ફર્ટીગેશન એટલે ડ્રીપમાં ખાતર આપવું, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન અથવા ન્યુટ્રીગેશન આપી મબલક ઉપજ મળી શકે છે. પરંતુ જે ખાતરો આપવાના છે અલગ માત્રાના તે ખાતરો વેન્ચુરી અથવા ટેંકમાં ભેળવવા પહેલા ઓગળવાના હોય છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે કારણકે તેવું ન કરવામાં આવે તો ડ્રીપર ચોકઅપ- બંધ થવાના પ્રશ્નો આવી શકે.,
કોઇપણ ખાતર હોય તેને એકસરખા પાણીમાં ઓગળવાને બદલે ખાતરના પ્રકાર પ્રમાણે જુદા જુદા જથ્થામાં પાણી લેવું પડે છે. કારણ કે બધાજ ૧ કિલો ખાતરને તમે એક લીટરમાં ઓગાળી ન શકો હા કેલ્શિયમ નાઈટ્રેટ હોય તો શક્ય બને પરંતુ પોટેશિયમ નાઈટ્રેટ (૧૩-૦-૪૫) હોય તો ૮ ગણું પાણી લેવું પડે પોટેશિયમ ક્લોરાઈડ (૦-૦-૫૦) હોય તો ૩ ગણું પાણી જોઈએ, આપણને ખબર છે કે ફોસ્ફરસ ખાતરો પાણીમાં ઓગળતી વખતે અઢીગણું પાણી લઇને સોલ્યુશન બની શકે છે આવા સોલ્યુશન અલગ અલગ વાસણ કે ડોલ કે ડ્રમ માં બનાવીને વેન્ચ્યુરી દ્વારા ચડાવવા જોઈએ. વધુ ફર્ટીગેશન ની વાતો માટે વાચતા રહો મારો બ્લોગ આજ ની ખેતી
તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ?
વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી શું વપરાયું ?
નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાં અને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ સહકયા બની .
હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો કેટલું ઉત્પાદન લેવું છે ?
સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
માહિતી સારી લાગે ને તમને થેક્યું કહેવાનું મન થાય તો પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -