આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા






જો તમારે આવતા વર્ષે મરચીની આધુનિક ખેતી કરવી હોઈ તો તમારે 
આપણા વિસ્તારના વાતાવરણને સમજીને મરચીની ખેતી કરવામાં આવે તો સારો લાભ થાય છે. મરચીની ખેતી માં આવેલી નવી ટેક્નિક જેવી કે પાળા એટલે કે રેઈઝબેડ , મલચીંગ , ડ્રિપ અને સ્ટેકીંગ એટલે કે છોડને ટેકો આટલું કરવામાં  આવે તો મરચીની ખેતીમાં સારું ઉત્પાદન લેતા આપણને કોઈ રોકી શકે નહિ .

રહી વાત બીજ પસંદગીની બીજ કંપનીઓ  બીજ વેચવા જાત જાતના નુસખા કરે છે બે કંપની તો બીજ નથી નથી કરીને ખેડૂતોને એવું સમજાવે છે કે નથી મળતું તે સારું છે અને સીઝન પુરી થાય તોય તેને જથ્થો  ઘટતો નથી ખાલી બોલવાના અને ચાવવાના દાંત જુદા છે બોલો , બઝારમાં બીજી પણ સારી જાતો છે જેમાં રોગ જીવાત સામે પ્રતીકારકતા  છે પણ ખેડૂત મિત્રો આંખે પાટા બાંધી લે પછી તેને કેમ દેખાય ? 


જાગો  ખેડૂત જાગો 

તમે આપણી ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત સાથે રોજ થોડો સમય ફાળવવો  ,તો મરચીની ખેતીમાંથી આવતા વર્ષે સારી આવક કરીને કમાણી થઇ શકે છે..

 મરચીના રોગો થી ગભરાવાની જરૂર નથી જરૂર છે સાચી માહિતીની , જે તમને ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત દ્વારા  વિના મુલ્યે મળે છે





-- --











મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની સેલમ મરચીમાં ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ SHU હોય છે. સ્કોમ બોનનેટ ગ્રુપ માં આવતી મરચીમાં ૧,૦૦,૦૦૦ થી ૩,૫૦,૦૦૦ SHU હોય છે. જ્યારે નાગા જોલેકીયા જેને ભૂત જોલેકીય અથવા કોબ્રા મરચી કહે છે તેમાં ૧૦,૦૦,૦૦૦ દસ લાખ SHU હોય જે આસામ અને બાંગ્લાદેશમાં થાય છે. તે દવા માટે પણ વિદેશ માં નિર્યાત થાય છે.

આપણે ત્યાં આ બધી શ્રેણીમાં હવે હાઈબ્રીડ જાતો વિવિધ કમ્પનીની આવી ગઈ છે તેથી આપણે ત્યાં મળતી બધી મરચીના બીજ તીખાશ પ્રમાણે ઉપરના કોઈ ગ્રુપમાં આવતી હોય છે. ટૂંકમાં SHU દ્વારા તેની તીખાશના યુનિટ દ્વારા જાણી શકાય છે.આપણે ત્યાં મઘ્યમ તીખાશ વળી મરચીના વાવેતર વધુ થતા હતા હવે કંપની દ્વારા કલર વેલ્યુના આધારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એટલે મહિકોની તેજા અને તેજસ્વનીના તથા યુનિ વેજ ની અમિતા અને અનિતા અનુક્રમે મધ્યમ તીખી અને અનિતા માં કલર વેલ્યુ સારી છે એવીજ રીતે ડોક્ટર ઢોલરીયા ની સંશોધિત સેફાયર 936 માધ્યમ તીખી અને કલર વેલ્યુ માં સારી છે  વધુ વિગત માટે પૂછો 9825229766



























મચ્છરદાની શું કામ રાખવાની હોય ? 
મચ્છર ન કરડે એટલા માટે , 
મચ્છર કરડે તો શું થાય ? 
મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે ,

એવું જ મરચીની ખેતીમાં છે , 
મરચીમાં વાયરસ કેમ લાગે ?  
મરચીનો રોપ 35 થી 45 દિવસ નો થાય ત્યાં સુધી બાળકની જેમ ખાસ ધ્યાન રાખવું પડે. તે માટે હવે બઝારમાં 40 થી 50  મેશની ઇન્સેકટ નેટ અથવા ગ્રો કવર આવે  છે તે લગાડી હોય તો વ્હાઈટફ્લાઈ, થ્રીપ્સ, મોલો  મરચીના પાનને કરડશે નહિ , જો કરડશે તો રોપ માં વાયરસ લાગી જશે અને ફેરરોપણી પછી આપણી મરચીમાં વાયરસના લક્ષણ દેખાશે .

