
તમે હજુ તમારા ખેતર માં ડ્રિપ વસાવ્યું નથી ? બહુ કહેવાય ? ડ્રિપ વગર મરચીની ખેતી કરો છો તે જાણી આશ્ચર્ય થયું , ફેર્ટીગેસન વગર ખેતી માંથી ઉપજ કેમ મેળવશો , રોગો વધુ આવશે , નિંદામણ થશે વગેરે
તમારા પ્રશ્ન ના જવાબ માં પૂછવાનું કે શું તમારી જમીન પહેલેથીજ આવી છે ? તમારા દાદા ને પૂછજો કે હે દાદા આપડી જમીન પહેલાથીજ ખારાશ વાળું ખેતર છે ? જો તે ના પાડે તો તમારે વિચારવાનું છે આપડે શું ભૂલ કરી ?
ઊંડા બોર કર્યાં ને નબળા પાણી નો પિયત માટે ઉપયોગ કર્યો ? ?
ખેતર માં બહાર થી માટી કે ટાશ નાખી ને તમારી બાપદાદા એ કેળવેલી જમીન માં તમે જોયા કારાવ્યા વગર બહાર ની નઠારી માટી ની સાથે સોડિયમ અને કેલ્શ્યિમ નો સામે થી ઉમેરો નથી કર્યો ને ? ?
વધારે પડતા રાસાયણિક ખતરો નાખ્યા ? કે દર વર્ષે સેન્દ્રીય ખતરો નો વપરાશ ઓછો કરતા ગયા ? યાદ રાખો કે પાણી નો ટીડીએસ સારો ના હોઈ તો છોડ સારી રીતે પોષક તત્વો લઇ શકતો નથી એટલે મરચીની ખેતી માટે મીઠું અને કુવાનું પાણી માફક આવે છે .
ખારાશ વાળા પાણીમાં મરચી નું ૫૦ ટકા જેટલુ ઉત્પાદન ઘટે છે તમે સેન્દ્રીય ખાતર નો વધુ ઉપયોગ કરો, તમારી જમીન માં જીપ્સમ નાખો અને આવતા વર્ષે મરચી ને બદલે બીજો પાક કરો ને પહેલાં જમીન સુધારણા કરો.
ડ્રિપ પદ્દતિ નો ઉપયોગ કરો , આ વર્ષે કુવા નું પાણી સારું થાય માટે વરસાદ નું પાણી ઉતારો , તમારી નજીક ના વિસ્તાર માં ચેક ડેમ બનાવો, જમીન એ ખેતી નો આધાર છે તેને સાચવો
|
|
|




Photo courtesy : google Image
0 comments