખલો લઈએ આપણા ચામડાના બુટ ભીંજાય ગયા તો છાંયડામાં સુકવ્યા છે , બે ચાર દિવસમાં શું થશે ? બુટ ઉપર સફેદ કલરની ફૂગ લાગશે , ફૂગને વિકાસ પામતા સમય લાગે , શિયાળામાં આવતી સફેદ ફૂગ ભુકીછારો રોગ લાવે છે , આ બે ચાર દિવસમાં આપણી મરચીને નુક્શાન કરવાનું શરુ કરે તે પહેલાં જાગવું પડે ભાઈ.
ફૂગ નુકશાનકારક અને ઉપયોગી બંને પ્રકારની હોય  , ટ્રાઇકોડરમાં  વિરિડી , માયકોરાયઝા વગેરે ખેતીની ઉપયોગી ફૂગ છે, પીથીયમ , ફાઇટોપથોરા વગેરે ફૂગ દ્વારા સુકારો આવે છે .





Abstract Wilt is one of the major diseases causing economic losses ...



બંને રોગ છે અને બંને વાતાવરણમાંના બેક્ટેરિયાને લીધે થાય છે , બંને ને ઉગતા ડામો તો ફાયદો થાય ,

બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે સુકારો તેમાં છોડ લીલે- લીલો છોડ સુકાઈ જાય છે આવું એસિડિક પીએચ વાળી જમીનમાં વધુ થાય છે , આપણા રાજકોટ જિલ્લા માં આવી જમીન મોટાભાગે નથી , પછી ખબર નહિ ટાશ કે નકામો કાંપ ઉમેરીને કોઈએ બગાડી હોઈ તો ......

બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનનાં ટપકાનો રોગમાં પણ પર ટપક પડે છે જેમાં મરચી ના પાન ખરી પડે છે એટલે મોટુનુકશાન થાય છે





400 x 90

Cercospora Leaf Spot on Pepper


ખુબ જ સારો પ્રશ્ન, તમારો પ્રશ્ન પરથી લાગે છે કે તમે મરચીની સારી ખેતી કરતા હશો.

દેડકાની આંખ જેવા મોટા ટપકા પાન પર પડે તેને ફ્રોગ આઈ સ્પોટ અથવા સરકોસ્પોરા લીફ સ્પોટ કહે છે.જે ફૂગ થી થતો રોગ છે આપણે મગફળીમાં ટીક્કા કેમ પડે તેવી રીતનું આમાં થાય છે. ઓગષ્ટ- સપ્ટેમ્બરમાં અને ઓકટોબરમાં આનો ઉપદ્રવ હોય,

પાનના ટપકા બેક્ટેરીયલ લીફ સ્પોટમાં અનિયમિત આકારના ટપકા પડે રોગ બેક્ટેરિયા થી થાય આ હવે વાત છે બંનેને ઓળખવા કેમ ?

બેક્ટેરીયલ સ્પોટમાં પાન પોત મેળે ખરે

જયારે સરકોસ્પોરા માં તમે અડો તો ખરે
એટલે છોડ પાસેથી નીકળો અને અડો તો ખરે.

400 x 90



મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે ,

વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું.

પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી જાય. ઓક્સિજન બહાર નીકળી જાય તો મૂળ શ્વસન કેમ કરે ?

થોડું ટેક્નિકલ થઇ જશે છતાં સમજવું તો જમીનમાં રહેલ આયન(લોહતત્વ) આયનમાંથી ફેરિક બની જાય અને ફેરિક છોડ ઉપાડી શકે નહિ એટલે છોડમાં આયનની ઉણપ દેખાવા માંડે છોડ પીળા પડી જાય.

મરચીની ખેતી એટલે જ તો પાળા ઉપર કરાય ,
ખેતી કરવી તો સમજી ને ,
સાચી માહિતી ક્યાંથી મળે એની કિંમત સમજાય તો પછી ખેતી ખંત થી થાય






મરચીનો છોડ ભૂખરો થવાનું મોટું મોટું કારણ : 
  • બેકટેરીયલ લીફ સ્પોટ - પાનના ટપકા ના રોગ ની અસર 
  • ફાયટોપ્થોરા બ્લાઈટ - સુકારો, 
  • વધુ પડતો નાઈટ્રોજન ખાતર. 

વધુ માહિતી માટે રોજ ટેલીગ્રામ ચેનલ ખેતરની વાત વાંચતારહો 



આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 


 




Chile Pepper and the Threat of Wilt Diseases


રોગકારક :

જે વિસ્તારમાં સીધા સપાટ ક્યારામાં મરચી થતી હોય પાળા ઉપર મરચી વાવવામાં આવતી ન હોય, જે વિસ્તાર માં વર્ષો થી મરચીની ખેતી થતી હોય ત્યાં પાળા બનાવવામાં ન આવતા હોય ત્યાં ફાયટોપથોરા રોગ વધુ દેખાય છે .
ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે કે એક પ્રકાર ની વોટર મોલ્ડથી થતો સુકારો છે, આ રોગ મરચીના પાક ને 100 ટકા સુધી નું નુકશાન કરી શકે છે . ફાયટોપથોરાને 24 થી 29 સેન્ટિગ્રેડ તાપમાન અને 18 સેન્ટિગ્રેડ જમીન તાપમાન અનુકૂળછે એટલેકે 24 સે. થી + - 4 ડિગ્રી એટલે કે 4 ડિગ્રી ની વધઘટ હોય અને જમીનનું તાપમાન 18 સેં . થાય ત્યારે ફાઇટોપથોરા દેખાય છે .

