Showing posts with label હવામાન. Show all posts
Showing posts with label હવામાન. Show all posts
મરચીના પ્રત્યેક છોડને બાયોટિક અને એબાયોટિક આઘાત થી બચાવવો પડશે
આપણું ધ્યાન આપણે જીવાત ઉપર અને છોડ નબળો દેખાય તેના ઉપર ઠેરવી દીધું છે એટલે આવું દેખાય એટલે આપણે દવા વાળા ને ત્યાં દોડીએ છીએ ,
મરચીને શું તકલીફ છે ? વાતાવરણ , ટાઢ , તડકો , વધારે પાણી , જમીનમાં પાણીનો ભરાવો , ખોટી દવાનો અથવા સાચી દવાનો ખોટી દવા સાથેના મિશ્રણનો છંટકાવ આ બધું મરચીના છોડને તણાવ સ્ટ્રેશ આપે છે તેને એબાયોટીક અને બાયોટિક તણાવ કહે છે , આનો વિચાર આપણે કરવો પડશે
આજની ખેતી બ્લોગ અથવા ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા નફાકારક ખેતીની માહિતી આપના સુધી પહોંચાડવાનું અમારું કાર્ય તમને ગમતું હોઈ તો રોજ અમારો બ્લોગ વાંચો ને તમારી ખેતી સારી બનાવો ,
આજે માહિતી બ્લોગ ઉપર મુકાણી કે નહિ ? તે તમને ખબર કેમ પડે ? મુકાતી માહિતીની તમને ખબર પડેં તે માટે અમે પટેલ એગ્રોની ખેતરની વાત નામની ટેલિગ્રામની ચેનલ શરુ કરી છે તેમાં જોડાય જજો તો નવી માહિતી મુકાયા ની જાણ તમને થતી રહેશે
આજેજ તમારા મોબાઇલ માં ટેલિગ્રામ ડોઉનલોડ કરો ને તેમાં પટેલ એગ્રો સીડ્સ ની ચેનલ ખેતરની વાત માં જોઈન થાવ આ તમારે બીજા મિત્રને મોકલવું હોઈ તો પોસ્ટની નીચે સોસિયલ મીડિયાના સિમ્બોલ છે તેનો ઉપયોગ કરો અને બીજા મિત્ર ને મદદ કરો
તમારા પ્રશ્ન માટે તમને અભિનંદન,
પાણી વધુ પાવાથી,
પા્ળા ઉપર મરચી ન કરવાથી,
વિવિધ રોગ જીવાત આવે તે આપણને ખબર છે,
તે જ રીતે હિમ પડવું,
વધુ પડતું હવાનું પ્રદૂષણ.,
જમીનને પાણીના પી એચ માં અસંતુલન ,
વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,
કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,
કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,
ઘણી વખત ચીલાચાલુ સસ્તાના લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.
વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે માંગતા આવડવું જોઈએ
નહીં કે જે આપે તે છાંટવું.
આ એક ફૂગથી થતો સીનોફોરા બ્લાઈટ નામનો રોગ છે. આ ફૂગ એમનામ કોઈ લીલા છોડને લાગતો નથી. પરુંતુ તમારા છોડમાં જો ઘાવ પડ્યો હોય, કોઈ ડાળી હાલતા ચાલતા કે મજુરોના પગથી ભાંગી ગઈ હોય અથવા એક બે દિવસમાં તમે મરચા ઉતાર્યા હોય અને છોડમાં તોડાઈ ને લીધે ડીટીયું તોડ્યું ત્યાં ઘાવ થયો હોય , અથવા તો ખેત ઓજાર ચલાવતી વખતે ડાલી તૂટી હોઈ તો ત્યાંથી આ ફૂગ ખાસ કરીને ચોમાસામાં પ્રવેશ કરે છે.
એટલે એમ નથી કે મરચા ઉતારવા નહિ, પરંતુ ક્યારે ના ઉતારવા તે સમજી લ્યો જો તેવા સમયે રાત ઠંડી હોય દિવસ ગરમ હોય રાત્રે ઝાકળ આવી હોય અને બીજા દિવસે સખ્ત તાપ પડે તો આ ફૂગ મરચીના છોડના ઘાવ કે ઇઝા થઇ છે ત્યાંથી પ્રવેશ કરી આ રોગ લાવે છે. ટૂંકમાં આ રોગ માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું વાતાવરણ જવાબદાર છે.
મરચી ની ખેતી માં ખાતર કેટલું જોઈએ ? એક સાવ સરળ દાખલો આપું આવું તમને કોઈ કહેશે નહિ , તમે મરચી વાવી ને પહેલી વીણી આવી તમે 10 મણ લીલા મરચા લઇ ને યાર્ડ માં ગયા , તમે શું વેચ્યું ? તમે કહેશો મેં 10 મણ મરચા વહેંચ્યા , પણ હું કહું છું કે તમે 10 મણ મરચા નહિ 10 મણ મરચા પકાવવા વપરાયેલા એન પી કે , નાઇટ્રોજન ,ફોસ્ફોરસ ,પોટાશ અને સૂક્ષ્મ તત્વો જે તમારી જમીન માં હતા તે ઓછા થયા તે તમે યાર્ડ માં વેચવા ગયા
યાદ રાખો આપણી ઉપજ એ વિવિધ પોષક તત્વો ને કારણે પેદા થયેલું ઉત્ત્પન છે , જેટલું પેદા કરવું હશે એટલું નાખવું પડશે, મરચી ની ખેતી માં ખાતર ને તમારો સાથી સમજજો , ખાતર નાખવાનું પ્રમાણ , ક્યારે, કેટલું , કોની સાથે ક્યુ તત્વ નહિ તે જાણી રાખો પણ ખાતર વગર ની ખેતી મરચા ની ખેતી શક્ય નથી , એટલે તમે એમ નહિ સમજતા મરચી ની ખેતી માં પહેલાથીજ ખાતર આપી દેવું , જેવડું બાળક એટલો ખોરાક, નાના બાળક ને 4 વાટકા દૂધપાક પીવડાવો તો ?
ખાતર કેટલું , ક્યારે , કેવીરીતે આપવું તેની વાતો કરતા રહીશુ સારું લાગે તો જોડાયેલા રહેજો
મારો બ્લોગ વાંચજો ને વંચાવજો , આપણે જીતો ને જીતાડવા ની પ્રક્રિયામાં છીએ , જ્ઞાન વહેંચવા થી વધે
આપણે આ અગાઉ સમજ્યું છે કે એન્થ્રેકનોસ એટલે કે ડાઈબેક કે લાલ ફળોનો ડાઘીનો રોગ ક્યારે આવે ?
હવામાનના બદલાવના લીધે બે પરિસ્થિતિ સાથે થાય તો આવે
તમારી મરચીમાં એન્થ્રેકનોસનો મોટો એટેક આવી શકે છે કારણ કે આવતા 4 દિવસમાં વધુ વાદળ થવાની સંભાવના છે
જો આવું થાય અને
તાપમાન 28 સેન્ટિગ્રેડ ( ગુગલ જુવો ) અને
રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ 95 % થાય તો એન્થ્રેકનોસ નો ચેપ મરચીને લાગી શકે છે
આપણી ચેનલ માં એન્થ્રેકનોસની દવા જણાવી છે તે તમારે તાત્કાલિક ઘાટો સ્પ્રે કરવો પડશે ક્યારે ?
