અત્યારે વરસાદ નથી ત્યારે ડ્રિપ છે તે મિત્રો મરચીમાં ઉમર પ્રમાણે મરચીમાં પાણી વધુ આપવું પડે, ઉમર પ્રમાણે ક્રોપ ફેક્ટર બદલે, દા.ત. મરચી ફૂલે ફાલે છે અને મરચીનો વાસ્પિકરણ ક્રોપ ફેક્ટર ૧ છે તો જેટલું બાષ્પીભવન છે એટલું પાણી આપવું જરૂરી,
જો એક એકરની મરચી હોય તો ૨૦,૦૦૦ લીટર પાણી આપવું જરૂરી જેટલો વધુ ફાલ તેટલું પાણી વધારવું પણ જરૂરી.
ડ્રીપ થી પાણીનું ચોક્કસ વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરી શકાય જે લાભ ખુલ્લા પાણી માં મળતો નથી , એટલે તો હું વારંવાર કહું છુ કે ડ્રિપ વસાવો....
ખુલ્લા પાણી માં કાળજી ન લઇને રેડ પાણી એટલે કે ખુલ્લું પાણી વધુ અપાય જાય તો રોગ-જીવાત નો ઉપદ્રવ પણ વધે અને મહામૂલું પાણી બગાડે એટલે ઉપજ ઉપર તમારું ધ્યાન હોય તો વૈજ્ઞાનિક અભિગમ કેળવો, સારા મિત્રો રાખો, મારો બ્લોગ વાંચો, ડ્રિપ વસાવો , નકામા ગ્રુપ માંથી નીકળી જાવ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવો
400 x 90
--
--
યાદ રાખો મરચીમા ફળનૂ બંધાવું વાતાવરણને તાપમાનને આધારિત છે
તમે થર્મોમીટર વસાવ્યું ? જોતા આવડી ગયું ? હા, તો મરચી ની ખેતી ના લાયક છો .
જો રાત્રિનું તાપમાન મિનિમમ ૨૮ થી ૩૦° સે થી ઉપર થયું તો મરચીના ફુલ માં રહેલી પરાગરજ સ્ટરાઇલ થઇ જશે.
તેથી ફાલ લાગતો નથી. તે ફૂલ ને ખરી જવાનું
( તમે દોડતાનહી દવા લેવા તમને એન એ એ આપશે પણ આવા તાપમાને તે કઈ તમારી મરચી માં ઉપયોગી નહિ થાય)
પરંતુ
જે દિવસથી રાત્રીનું (મિનિમમ તાપમાન) ૨૮ થી ૩૦° સે થી નીચું ગયું ફરી ફાલ લાગવાનું શરૂ થશે.
વેપારીના કહેવાથી કોઇ કેમિકલ છાંટી ખર્ચ વધારતા નહીં,
હા , પોષક તત્વોની ખામીના લીધે ફાલ ખરણ થતું હોઈ તો તેની પૂરતી કરો PSAP નો છંટકાવ શરુ રાખજો અને વજનદાર માલ પેદા કરજો
રોગ ત્રિકોણ એટલે શું તે સમજીયે
આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જયારે ત્રણ પરિસ્થિતિ નિર્માણ થાય.
રોગકારક હાજર છે , વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકશાન થાય છે
રોગ ત્રિકોણ યાદ રાખો
જો તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકુળ હોય તો જ રોગ આવે છે તે રોકવા ખેડૂતે સમયસર પગલા લેવાથી ઓછા ખર્ચે નુકશાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે
1- રોપ તદુરસ્ત અને સફેદ માખી થી મુક્ત પેદા કરો - રોપ માં દવા છાંટો -રોપ ની ઉપર ઇન્સેક્ટ નેટ લગાડો .
2- રોપમાં સફેદમાખી આવી તો સમજો કે વાયરસ રોગનો ચેપ લાગી ગયો
3- ગયા વર્ષે જ્યાં મરચી હતી તે ખેતર માં મરચીની ફેરરોપણી કરશો નહિ , જ્યાં પાણી ભરાય રહેતી હોય તેવી જમીન પસંદ કરશો નહિ , દર ત્રણ વર્ષે જમીનની ઊંડી ખેડ થતી હોઈ ત્યાં મરચી વાવો
4- મરચી ની ખેતી પાળા ઉપર કરો તેના ઉપર ડ્રિપ અને 30 માઇક્રોન મ્લચીંગ લગાડો અને પાળા ઉપર ફૂટ ફૂટ ના અંતરે તંદુરસ્ત રોપ ના મૂળ ને ઇમીડાક્લોપ્રીડ અને ફુગનાશકના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો
5- ખેતરમાં એકલ દોકલ વાયરસ ઉપદ્રવીત છોડ દેખાય તો વહેલાસર તેને ઉપાડીને બાળી દયો .
6- ખેતરમાં રહેલ કે શેઢેપાળે રહેલ નિન્દામણ રોગ ફેલાવનાર રોગકારકો ના વાહક હોઈ છે તે દૂર કરો .
7- આજુબાજુ ના ખેતર માંથી આવતી સફેદમાખીથી બચવા દર છ- સાત મરચી ની હાર છોડી એક હાર પિંજર પાક તરીકે મકાઈ નો ચાસ કરો
8- સફેદમાખી -થ્રિપ્સ જેવી જીવાત કુક્ડ ના રોગની વાહક છે તેનું સમયસર નિયંત્રણ કરો , વીઘે 6 થી 7 પીળા ક્રોપ ગાર્ડ ટ્રેપ લગાડો
9- ચુસીયા જીવાત થી બચવા નીમ અને વાયરસ માટે ગૌમૂત્ર અને હિંગ નો પ્રયોગ વારંવાર કરો , વધુ પડતો ઉપદ્રવ થાય તો સફેદમાખી માટે જંતુનાશક પાયરોપ્રોક્સિફેન ( લાનો, ઓબેરોન અથવા સુમિપ્રેપ્પટ ) પ્રયોગ કરો
10-ચુસીયા જીવાત ખાસ કરી ને સફેદ માખી કે ચુસીયા માટે બજારમાં મળતી નામનેઠા વગર ની દવા વારંવાર છાંટશો તો જીવાત માં પ્રતિકારશક્તિ આવી જશે અને તમે નુકશાનીમાં આવી જશો , માન્ય દવા યોગ્ય માત્ર માં વાપરવા નું ગોઠવો
ખેડૂત તરીકે હવામાન એટલે તાપમાન, ઠંડી, પવન, ભેજ, વરસાદ, પાણીની અછત વગેરેના સંદર્ભે સમજવું જોઈએ.
આ બધું ટેકનિકલ અને વધુ વૈજ્ઞાનિક ન થાય તે રીતે ફરી એકવાર સમજાવું તો દા.ત. વરસાદ પડયો છે, પડામાં પાણી ભરાયા છે, પછી તડકો તીવ્ર નીકળે છે ત્યારે શું થશે?
રોગ આવવાની શક્યતા વધી જશે. પરિપક્વ ફળ અને ફૂલ પાટલામાં ખરી પડશે. પાણીના નિકાલના અભાવે તમારી જમીનનો પી.એચ અને જમીન ભસ્મીક છે કે અમ્લીય તે છોડ પર નુકસાન દેખાડશે.
પોષક તત્વો આવા બધું ભેજવાળા મૂળ પ્રદેશ ને લીધે છોડ ઉપાડશે નહીં ઉપરથી કોઈ દવા છાંટશો તેનું પ્રમાણ યોગ્ય નહીં હોય તો નુકસાન પણ કરશે કારણ છોડ સ્વયં નબળો છે, યાદ રાખો છોડ ને તણાવમાંથી પહેલા કાઢવો પડે
તેવી જ રીતે બીજી પરિસ્થિતિમાં હવામાન કેવી રીતે નુકસાન કરે ? તે જોઈએ .
દાખલા તરીકે સાવ ઓછો વરસાદ છે ગરમી છે વાતાવરણમાં થોડો ભેજ છે છોડમાંથી ગરમીના લીધે વધુ ઉત્સવેદન વાસ્પિકરણ થાશે છોડને પાણી આપવું આવશ્યક છે પણ પાણી નથી અપાતું તો......?
છોડનો વિકાસ અટકશે પણ સાથે સાથે આવા વાતાવરણમાં જીવાતો ચૂસીયાનો એટેક વધશે તમે દવા છાંટવામાં પાણીનું પ્રમાણ ઓછું રાખશો તો ઔર નુકસાન થશે મૂળ પાણી તરસે છે તેથી તે જીવન ટકાવવા તંતુમૂળ ફેલાવશે એવા સમયે તમે પાણી હોય તો છોડ બચશે નહીંતર છોડ પોતાનામાં વિકૃતિ લાવી દેશે......
