કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,
કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવા
પેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ
અથવા
ફેનપ્રોફેથરીન અથવા
મિલિબેક્ટિન અથવા
પ્રોપરગાયટ અથવા
ક્લોરાફેનપાયર અથવા
બુફ્રોફ્રેન્ઝીન અથવા
લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો
બી એ એસ એફ કંપની નવા નવા ફુગનાશક બનાવે છે અને તેથીજ આજે નવા સંશોધન કરતી કંપની ગણાય છે
કેબ્રિઓટોપ અને મેરીવોન આ બે ફુગનાશક મરચી માટે સારા છે
મેરીવોન બે ટેક્નિકલ ફ્લુક્ષાપાઈરોકસાડ અને પાયરાયક્લોસ્ટ્રોબીન નું મિશ્રણ જે અને આ ઝીઓન ટેક્નોલોજી દવારા બનવેલું છે , મરચીના પાક માટે વિવિધ રોગો સામે અસરકારક છે , એકેરે તેનું પ્રમાણ 80 મિલી છે એટલે કે અંદાજે 8 મિલી પ્રતિ પમ્પ વાપરવાની કંપની ભલામણ કરે છે
પ્રથમ છંટકાવ ફૂલ આવે ત્યારે એટલે કે ફેર રોપણી પછી 45 થી 55 દિવસે અને બીજો છંટકાવ 75 થી 80 દિવસ ની મરચી હોઈ ત્યારે કરી શકાય .....
આપણી ચેનલ માં જેમણે મેરીવોન વાપર્યું હોઈ તેમના અનુભવો મોકલો , સારા અનુભવો બીજાને પણ જણાવીએ અને આપણા બીજા મિત્રોની મરચી સારી બનાવવામાં મદદ કરીયે
મેરીવોનની વધુ વિગત માટે તમે નીચેના નંબર નોંધો
7203060219 દિશાંત સરધારા
બીજી કંપનીના ફુગનાશકના અનુભવો હવે પછી
કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે.
કથીરી પાન ફૂલ ફળમાંથી રસ ચૂસે છે. પાનને કુકડાવી નાખે છે જે ફૂલમાંથી રસ ચુસ્યો હોય ત્યાં ફળ બનતા નથી.
વધુ નુકસાન થાય તો પાન તાંબાવણૉ થઈ જાય છે્ ફળો પણ કઢંગા થઈને ખરી પડે છે. જ્યારે છોડમાં પાણીની ખેંચ હોય ત્યારે કથીરીનો ઉપદ્રવ વધુ દેખાય છે. કથીરીનું નિયંત્રણ કથીરીનાશક દવાથી કરવાનું હોય છે તે યાદ રાખો
આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ
મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો
ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ. ગરમ વાતાવરણ ૩૨ ૦ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .
ફોલીક્યુર (ટેબુકોનાઝોલ) ૩૦ મિલી પ્રતિ પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી /પંપ અથવા
બાવીસ્ટીંન + એલીએટ ૩૦ ગ્રામ /પંપ અથવા
કેમ્પેનીયન (કાર્બેન્ડેનઝીમ + મેન્કોઝેબ) ૩૦ ગ્રામ/પંપ માં નાખી થડે ડ્રેન્ચિંગ કરો.
ટ્રાઇકોડરમા વિરિડી નું ડ્રેનચિંગ કરવું