રોગ ના લક્ષણ :

થડ ઉપર કાળો ડાઘ પડે , છોડ, મૂળ અને પાંદડા ખરી જઈને છોડ ઉભો સુકાય તે રોગને ફાય્ટોપ્થોરા બ્લાઈટ કહે છે.
આ ફાયટોપ્થોરા રોગકારકને લીધે થાય છે. પાંદડા ઉપર ઘાટા લીલા ડાઘ કે ફળ પણ થોડો સમય ઘાટા લીલા બની જાય છે. આ રોગ વધુ ભેજ સાચવતી જમીનમાં વધુ થાય છે .

ખુબ જ મોટું એટલે 100 ટકા સુધીનું નુકશાન કરી શકતો ફાયટોપથોરા રોગ મરચીની ખેતીનો મોટો દુશ્મન છે , આ રોગ ના રોગકારક 4 વર્ષ સુધી જમીનમાં પડ્યા રહે છે . જમીનમાં પડેલા રોગકારક વરસાદના ઝાપટા સાથે પાંદડા પાર આવે છે અથજવા પાણી સાથે ખુલ્લા ધોરીયા માં પાણીના વહન ની દિશામાં આ રોગ આગળ વધે છે, રોગકારક એક વાર છોડના મૂળ કે થડ ને લાગે પછી તો હજારો રોગકારક ફેલાવે છે . સુકાય ગયેલ છોડના જડીયામાં પણ રોગકારક હોય છે જે ખેતરમાં પડી રહ્યા હોય તો બીજા વર્ષે ફરી પોતાનું જીવન મરચીના પાકમાં આગળ વધારે છે . બે હાર વચ્ચે ગ્રીન મ્લચીંગ ઘઉંનું કુવલ નાખો અથવા મ્લચીંગ કરીને મરચીની ખેતી કરો .



ચોમાસામાં શું કાળજી લેવી :

ફાયટોપથોરા માટે ફુગનાશક બહુ કામ આવતા નથી પણ તેનાથી બચવા ખેતી પધ્ધતિ બદલો એટલે કે પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ સાથે મરચીની ખેતી કરો .

પવનને લીધે મરચીનો છોડ ડગડગે નહિ તેની કાળજી લ્યો , મરચીની હાર ઉપર દર દશ ફૂટે લાકડું ખોડી તેમાં દોરી કે તાર બાંધીને છોડને ટેકો આપો , પાણી અને હવાથી આ રોગ પ્રસરે છે , ઝાપટ વાળો વરસાદ થી વધુ ફેલાય છે

છોડ પવનથી હલી હલીને જમીન અને થડના જોડાણ પાસે કોન આકારનો ખાડો બનવો જોઈએ નહિ નહીંતર વરસાદ નું પાણી ત્યાં ભરાશે તો પછીથી ફાઇટોપથોરા જરૂર આવશે ,

ઘાટું વાવેતર ના કરો અને ચાસ માં લાકડા ખોડી ને દોરી થી મરચીના છોડ ને ટામેટીની જેમ બાંધો

એક વાર ફાયટોપથોરા લાગ્યા પછી રોગ ને અટકાવી શકવું ઘણું મુશ્કેલ છે તે યાદ રાખજો . જો તમારી જમીનમાં આ રોગ આવતો હોય તો 4 વર્ષ મરચીનું વાવેતર બીજા ખેતરમાં કરો .

પ્રિ હાર્વેસ્ટ ઈન્ટરવલ એટલેકે ફળ આવે તે પહેલા ડ્રેનચિંગ અને સ્પ્રે કરો ,સેન્દ્રીય તત્વો વધુ નાખો .મેટાલેક્સિલ આ રોગમાં કામ આવતું માંથી


બઝારમાં મળતા નવા ફુગનાશક :

મેલોડી ડુઓ (ઇપ્રોવાલીકાર્બ + પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/પંપ અથવા

પ્રોલીફર (ફોસેટાઈલ+ ફ્લુઓપીકોસાઈડ) ૩૦ ગ્રામ/પંપ અથવા

ઇક્વેકશન પ્રો. (ફેમોક્ષાડોન + સાયમોક્ષાનીલ) ૨૫ ગ્રામ/પંપ

રેવુસ (મંડીપ્રોપેમાઇડ) નું ડ્રેન્ચિંગ કરવું.






આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 



Book your Advt Here
400 x 90





આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 




-- --




Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચીમાં ભૂકીછારો - પાઉડરી મીલ્ડ્યું .
  • મારી મરચીમાં પાંદડા ખરી જાય છે ક્યાં કારણને લીધે પાંદડા ખરે?
  • પાઉડરી મીલ્ડ્યું કૃષિ વિજ્ઞાન નું પાનું
  • ચીલી કી પાઠશાલા : ખેતીમાં આપણા હાથમાં શું છે ?
  • થ્રિપ્સ : થ્રીપ્સના નિયંત્રણ માટે બઝારમાં મળતી દવા કઈ કઈ છે ? 8
  • સફેદ માખી
  • મરચીની ખેતીમાં લાલ મરચા કરતા ખેડૂતને પજવનારો રોગ એટલે એન્થ્રેકનોઝ -2
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • થ્રિપ્સ - ચુસીયા જીવાત
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates