જો તમારે આવતા વર્ષે મરચીની આધુનિક ખેતી કરવી હોઈ તો તમારે
આપણા વિસ્તારના વાતાવરણને સમજીને મરચીની ખેતી કરવામાં આવે તો સારો લાભ થાય છે. મરચીની ખેતી માં આવેલી નવી ટેક્નિક જેવી કે પાળા એટલે કે રેઈઝબેડ , મલચીંગ , ડ્રિપ અને સ્ટેકીંગ એટલે કે છોડને ટેકો આટલું કરવામાં આવે તો મરચીની ખેતીમાં સારું ઉત્પાદન લેતા આપણને કોઈ રોકી શકે નહિ .
રહી વાત બીજ પસંદગીની બીજ કંપનીઓ બીજ વેચવા જાત જાતના નુસખા કરે છે બે કંપની તો બીજ નથી નથી કરીને ખેડૂતોને એવું સમજાવે છે કે નથી મળતું તે સારું છે અને સીઝન પુરી થાય તોય તેને જથ્થો ઘટતો નથી ખાલી બોલવાના અને ચાવવાના દાંત જુદા છે બોલો , બઝારમાં બીજી પણ સારી જાતો છે જેમાં રોગ જીવાત સામે પ્રતીકારકતા છે પણ ખેડૂત મિત્રો આંખે પાટા બાંધી લે પછી તેને કેમ દેખાય ?
જાગો ખેડૂત જાગો
તમે આપણી ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત સાથે રોજ થોડો સમય ફાળવવો ,તો મરચીની ખેતીમાંથી આવતા વર્ષે સારી આવક કરીને કમાણી થઇ શકે છે..
મરચીના રોગો થી ગભરાવાની જરૂર નથી જરૂર છે સાચી માહિતીની , જે તમને ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત દ્વારા વિના મુલ્યે મળે છે
--
--
મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની સેલમ મરચીમાં ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ SHU હોય છે. સ્કોમ બોનનેટ ગ્રુપ માં આવતી મરચીમાં ૧,૦૦,૦૦૦ થી ૩,૫૦,૦૦૦ SHU હોય છે. જ્યારે નાગા જોલેકીયા જેને ભૂત જોલેકીય અથવા કોબ્રા મરચી કહે છે તેમાં ૧૦,૦૦,૦૦૦ દસ લાખ SHU હોય જે આસામ અને બાંગ્લાદેશમાં થાય છે. તે દવા માટે પણ વિદેશ માં નિર્યાત થાય છે.
આપણે ત્યાં આ બધી શ્રેણીમાં હવે હાઈબ્રીડ જાતો વિવિધ કમ્પનીની આવી ગઈ છે તેથી આપણે ત્યાં મળતી બધી મરચીના બીજ તીખાશ પ્રમાણે ઉપરના કોઈ ગ્રુપમાં આવતી હોય છે. ટૂંકમાં SHU દ્વારા તેની તીખાશના યુનિટ દ્વારા જાણી શકાય છે.આપણે ત્યાં મઘ્યમ તીખાશ વળી મરચીના વાવેતર વધુ થતા હતા હવે કંપની દ્વારા કલર વેલ્યુના આધારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એટલે મહિકોની તેજા અને તેજસ્વનીના તથા યુનિ વેજ ની અમિતા અને અનિતા અનુક્રમે મધ્યમ તીખી અને અનિતા માં કલર વેલ્યુ સારી છે એવીજ રીતે ડોક્ટર ઢોલરીયા ની સંશોધિત સેફાયર 936 માધ્યમ તીખી અને કલર વેલ્યુ માં સારી છે વધુ વિગત માટે પૂછો 9825229766
મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ? છોડ સુકાતો નથી ને ?
પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ?
ટપકા કેવા છે?
વાયરસના લક્ષણ છે ?
પાંદડા કેવી રીતે વળ્યા છે ?
પાંદડા તાંબાવર્ણતો નથી થયાને ?
વગેરે પ્રશ્નો થવા જોઈએ.
પૂછતાં પંડિત થવાય
મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય
--
--
કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,
કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,
આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.
કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.
રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.
કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,
કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
જે ખેડૂતો પિયત વાવસ્થાપન સરખું કરતા નહિ અને તાપમાન વખતે ખેતરમાં ભેજનું પ્રમાણ નહિવત થવાથી કથિરીનો ઉપદ્રવ વધુ થાય છે .તાપમાનના ઉતાર ચડાવ થી કથિરીનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખવું .
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨0 મીલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મીલી/ પંપ અથવા
પેગાસસ (ડાયફ્રેન્થુરોન) ૨૫ મીલી/ પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૦ મીલી/ પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઈટ) ૪૦ મીલી/પંપ
અથવા
ફેનપ્રોફેથરીન અથવા
મિલિબેક્ટિન અથવા
પ્રોપરગાયટ અથવા
ક્લોરાફેનપાયર અથવા
બુફ્રોફ્રેન્ઝીન અથવા
લેમડા સાઈહલોથરીન નો પ્રયોગ વારાફરતી કરવો
બી એ એસ એફ કંપની નવા નવા ફુગનાશક બનાવે છે અને તેથીજ આજે નવા સંશોધન કરતી કંપની ગણાય છે
કેબ્રિઓટોપ અને મેરીવોન આ બે ફુગનાશક મરચી માટે સારા છે
મેરીવોન બે ટેક્નિકલ ફ્લુક્ષાપાઈરોકસાડ અને પાયરાયક્લોસ્ટ્રોબીન નું મિશ્રણ જે અને આ ઝીઓન ટેક્નોલોજી દવારા બનવેલું છે , મરચીના પાક માટે વિવિધ રોગો સામે અસરકારક છે , એકેરે તેનું પ્રમાણ 80 મિલી છે એટલે કે અંદાજે 8 મિલી પ્રતિ પમ્પ વાપરવાની કંપની ભલામણ કરે છે
પ્રથમ છંટકાવ ફૂલ આવે ત્યારે એટલે કે ફેર રોપણી પછી 45 થી 55 દિવસે અને બીજો છંટકાવ 75 થી 80 દિવસ ની મરચી હોઈ ત્યારે કરી શકાય .....
આપણી ચેનલ માં જેમણે મેરીવોન વાપર્યું હોઈ તેમના અનુભવો મોકલો , સારા અનુભવો બીજાને પણ જણાવીએ અને આપણા બીજા મિત્રોની મરચી સારી બનાવવામાં મદદ કરીયે
મેરીવોનની વધુ વિગત માટે તમે નીચેના નંબર નોંધો
7203060219 દિશાંત સરધારા
બીજી કંપનીના ફુગનાશકના અનુભવો હવે પછી