મરચીમાં વરસાદ પછી ક્યાં તત્વની ખામીના લીધે કેમ છોડ પીળા પડે ?




મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે ,

વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું.

પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી જાય. ઓક્સિજન બહાર નીકળી જાય તો મૂળ શ્વસન કેમ કરે ?

થોડું ટેક્નિકલ થઇ જશે છતાં સમજવું તો જમીનમાં રહેલ આયન(લોહતત્વ) આયનમાંથી ફેરિક બની જાય અને ફેરિક છોડ ઉપાડી શકે નહિ એટલે છોડમાં આયનની ઉણપ દેખાવા માંડે છોડ પીળા પડી જાય.

મરચીની ખેતી એટલે જ તો પાળા ઉપર કરાય ,
ખેતી કરવી તો સમજી ને ,
સાચી માહિતી ક્યાંથી મળે એની કિંમત સમજાય તો પછી ખેતી ખંત થી થાય

2 comments