મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ?



કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી ,

રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને જમીનને સ્ટરીલાયઝ કરતા પરંતુ હવે નવી પદ્ધતિ આવી છે તેમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા ગાદી ક્યારા ની જગ્યાને રોગમુક્ત કરવા માટે બઝારમાં ૩૦ થી ૫૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક મળે છે તે જ્યાં રોપ કરવાનો હોય ત્યાં ઉનાળાની ગરમીમાં ઢાંકી દેવાનું .

સામાન્ય રીતે વાતાવરણની ગરમી ૪૫o સે હોય ત્યારે જમીનનું તાપમાન ૫૫ સે. થાય પણ આ પ્લાસ્ટિક પાથરેલું હોય તો જમીનનું તાપમાન ૬૫ સે. થઇ જાય તેના લીધે જમીનની અંદર રહેલા નિદામણના બીજ, ફૂગ, રોગ, કીટકના કોશેટા, નીમેટોડ બધું જ આટલી ગરમીમાં રોપ ની જગ્યાએ નાબૂદ , રોપ પૂરતી જગ્યા માટે આવું પ્લાસ્ટિક ખરીદી લો, આને સોઇલ સોલારાઈઝેશન કહે છે ,

છે ને સુરજદાદાની મદદ લેવાનો અજબ નુસખો. દરેક ખેડૂતે આ જરૂર આપનાવવા જેવું છે , પ્લાસ્ટિક કાઢી લીધા પછી બીજા દિવસે આ જગ્યાએ એની એજ માટીમાંથી ગાદી ક્યારો કરી ત્યાં રોપ નાખવાનો અને બીજ ઉગે કે તરત ઇન્સેક્ટ નેટ થી રોપને ઢાંકી દેવાનો , છે ને રોપણી સંપૂર્ણ સુરક્ષા કરવાનો અજબ નુસખો .





0 comments