જો આ બે વાતો એક સાથે બને તો જ
તાપમાન 28 ડિગ્રી સેન્ટિગ્રેડ
ભેજ ની ટકાવારી 95 %
આપણી ચેનલના ખેડૂત મિત્રોએ ગુગલ વેધર જોતા રહો
થર્મોમીટર વાંચતા રહો
પ્રવીણ પટેલ
આ પોસ્ટ આજેજ વોટ્સએપથી તમારા સગા -સંબંધી -મિત્રને મોકલવા માટે અહીં નીચે સોસીઅલ મીડિયા લોગો છે તેમાં વોટ્સએપ લોગો પર ક્લિક કરી મોકલો
દવાના નામ નોંધો ,
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ
ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પમ્પ
અત્યારે વરસાદ નથી ત્યારે ડ્રિપ છે તે મિત્રો મરચીમાં ઉમર પ્રમાણે મરચીમાં પાણી વધુ આપવું પડે, ઉમર પ્રમાણે ક્રોપ ફેક્ટર બદલે, દા.ત. મરચી ફૂલે ફાલે છે અને મરચીનો વાસ્પિકરણ ક્રોપ ફેક્ટર ૧ છે તો જેટલું બાષ્પીભવન છે એટલું પાણી આપવું જરૂરી,
જો એક એકરની મરચી હોય તો ૨૦,૦૦૦ લીટર પાણી આપવું જરૂરી જેટલો વધુ ફાલ તેટલું પાણી વધારવું પણ જરૂરી.
ડ્રીપ થી પાણીનું ચોક્કસ વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરી શકાય જે લાભ ખુલ્લા પાણી માં મળતો નથી , એટલે તો હું વારંવાર કહું છુ કે ડ્રિપ વસાવો....
ખુલ્લા પાણી માં કાળજી ન લઇને રેડ પાણી એટલે કે ખુલ્લું પાણી વધુ અપાય જાય તો રોગ-જીવાત નો ઉપદ્રવ પણ વધે અને મહામૂલું પાણી બગાડે એટલે ઉપજ ઉપર તમારું ધ્યાન હોય તો વૈજ્ઞાનિક અભિગમ કેળવો, સારા મિત્રો રાખો, મારો બ્લોગ વાંચો, ડ્રિપ વસાવો , નકામા ગ્રુપ માંથી નીકળી જાવ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવો
400 x 90
--
--
ખેડૂત તરીકે હવામાન એટલે તાપમાન, ઠંડી, પવન, ભેજ, વરસાદ, પાણીની અછત વગેરેના સંદર્ભે સમજવું જોઈએ.
આ બધું ટેકનિકલ અને વધુ વૈજ્ઞાનિક ન થાય તે રીતે ફરી એકવાર સમજાવું તો દા.ત. વરસાદ પડયો છે, પડામાં પાણી ભરાયા છે, પછી તડકો તીવ્ર નીકળે છે ત્યારે શું થશે?
રોગ આવવાની શક્યતા વધી જશે. પરિપક્વ ફળ અને ફૂલ પાટલામાં ખરી પડશે. પાણીના નિકાલના અભાવે તમારી જમીનનો પી.એચ અને જમીન ભસ્મીક છે કે અમ્લીય તે છોડ પર નુકસાન દેખાડશે.
પોષક તત્વો આવા બધું ભેજવાળા મૂળ પ્રદેશ ને લીધે છોડ ઉપાડશે નહીં ઉપરથી કોઈ દવા છાંટશો તેનું પ્રમાણ યોગ્ય નહીં હોય તો નુકસાન પણ કરશે કારણ છોડ સ્વયં નબળો છે, યાદ રાખો છોડ ને તણાવમાંથી પહેલા કાઢવો પડે
તેવી જ રીતે બીજી પરિસ્થિતિમાં હવામાન કેવી રીતે નુકસાન કરે ? તે જોઈએ .
દાખલા તરીકે સાવ ઓછો વરસાદ છે ગરમી છે વાતાવરણમાં થોડો ભેજ છે છોડમાંથી ગરમીના લીધે વધુ ઉત્સવેદન વાસ્પિકરણ થાશે છોડને પાણી આપવું આવશ્યક છે પણ પાણી નથી અપાતું તો......?