 ફેરરોપણી પછી થોડો સમય ગ્રો કવર લગાડીયે તો ચૂસીયા દ્વારા બચી શકાય ચૂસિયાં દ્વારા જો રોપમાં કે નાના છોડમા વાયરસ આવી ગયો એટલે જેમ  મચ્છર કરડે તો મલેરિયા થાય તેવુંજ સફેદમાખી કરડે તો કુક્ડ આવે . ટૂંકમાં યાદ રાખો  ચુસીયા લાગ્યા એટલે વાયરસ આવવાનો.

યાદ રાખો કુક્ડ એટલે વાયરસ અને વાયરસ માટે જરૂરી છે ચુસીયા જીવાત નું સેનિટાઇઝેશન , સોસીયલ ડિસ્ટન્સ એટલે કે બહુ ઘાટું વાવેતર નહિ  અને સમયસર પગલાં .

ઇન્સેક્ટ નેટ અને ગ્રો કવર માટે વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 

-- --











મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ?
કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ?

મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે

સારું નીવડેલું બિયારણ ,
પાળા ઉપર મરચી ,
મ્લચીંગ ,
ડ્રિપ અને સારા ફૂગનાશક અને
ફર્ટીગેશન

મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ? 

1- એક તો તમે જાતે આ વર્ષે અત્યારે જે ખેડૂતો સફળ છે તેને મળો અથવા ફોન કરી માહિતી મેળવતા રહો અને તમારી ડાયરી માં નોંધો

2-  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વિના મુલ્યે મોબાઈલમાં વાંચતા રહો અને અમલ કરતા રહો

3- સ્માર્ટ કૃષિ મિત્ર ચીલી ક્લબ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમારું નામ નોંધાવવા આજેજ ફોન કરો 9825229966

4- કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ ભરો , અથવા મરચી વિશેષાંક ભાગ  ખરીદો  તમારી મરચીની ખેતીમાટે ખુબ ઉપયોગી આ વિશેષ અંક આખી સીઝન તમને તમારા મરચીને લગતા મુંજવતા દરેક સવાલ ના સચિત્ર જવાબ મળશે, વધુ વિગત માટે કૃષિ વિજ્ઞાન વોટ્સએપ ગ્રુપમાં જોડાવા 9825229966 ઉપર કૃષિ અથવા krushi લખી લિંક મેળવો

5- પાળા ઉપર મરચાની ખેતીમાં ઘણા રોગો સામે રક્ષણ મળતું હોવાથી મરચીના ખેડૂતો અપનાવી રહ્યા છે તે પદ્ધતિને કંટ્રોલ ટ્રાફિક ટીલેજ કહે છે.

6: મરચીનું સારું બીજ કોને કહેવાય ? ગયા વર્ષે 8-10 નવી જાતો આવી તેમાં રોગ જીવાતના ઉપદ્રવ ઓછા રહ્યા અને બીજું મરચાની ક્વાલિટી બહુ સારી થઇ કારણ કે એન્થ્રેકનોઝ ડાઘી ઓછી આવી , આ બિયારણ મળે તો જરૂર વાવજો , તમે નામ લખી લો ,

 

ખોખા સારા કરવા  માટે યુનિ વેજ -અમિતા અને લાલ પાવડરના કલર અને વધુ ભાવ માટે યુનિ વેજ અનિતા , નજીકના ડિલરને કહેશો તો તમને કહેશે એના બદલે આ લઇ જાવ ત્યારે કહેજો અમિતા અને અનિતા હોય તો આપ નહીંતર આ હાલ્યો એટલે આપશે 

 જો તમે ફેસબુક ધરાવતા હો તો આજેજ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો






મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ?
છોડ સુકાતો નથી ને ?
પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ?
ટપકા કેવા છે?
વાયરસના લક્ષણ છે ?
પાંદડા કેવી રીતે વળ્યા છે ?
પાંદડા તાંબાવર્ણતો નથી થયાને ?
વગેરે પ્રશ્નો થવા જોઈએ.

