સુક્ષ્મ તત્વ અને પોષણની ઘટ છે તે છોડવો આપણને કેવી રીતે કહે? ?



મરચીના પાક માં વિવિધ પોષક તત્વો અને સુક્ષ્મતત્વોની જરૂર પડે છે

  • જે તત્વ સરળ રીતે પાન-છોડમાં ફરે છે તેવા તત્વો નાઇટ્રોજન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસની ઉણપના લક્ષણો જુના પાનમાં એટલે કે છોડના નીચેના પાનમાં જોવા મળે છે. દા.ત. નાઇટ્રોજનની ખામી સૌપ્રથમ નીચેના પાનમાં પીળાશ પડતાં થવાથી જાણી શકાય છે. જે ધીરે-ધીરે ઉપરની તરફ વધતું જાય છે. ફોસ્ફરસ મુખ્ય તત્વની ખામી પણ નીચેના પાનમાં ખૂબ ઘાટા લીલા પાન થઈ જવા. ઘણી વખત જાંબુડિયા પાન થઈ જવા સુધી જોઈ શકાય છે.

  • મેગ્નેશિયમની ખામી મરચીમાં ખાસ જોવા મળે છે. જુના નીચેના પાનમાં પીળાશ પડે છે, પાન અંદર તરફ વળે છે પણ તેની નસો લીલી જ રહે છે તો સમજવું કે મેગ્નેશિયમની ખામી છે

  • જે તત્વ મીડીયમ રીતે છોડમાં પ્રસરે છે તેવા તત્વો જેવા કે પોટેશિયમ, સલ્ફર, ઝિંક, કોપર અને મેગેનીઝ છે. દરેકની ઉણપથી શું વચ્ચેના પાનમાં શું થાય તે ટૂંકમાં નોંધો.
  • પોટેશિયમની ખામી થી પાનની કિન્નરી પીળી પડે, ઘણી વખત ટાંચણીથી કાણા પાડયા હોય તેવા પણ થઈ જાય. મેગેનીઝની ઉણપ તો વળી સાવ નોખો દેખાવ આપે. મીડીયમ વચ્ચેના પાનમાં પીળાશ પડે પરંતુ છરકા છરકા થઈને લાંબા ખાંચા પડે.
  • સૌથી ઉપરના પાનમાં આયર્ન, કેલ્શિયમ અને બોરોનની ખામી હોય તો તેમાં કેલ્શિયમની વાત લઈને  પ્રશ્ન પૂર્ણ કરીએ. કેલ્શિયમની ખામી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે કેલ્શિયમની ખામીથી ઘણીવાર બ્લોસમ રોટ- ઉભા પાકમાં મરચાનો નીચેનો છેડો પીળો પડી સડી જાય છે  તે રોગને બ્લોસમ રોટ કહે છે .

0 comments