છોડનો વિકાસ અટકશે પણ સાથે સાથે આવા વાતાવરણમાં જીવાતો ચૂસીયાનો એટેક વધશે તમે દવા છાંટવામાં પાણીનું પ્રમાણ ઓછું રાખશો તો ઔર નુકસાન થશે મૂળ પાણી તરસે છે તેથી તે જીવન ટકાવવા તંતુમૂળ ફેલાવશે એવા સમયે તમે પાણી હોય તો છોડ બચશે નહીંતર છોડ પોતાનામાં વિકૃતિ લાવી દેશે......
છોડ પણ જીવંત છે તેને આજુ બાજુના આઘાતો માંથી બચાવવો તે ખેડૂત તરીકે નું કામ છે , જો બચાવીએ તો છોડ ઉપજ આપવા તૈયાર છે પણ પોતેજ આઘાત માં છે ફળ ને શક્તિ આપે કે પોતે ટકી રહે ....
થ્રીપ્સને ઈંડા મુકવા છે પણ તેને કેવું વાતાવરણ થાય ? ત્યારે તે સંવનન કરે અને પછી માદા ક્યાં ઈંડા મૂકે? . સાવ સાદા દાખલા સાથે સમજીયે ,
૩-૪ ડિગ્રી તાપમાન ગઈ રાત કરતા આ રાતનું વધે તો આપણને શું થાય? ચાલો સમજીએ
દાખલા તરીકે તમે કુલર કે એસી વગરના રૂમમાં રાત્રે સુતા છો. થોડું વાતાવરણ ઠંડુ છે તમે ગોદડું ઓઢ્યું છે. રાત્રે વાદળા આવી જાય એટલે વાતાવરણ એટલે કે જમીનની ગરમી હવે ઠંડી થશે નહીં. એટલે રાત્રે તમને ગોદડુ કાઢી નાખવાનું મન થશે આવું બને ત્યારે તમે દોડીને ફળિયામાં જાવ અને જુઓ વાદળા છે? ગઈ રાત્રી કરતા આજની રાત્રિનો આ ૩-૪ ડિગ્રીનો વધારો થ્રીપ્સની નર-માદાને મેટિંગ સંવનન કરાવશે.
બીજા દિવસથી જ થ્રીપ્સની માદા ઈંડા મુકશે. ક્યાં મુકશે? પાન ઉપર સ્લીટ એટલે કે ચીરો કરીને પાનની વચ્ચે, ઈંડામાંથી બે દિવસમાં બચ્ચા બહાર આવી જશે. તમારે ઈંડાનાશક ક્યારે છાંટવાનું હોય ?
જ્યારે આગલી રાત કરતા ૩-૪ ડિગ્રી આ રાત્રે તાપમાન વધ્યું, વાદળા છે બસ તે રાતથી બે દિવસમાં તમારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીયર છાંટી શકાય, આવું વાતાવરણ જેટલીવાર થાય તેટલીવાર દવા છાંટવી પડે એ ખાસ યાદ રાખો . નહિતર બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટમીક દવા બદલવાની અથવા મોટા નુકસાન માટે તૈયાર રહેવાનું,
તમારી પાસે પાંદડામાં થ્રિપ્સ ના બચ્ચા જોવાનો બિલોરી કાચ છે ? નથી તો તમારે થ્રિપ્સ ની ફરિયાદ કરવાનો હક્ક નથી
હવે કહેતા નહીં કે હું તો બહારગામ હતો, હું ભૂલી ગયો, બીજો નથી છાંટતો હું શા માટે છાંટું? દવા વાળાએ બીજી દવા દીધી, વગેરે વગેરે
તમારી મરચી હોય તો નિર્ણય તમારો હોવો જોઈએ. અને આપણે આજદી સુધી બીજાનો નિર્ણય ચલાવ્યો હવે નિયમ આધારિત ખેતી કરી રોજના રાત્રીના તાપમાન પર નજર રાખો .
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.