સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ?
વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી શું વપરાયું ?
નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાંઅને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ શક્ય બની .
હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો કેટલું ઉત્પાદન લેવું છે ?
ફર્ટીગેશન એટલે ડ્રીપમાં ખાતર આપવું, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન અથવા ન્યુટ્રીગેશન આપી મબલક ઉપજ મળી શકે છે. પરંતુ જે ખાતરો આપવાના છે અલગ માત્રાના તે ખાતરો વેન્ચુરી અથવા ટેંકમાં ભેળવવા પહેલા ઓગળવાના હોય છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે કારણકે તેવું ન કરવામાં આવે તો ડ્રીપર ચોકઅપ- બંધ થવાના પ્રશ્નો આવી શકે.,
કોઇપણ ખાતર હોય તેને એકસરખા પાણીમાં ઓગળવાને બદલે ખાતરના પ્રકાર પ્રમાણે જુદા જુદા જથ્થામાં પાણી લેવું પડે છે. કારણ કે બધાજ ૧ કિલો ખાતરને તમે એક લીટરમાં ઓગાળી ન શકો હા કેલ્શિયમ નાઈટ્રેટ હોય તો શક્ય બને પરંતુ પોટેશિયમ નાઈટ્રેટ (૧૩-૦-૪૫) હોય તો ૮ ગણું પાણી લેવું પડે પોટેશિયમ ક્લોરાઈડ (૦-૦-૫૦) હોય તો ૩ ગણું પાણી જોઈએ, આપણને ખબર છે કે ફોસ્ફરસ ખાતરો પાણીમાં ઓગળતી વખતે અઢીગણું પાણી લઇને સોલ્યુશન બની શકે છે આવા સોલ્યુશન અલગ અલગ વાસણ કે ડોલ કે ડ્રમ માં બનાવીને વેન્ચ્યુરી દ્વારા ચડાવવા જોઈએ. વધુ ફર્ટીગેશન ની વાતો માટે વાચતા રહો મારો બ્લોગ આજ ની ખેતી
મરચી ઉગાડનાર ખેડૂતો સારા સમાચાર ક્યારે ગણાય ?
જયારે તેની મરચી તંદુરસ્ત હોય ,
મરચીની સારી જાત વાવી હોય ,
મરચી ની ઉપજ વધુ મળે તેવા ખાતરો ના પ્રયોગ વિશેની ખબર હોય
મરચીના ઉત્પાદન વધુ લેવા યુરિયાનો પ્રયોગ એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ના થાય તે જોવું
કોઈ કહે અમારું આ ખાતર વાપરો
કોઈ કહે અમારું ઓર્ગનિક ખાતર વાપરો
કરવું શું ?
ઉપજ વધારવી છે પણ ખોટું ખાતર વપરાય જાય તો પણ જોઈએ તેટલો ફાયદો થાય નહિ
તમારી મરચી જમીનમાંથી તમે આપેલું ખાતર મેળવે છે તે મૂળ મજબૂત હોવા જોઈએ
મરચી નબળી હોઈ તો મૂળના સારા વિકાસ માટે મરચીના થડે થડે ઝેનક્રેસ્ટનું માઈકોઝેન નું ડ્રેનચિંગ કરો
પછી જુવો કમાલ , મરચી થશે ફૂલફટાક .
મરચીના મૂળ જ એવા હોય કે જે ખાતર આપો કે તે સીધું આપણા મરચાનું વજન વધારે
રોગના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
પીએસએપી નવા ખાતર વિશે જાણી રાખો
એક વિશિષ્ટ પ્રકારનું નવું મોલેક્યુલ કે જેમાં આપણે જોઈએ છે તે પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ છે. પીએસએપી એ ટોનિક નથી પરંતુ છોડને રક્ષણ આપતી રસી છે. વધુ વિગત માટે મોબાઇલ કરો - 9825229766
પીએસએપીના પ્રયોગ પછી છોડમાં શું થાય છે ? ૧. છોડ જીવાત અને રોગ સામે ન છાંટેલા છોડ કરતા 70% જેટલો અલગ પડે છે ૨. પાન લીલા , પહોળા અને તંદુરસ્ત થાય છે. ૩. નવી ફૂટ સાથે પુષ્કળ ફળ લાગતા રહે છે. ૪. મરચીના છોડમાં લાગેલા મરચાનું વજન વધે છે
પીએસએપી વાપરવું ક્યારે ?
1. મરચીમાં ફૂલો આવવાનું શરુ થાય ત્યારથી મરચા લાલ થાય ત્યાં સુધી
તમારા મિત્રોને પણ આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડો અને તેને પણ આ નવા સમાચાર આપો
મરચીની ખાતરની જરૂરિયાત પાકની અલગ અલગ અવસ્થા વખતે અલગ હોય છે દા.ત. તમારે વીઘે 12 ટનનું અથવા તો હેક્ટરે 75 ટન લીલા મરચાનું ઉત્પાદન લેવું છે તો તેના ગુણાંકમાં ખાતરની જરૂરિયાત ગણવી પડે પરંતુ સરળ રીતે નીચેના ગ્રાફ સાથે સમજીએ.
મરચીના છોડને શરૂઆતના ૬૦ દિવસમાં પાકને વિકાસ માટે સારું એવું સમતોલ ન્યુટ્રીશન-પોષણ જોઈએ છે પછી જયારે પ્રથમ તોડાય થાય ત્યારે ફરી વધુ પોષણની જરૂરિયાત રહે છે તે તમને ઉપરના ગ્રાફમાં દેખાશે. પહેલી વીણી પછી ખાતરની જરૂરિયાત સતત વધતી રહે છે જો તમે મલ્ચીંગ અને ડ્રીપનો પ્રયોગ કરતા હો તો નાઈટ્રેટના રૂપમાં નાઈટ્રોજન આપો અથવા ઠંડી હોય તો યુરિયાના રૂપમાં આપી નહિ શકો , ઠંડીમાં નાઇટ્રેટના રૂપમાં આપો
ઉપરના ગ્રાફનું અવલોકન કરો તો ગ્રાફમાં નીચે પાકના દિવસો અને ડાબી તરફ રોજનો પોષણનો ઉપાડ પ્રતિ હેક્ટરના ખેતરમાં કેટલો મરચી લે છે તે બતાવેલ છે ,બ્લુ લીટી ફોસ્ફરસ, લીલી લીટી નાઈટ્રોજનની અવશ્યકતા અને ગુલાબી લીટી પોટાશની જરૂરિયાત અને ઉપાડ દર્શાવે છે .તમે જુવો પચાસ સાંઠ દિવસ આસપાસ પોટાશનો અપટેક છ કિલો જેટલો પ્રતિ હેક્ટર પ્રતિ દિવસ તત્વના રૂપમાં વધી જાય છે . એટલે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષમાં પોટાશની જરૂરિયાત પણ વધુ રહે છે અને ૧૦૦ દિવસે તો પોટેશિયમની સર્વોતમ સ્થિતિએ જરૂરિયાત છે તે તમે નોધ્યું હશે. ફેર્ટીગેશન માટે અગત્યના ખાતરો નોંધો પોટેશિયમ નાઇટ્રેટ , મોનો અમોનિયમ ફૉસ્ફેટ , કેલ્શિયમ નાઈટ્રેટ , મેગ્નેસિયમ સલ્ફેટ વગેરે
ઉપરથી છાંટવાના ખાતરોનો ઉપયોગ કરીને લાભ લ્યો
કૃષિ નિષ્ણાત પાસે તમારા જમીન અને પાણીના રિપોર્ટના આધારે ડ્રિપ માં આપવાના ખાતરનો ફર્ટિગેશન પ્રોગ્રામ અવશ્ય બનાવડાવો
આપણી મરચીને નાઇટ્રોજન તો જોઈએ જ તે યુરિયા સ્વરૂપે આપવું કે એમોનિયમ સલ્ફેટના રૂપમાં કે પછી પોટેશિયમ નાઇટ્રેટના રૂપમાં ? ક્યાં સ્વરૂપે સારું ?
નાઇટ્રોજન આપણે જમીનમાં આપીએ એટલે જમીન માં ખાતર ઉપર શું પ્રક્રિયા થાય તે તમે ખબર છે ?
ઉપર ના ચિત્ર માં બેક્ટેરિયાની હાજરી બતાવી છે , આ જમીન વિજ્ઞાન છે
દા. ત. છોડ કાંઈ યુરિયા ખાતો નથી તમે યુરિયા જમીનમાં આપ્યું તો જમીનના ઉપયોગી બેક્ટેરિયાની હાજરીમાં યુરિયા જે અમાઈડ NH2રૂપમાં છે તેને ઉપયોગી બેક્ટેરિયા યુરિયાને એમોનિયમ NH4 માં બદલશે આ જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાની હાજરીમાં થાય છે. આપણને ખબર છે જમીન જીવતી છે
ફરી વાર નોંધો કે છોડ યુરિયા ખાતો નથી, જમીન માં એમોનીફીકેશન પછી નાઈટ્રીફિકેશન થાય છે એટલે કે NH4નુ NO3નાઈટ્રેટમાં રૂપાંતરણ થાય છે ત્યારે છોડના મૂળ લઈ શકે છે એટલે કે છોડને નાઇટ્રેટ સ્વરૂપ વધારે સુલભ ગણાય. યાદ રાખો આ બધું બેક્ટેરિયાની હાજરીમાં બને છે. એટલે એ ધ્યાનમાં લેતા ઠંડી વધુ હોય ત્યારે બેક્ટેરિયા ઓછા પ્રવૃત હોય તેથી યુરીયાને બદલે એમોનિયમ સલ્ફેટ કે પોટેશિયમ સલ્ફેટ વાપરવાથી ફાયદો થાય .
મિત્રો યાદ રાખો છોડ યુરિયા ખાતો નથી તેથી યુરિયાને ગાળો આપતા નહિ પણ આભાર માનો ઉપયોગી બેક્ટેરિયાનો એટલે સેન્દ્રીય તત્વો પણ સાથે સાથે ઉમેરતા રહો અને ખાતરોનો લાભ લ્યો .