મરચી લાંબા ગાળા નો પાક છે , મરચી ના જીવનકાળ દરમિયાન અલગ અલગ પાક પરિસ્થિતિ આવે છે , બીજ ઉગતા સમયે , પાક માં ફૂલ અને ફળ આવતા હોઈ ત્યારે કે મરચી ના ફળ ની પરિપક્વ અવસ્થા હોઈ આ બધા સમયે અલગ અલગ ખાતર ની કે પાણી ની જરુરીયાત હોઈ શકે , પાણી પિયત ને તો પાછું હવામાન સાથે પણ સમજવું પડે
મરચી ના બે પ્રકાર ના મૂળ હોય છે , એક પ્રાથમિક મૂળ અને બીજા દ્વિતીય એટલે કે તંતુમુલ , આ બને ને જરૂરિયાત પણ ભિન્ન ભિન્ન હોઈ છે , હવે નવી ટેક્નોલોજી આવી છે , બઝાર માં જમીન ના ભેજ માપક યંત્ર મૉઇસ્ચર મીટર એટલે કે બંને કેટેગરી ના મૂળ પાસે તે ખેતર માં એકાદ જગ્યાએ મૂકી દેવામાં આવે તો આપણ ને મોબાઈલ માં માહિતી મળે છે કે છોડ ને કેટલું પાણી જરૂર છે અથવા તો ખેંચ છે
દા ત મરચી ના પાક માં ફુલ ખુબ આવ્યા છે ગરમી પણ છે આવા સમયે પાણી ઓછું મળ્યું તો મરચી ના ફુલ નું ફલીનીકરણ નહિ થાય ને ફૂલ ખરી જશે કારણ ગરમી અને છોડ ના આવશ્યક ભેજ વગર ફુલ માં રહેલા પુંકેસર સ્ત્રીકેશર સુકાય જશે તમને થશે ફુલ ખરે છે તમે દવા લેવા દોડસો દવાવાળો તમને આલ્ફા નેપથેલિક એસિટિક એસિડ આપીને કહેશે આ છાંટો ફળ ખરતા અટકશે ? બોલો તમારું શું કહેવું છે
મરચી માં ફૂલ અને ફળ બહુ છે વધુ પાણી આપશો તો તમારી વાડીનું માઈક્રો ક્લાઈમેટ એટલે કે ખેતર માં તમે આંટો મારો તો આપણને ગરમી કે ઘામ થાય તેવું વધુ ભેજ વાળું વાતાવરણ મરચી માં રોગ લાવવા કારણભૂત બનશે , આવી પરિસ્થિતિ ને લીધે રોગ લાગશે પછી પંદર દિવસે પાંદડા માં રોગ દેખાશે ત્યારે તમે દવા લેવા દોડશો પણ કેટલા મોડા ગયા ? પંદર દિવસ મોડા ,
ટૂંક માં મરચી ની ખેતી કરવી હશે તો આંખ , કાન ખુલા રાખી ને પોતે જાતે વૈજ્ઞાનિક નિર્ણયો લેવા પડશે , ભાગિયાથી આવું નહિ થાય , મરચી ની ખેતી ભાગીયા ને ભરોસે નો થાય મારા ભાઈ , વાંચતા રહો , જીતો ને જીતાડો , બીજાને પણ સાચી સલાહ આપતા રહો , આ માહિતી ફક્ત તમારા પૂરતી સીમિત ના રાખતા તમારા વાડી વિસ્તાર ની દર શુક્રવાર ની મીટીંગ માં બોલી બતાવજો
આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
હવામાન ઉપર નજર કેમ રાખવી ? બટુકભાઈ સાવ સહેલું છે
તમારો બધા ને ઉપયોગી પ્રશ્ન બદલ આભાર , આપડે રોજ આપણી ચેનલ માં રજુ થતી પોસ્ટ દ્વારા એ તો સમજીગયા કે વાતાવરણ ના બદલાવ આવે એટલે આપણા ખેતર , આપણા પાક કે આપડા પાક ના પાન , જમીન કે આખા છોડ માં ફેરફાર થાય છે
અત્યારે ભાદરવાની ગરમી છે તો બપોરે મરચીના છોડ કેવા લંઘાઈ જાય છે , આ વાતાવરણ ના બદલાવ ની અસર છે
શું થયું છોડ માં એવું તમે વિચાર્યું ?
છોડ માં જીવ રસમાં પાણી મહત્તમ છે તે પાંદડા દ્વારા તડકાને લીધે બાષ્પીભવન એટલે કે ઉડી જાય છે તે એટલું ઉડી ગયું કે નીચે જે ભેજ છે તે પૂરતો નથી અથવા તો મૂળ નું કાર્ય નબળું છે ....
એવીજ રીતે રોગ જીવાંત આવવા માટે અનુકૂળ અને વિપરીત વાતાવરણ કે હવામાન હોઈ તે તમે નોંધો
થ્રિપ્સ : ગઈ રાત્રી ના મિનિમમ તાપમાન કરતા આજની રાત્રિનું મિનિમમ તાપમાન 3 ડિગ્રી વધારે હોઈ તો રાતે ઉઠી ને જુવો તો આકાશ માં વાદળ હોવાના , તો આવી રાત્રે થ્રિપ્સ પાનમાં ખાંચો કરી ઈંડા મુકશે , સવારે ભૂલ્યા વગર ઈંડાં નાશક ( ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટો નહીંતર બીજે દિવસે ઈંડા ફૂટી જશે તો બચ્ચા બહાર આવી જશે પછી તમારે સિસ્ટમીક છાંટવી પડશે , બોલો હવામાન ની ખબર હોઈ તો કેટલા રૂપિયા બચે , સારું લાગે તો કરજો
ભુકીછારો : ગુગલ તમને રોજ ના મિનિમમ અને મહત્તમ તાપમાન ના આંકડા આપે છે , હું તમને વળી મહત્તમ અને મિનિમમ તાપમાન માપવા 250 રૂપિયાનું થરમોમીટર વસાવા કહું છું અને એનાથી કેટલા રૂપિયા તમારા બચશે ખબર છે? તમારી વાડી નું માઈક્રો કલાયમેટ માપશે અને મહત્તમ તાપમાન અને મિનિમમ તાપમાન વચ્ચે 15 ડિગ્રી થી વધારે તફાવત જેટલી વાર થાય તેટલીવાર તેના બીજા દિવસે સલ્ફર છાંટી દ્યો અને જુવો કે તમારે મોંઘી દવામાંથી થતો ખર્ચ કેમ બચ્યો ?
આવી તો અનેક વાતો છે વાંચતા રહો મારી ચેનલ અને બ્લોગ
--
--
કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,
કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,
આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.
કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.
રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.
પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?
આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે
આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?
રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે
ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ
જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે
આટલું ધ્યાન રાખો તો મણિકા થાય
--
--
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866