છોડ પણ જીવંત છે તેને આજુ બાજુના આઘાતો માંથી બચાવવો તે ખેડૂત તરીકે નું કામ છે , જો બચાવીએ તો છોડ ઉપજ આપવા તૈયાર છે પણ પોતેજ આઘાત માં છે ફળ ને શક્તિ આપે કે પોતે ટકી રહે ....
સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
માહિતી સારી લાગે ને તમને થેક્યું કહેવાનું મન થાય તો પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -
ખેતર માં ઊભા પાક પર છટકાવ કરી શકાય છે. સામાન્ય રીતે ઘન સ્વરૂપ માં હોય છે તેને પ્રવાહી માં ઓગાળી વાપરી શકાય છે. (ઘટ્ટ પ્રવાહી હોવાને લીધે પમ્પ ની નળી બ્લોક થવાની તકલીફ રહે છે.)
ખેતર માં પાવડર સ્વરૂપ માં ખાતર સાથે ભેળવી જમીન તૈયાર કરતી વખતે આપી શકાય .
બીજ ને પટ આપી ને પણ વાપરી શકાય છે
છોડ ના મૂળ પર સીધું પણ આપી શકાય છે.
નુકશાન :
થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે, પાન કુકડાઈ જાય છે, વધુ ઉપદ્રવ થાય તો છોડ નુકશાની માંથી બહાર આવી શકતો નથી તેથી ઉત્પાદન ઘટે છે , ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે ઈંડા મૂકે છે જીવાત મરચીમાં સપ્ટેમ્બરથી માર્ચ સુધી વધારે નુકસાન કરે છે. થ્રીપ્સના વધુ ઉપદ્રવ માટે સૂકા, ગરમ તેમજ ઓછું ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે.
વ્યવસ્થાપન :
ખેતરમાં રોજ બિલોરી કાચ લઈને આંટોમારીને સ્કાઉટીંગ કરો કારણકે દુશ્મનને તેની નબળી કડી માં મારવો જોઈએ એટલે કે થ્રીપ્સના ઈંડા ક્યારે મુકાય અને ક્યા મુકાય તે ખબર હોય તો થાય ! શું તમને ખબર છે ? થ્રિપ્સ કઈ કાગળનો લખે કે હું તમારી મરચીમાં એટેક કરવાની છું
દાખલા સાથે સમજીયે દા .ત . તમારા વાડીના થર્મોમીટર પ્રમાણે અથવા ગુગલ ડેટા પ્રમાણે ગઈ રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ હતું અને આજે રાત્રે વાદળાં આવી જાય , વરસાદ નથી અને મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે ?
રાત ઠંડી હશે કે ગરમ ? રાતે વાદળ હોય એટલે આખા દિવસની જમીનની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે ઓછી નહિ થાય અને રાત્રે ગરમી વધશે , હવે અહીં સમજવાનું છે .....જો રાતનું મિનિમમ તાપમાન ગઈ રાત કરતા 3 ડિગ્રી થી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે, થ્રિપ્સની માદા પાનની અંદર સ્લીટ -ખાંચો કરીને ઈંડા મૂકે છે આ ઈંડા એક બે દિવસે ફૂટશેને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રીના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો , જો આટલા જાગરૂક રહેશો તો તમારી મરચી થ્રિપ્સમાં મોટા નુક્શાન માંથી બચી જશે .
જીવન ચક્ર :
હવે થ્રિપ્સ નું જીવન ચક્ર સમજીયે તો જીવાતને ક્યાં સ્ટેજ માં મારવી તેનું આયોજન કરી શકીયે , જીવાંતના મોટા મોટા 4 સ્ટેજ હોય છે, ઈંડા -બચ્ચું -કોશેટો -પુખ્ત . આપણે વાત કરી ગયા તેવું વાતાવરણ થયું એટલે નર માદા નું સંવનન થાય ને માદા રાતે ઈંડા મૂકે આ ઈંડા ફૂટે( 2-4 દિવસ ) એટલે એમાંથી લાર્વા નાનું બચ્ચું ( 1-2 દિવસ ) લાર્વા મોટુ થાય મોટું બચ્ચું (2-4 દિવસ) આ 6 દિવસ આપણ ને જોરદાર નુકસાન કરી જાય પછી લાર્વા પ્યુંપા તરીકે જમીન પડી જાય ને ( 1-5 દિવસ ) અને તેમાંથી ફરી વાતાવરણ થાય એટલે પુખ્ત બહાર આવે ને પાછા નર માદા મળે ને આ ચક્ર ચાલ્યા કરે .
ઈંડા મારવા ટ્રાન્સલેમીનીયર ઈંડાનાશક દવા છાંટો તો ઈંડાનો નાશ કરી સફળતા મેળવી શકાય પણ ઈંડા મુકાય ક્યારે તે જ કામ આવે બીજા દિવસે બચ્ચા બહાર આવી જાય તો પછી તેને મારવા માટે ટ્રાન્સ્લેમીનિયર નહિ ચાલે તેના માટે હવે કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઈડ એટલે કે સ્પર્શ કરેને મારે તેવી દવા છાંટવી પડે
નિયંત્રણ :
ડેનીટોલ મિયોથ્રિન ( ફેનપ્રોપેથ્રીન ) અથવા
રીઝન્ટ - જંપ (ફીપ્રોનીલ) અથવા
ડેલિગેટ (સ્પીન્ટોરમ ) અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) અથવા
સ્પીન્ટોર -ટ્રેસર (સ્પીનોસાડ) અથવા
મોવેન્ટો (સ્પાયરોટેત્રામેટ ) વારાફરતી પ્રયોગ કરવો.
થ્રીપ્સને ઈંડા મુકવા છે પણ તેને કેવું વાતાવરણ થાય ? ત્યારે તે સંવનન કરે અને પછી માદા ક્યાં ઈંડા મૂકે? . સાવ સાદા દાખલા સાથે સમજીયે ,
૩-૪ ડિગ્રી તાપમાન ગઈ રાત કરતા આ રાતનું વધે તો આપણને શું થાય? ચાલો સમજીએ
દાખલા તરીકે તમે કુલર કે એસી વગરના રૂમમાં રાત્રે સુતા છો. થોડું વાતાવરણ ઠંડુ છે તમે ગોદડું ઓઢ્યું છે. રાત્રે વાદળા આવી જાય એટલે વાતાવરણ એટલે કે જમીનની ગરમી હવે ઠંડી થશે નહીં. એટલે રાત્રે તમને ગોદડુ કાઢી નાખવાનું મન થશે આવું બને ત્યારે તમે દોડીને ફળિયામાં જાવ અને જુઓ વાદળા છે? ગઈ રાત્રી કરતા આજની રાત્રિનો આ ૩-૪ ડિગ્રીનો વધારો થ્રીપ્સની નર-માદાને મેટિંગ સંવનન કરાવશે.
બીજા દિવસથી જ થ્રીપ્સની માદા ઈંડા મુકશે. ક્યાં મુકશે? પાન ઉપર સ્લીટ એટલે કે ચીરો કરીને પાનની વચ્ચે, ઈંડામાંથી બે દિવસમાં બચ્ચા બહાર આવી જશે. તમારે ઈંડાનાશક ક્યારે છાંટવાનું હોય ?
જ્યારે આગલી રાત કરતા ૩-૪ ડિગ્રી આ રાત્રે તાપમાન વધ્યું, વાદળા છે બસ તે રાતથી બે દિવસમાં તમારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીયર છાંટી શકાય, આવું વાતાવરણ જેટલીવાર થાય તેટલીવાર દવા છાંટવી પડે એ ખાસ યાદ રાખો . નહિતર બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટમીક દવા બદલવાની અથવા મોટા નુકસાન માટે તૈયાર રહેવાનું,
તમારી પાસે પાંદડામાં થ્રિપ્સ ના બચ્ચા જોવાનો બિલોરી કાચ છે ? નથી તો તમારે થ્રિપ્સ ની ફરિયાદ કરવાનો હક્ક નથી
હવે કહેતા નહીં કે હું તો બહારગામ હતો, હું ભૂલી ગયો, બીજો નથી છાંટતો હું શા માટે છાંટું? દવા વાળાએ બીજી દવા દીધી, વગેરે વગેરે
તમારી મરચી હોય તો નિર્ણય તમારો હોવો જોઈએ. અને આપણે આજદી સુધી બીજાનો નિર્ણય ચલાવ્યો હવે નિયમ આધારિત ખેતી કરી રોજના રાત્રીના તાપમાન પર નજર રાખો .
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.