કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,
કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,
આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.
કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.
રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.
કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,
કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
જે ખેડૂતો પિયત વાવસ્થાપન સરખું કરતા નહિ અને તાપમાન વખતે ખેતરમાં ભેજનું પ્રમાણ નહિવત થવાથી કથિરીનો ઉપદ્રવ વધુ થાય છે .તાપમાનના ઉતાર ચડાવ થી કથિરીનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખવું .
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવા
પેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ
અથવા
ફેનપ્રોફેથરીન અથવા
મિલિબેક્ટિન અથવા
પ્રોપરગાયટ અથવા
ક્લોરાફેનપાયર અથવા
બુફ્રોફ્રેન્ઝીન અથવા
લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો
બી એ એસ એફ કંપની નવા નવા ફુગનાશક બનાવે છે અને તેથીજ આજે નવા સંશોધન કરતી કંપની ગણાય છે
કેબ્રિઓટોપ અને મેરીવોન આ બે ફુગનાશક મરચી માટે સારા છે
મેરીવોન બે ટેક્નિકલ ફ્લુક્ષાપાઈરોકસાડ અને પાયરાયક્લોસ્ટ્રોબીન નું મિશ્રણ જે અને આ ઝીઓન ટેક્નોલોજી દવારા બનવેલું છે , મરચીના પાક માટે વિવિધ રોગો સામે અસરકારક છે , એકેરે તેનું પ્રમાણ 80 મિલી છે એટલે કે અંદાજે 8 મિલી પ્રતિ પમ્પ વાપરવાની કંપની ભલામણ કરે છે
પ્રથમ છંટકાવ ફૂલ આવે ત્યારે એટલે કે ફેર રોપણી પછી 45 થી 55 દિવસે અને બીજો છંટકાવ 75 થી 80 દિવસ ની મરચી હોઈ ત્યારે કરી શકાય .....
આપણી ચેનલ માં જેમણે મેરીવોન વાપર્યું હોઈ તેમના અનુભવો મોકલો , સારા અનુભવો બીજાને પણ જણાવીએ અને આપણા બીજા મિત્રોની મરચી સારી બનાવવામાં મદદ કરીયે
મેરીવોનની વધુ વિગત માટે તમે નીચેના નંબર નોંધો
7203060219 દિશાંત સરધારા
બીજી કંપનીના ફુગનાશકના અનુભવો હવે પછી
આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ
મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો
પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?
આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે
આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?
રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે
ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ
જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે
આટલું ધ્યાન રાખો તો મણિકા થાય
--
--
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866