પૂછતાં પંડિત થવાય

400 x 90


તમારે ખુશ થવું જોઈએ કે તમારો પાડોશી વધુ સારું ઉત્પાદન લે છે,

તેની સાથે દોસ્તી કરો, 

અઠવાડિયે એકવાર તેની સાથે ચા પીવો,

મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે વિવિધ કારણો હોય છે તમારે શું ઘટે છે શોધી કાઢો.

આપણી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો અને પાણી પહેલા પાળ બાંધો




-
Crop Scouting Services: More Than Just A Scout - Crop Quest




મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .

કેમ ?

હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે

બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !

એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?

એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા

મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય







-- --
Book your Advt Here 400 x 90











કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,

કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,

આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.

કથીરી માટે સલ્ફર  એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.

રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.
















કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,

કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
જે ખેડૂતો પિયત વાવસ્થાપન સરખું કરતા નહિ અને તાપમાન વખતે ખેતરમાં ભેજનું પ્રમાણ નહિવત થવાથી કથિરીનો ઉપદ્રવ વધુ થાય છે .તાપમાનના ઉતાર ચડાવ થી કથિરીનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખવું .

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવા
પેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ

અથવા

ફેનપ્રોફેથરીન અથવા

મિલિબેક્ટિન અથવા

પ્રોપરગાયટ અથવા

ક્લોરાફેનપાયર અથવા

બુફ્રોફ્રેન્ઝીન અથવા

લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો





400 x 90



બી એ એસ એફ કંપની નવા નવા ફુગનાશક બનાવે છે અને તેથીજ આજે નવા સંશોધન કરતી કંપની ગણાય છે 

કેબ્રિઓટોપ અને મેરીવોન આ બે ફુગનાશક મરચી માટે સારા છે


મેરીવોન બે ટેક્નિકલ ફ્લુક્ષાપાઈરોકસાડ અને પાયરાયક્લોસ્ટ્રોબીન નું મિશ્રણ જે અને આ ઝીઓન ટેક્નોલોજી દવારા બનવેલું છે , મરચીના પાક માટે વિવિધ રોગો સામે અસરકારક છે , એકેરે તેનું પ્રમાણ 80 મિલી છે એટલે કે અંદાજે 8 મિલી પ્રતિ પમ્પ વાપરવાની કંપની ભલામણ કરે છે

પ્રથમ છંટકાવ ફૂલ આવે ત્યારે એટલે કે ફેર રોપણી પછી 45 થી 55 દિવસે અને બીજો છંટકાવ 75 થી 80 દિવસ ની મરચી હોઈ ત્યારે કરી શકાય .....


આપણી ચેનલ માં જેમણે મેરીવોન વાપર્યું હોઈ તેમના અનુભવો મોકલો , સારા અનુભવો બીજાને પણ જણાવીએ અને આપણા બીજા મિત્રોની મરચી સારી બનાવવામાં મદદ કરીયે


મેરીવોનની વધુ વિગત માટે તમે નીચેના  નંબર નોંધો

7203060219 દિશાંત સરધારા 

બીજી કંપનીના ફુગનાશકના અનુભવો હવે પછી







Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચીમાં ભૂકીછારો - પાઉડરી મીલ્ડ્યું .
  • મારી મરચીમાં પાંદડા ખરી જાય છે ક્યાં કારણને લીધે પાંદડા ખરે?
  • પાઉડરી મીલ્ડ્યું કૃષિ વિજ્ઞાન નું પાનું
  • ચીલી કી પાઠશાલા : ખેતીમાં આપણા હાથમાં શું છે ?
  • થ્રિપ્સ : થ્રીપ્સના નિયંત્રણ માટે બઝારમાં મળતી દવા કઈ કઈ છે ? 8
  • સફેદ માખી
  • મરચીની ખેતીમાં લાલ મરચા કરતા ખેડૂતને પજવનારો રોગ એટલે એન્થ્રેકનોઝ -2
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • મરચીની આવતા વર્ષની નફાકારક ખેતી માટે તમારે ક્યુ બીજ લેવું તે આજે નક્કી કરો
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates