આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

Farmer Advise. 

આપણે આ અગાઉ સમજ્યું છે કે એન્થ્રેકનોસ એટલે કે ડાઈબેક કે લાલ ફળોનો ડાઘીનો રોગ ક્યારે આવે ?

હવામાનના બદલાવના લીધે બે પરિસ્થિતિ સાથે થાય તો આવે 

તમારી મરચીમાં એન્થ્રેકનોસનો મોટો એટેક આવી શકે છે 



 
તાપમાન 28 સેન્ટિગ્રેડ ( ગુગલ જુવો )  અને
રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ 95 % થાય તો એન્થ્રેકનોસ નો ચેપ મરચીને લાગી શકે  છે


આપણી ચેનલ માં એન્થ્રેકનોસની દવા જણાવી છે તે તમારે તાત્કાલિક ઘાટો સ્પ્રે કરવો પડશે ક્યારે ? 

જો આ બે વાતો એક સાથે બને તો જ 


તાપમાન 28 ડિગ્રી સેન્ટિગ્રેડ
ભેજ ની ટકાવારી 95 %


આપણી ચેનલના ખેડૂત મિત્રોએ ગુગલ વેધર જોતા રહો
થર્મોમીટર વાંચતા રહો

પ્રવીણ પટેલ


આ પોસ્ટ આજેજ વોટ્સએપથી તમારા સગા -સંબંધી -મિત્રને મોકલવા માટે અહીં નીચે સોસીઅલ મીડિયા લોગો છે તેમાં વોટ્સએપ લોગો પર ક્લિક કરી મોકલો

દવાના નામ નોંધો ,

નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ

ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પમ્પ 



-- --









વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો 


વધુ વિગત અને કુરિયેર થી પીએસએપી મંગાવવા 
9825229766 અથવા 9825229966






આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.





This is the flower of a Chinese White chilli plant


આપણને ખબર છે ખુબ વરસાદથી જ્યાં પાણી ભરાય રહેતું હોય તેવી જમીનમાં કપાસ હોઈ કે મરચી કે પછી મગફળી કોઈ પણ પાક નબળો પડી જાય , કેમ ? ચાલો વિજ્ઞાન ને સમજીયે

જમીન માંથી જમીનનો ઓક્સિજન બહાર નીકળી ગયો, નીચેના મુળિયા સતત પાણીમાં રહેવાથી કામ કરતા બંધ થયા, ઉપરના મુળિયાને થોડી થોડી ભેજ અને હવા મળતી હતી તેથી ઉપર ઉપર ના તંતુ મૂળ વધ્યા , જોજો આવા મૂળ તમને જમીન ની ઉપર ની સપાટી પર પણ દેખાશે, સમજાયું તમને

યાદ રાખજો , આવા તંતુ મૂળ ને લીધે છોડ ટકી રહ્યો હતો તડકો પડ્યો એટલે ઉપરની જમીન સુકી થઇ ત્યાંથી મૂળને જે પોષણ મળતું હતું તે બંધ થયું,

શું થશે ?

ઉપરના તંતુ મૂળ થી છોડ જીવતો હતો ત્યાં ભેજ ચાલ્યો ગયો અને પણ નીચે તો ભેજ બહુ છે તેથી ત્યાંથી તો મરચી ના મૂળ ખોરાક લઇ સકતા નથી, નીચેના મૂળ તો કામ કરતા નથી કારણ કે ઊંડો ભેજ પુષ્કળ છે,

ઉપરના મૂળને જરૂરીયાત મુજબનો ભેજ આપો , આવું ફક્ત ડ્રિપ વાળા ખેડૂત કરી શકે .જે ખુલ્લા પાણીથી શક્ય નથી. આને ટેકનીકલ ઈરીગેશન કહે છે. અડધો કલાક ડ્રીપ થી પાણી આપો. પાલર પાણી ઉતારતા નહિ નહીંતર શું થશે ખબર છે ?

આજે સમજાય છે ટપક ની કિંમત ,

છોડને બચાવી રાખો જો મોટું પિયત આપશો કે વધુ વરસાદ પડશે  તો ફાયટોપ્થોરા લાગી જશે.


સોસીઅલ મીડિયા પાર વગર ના ગ્રુપ છે, આપણા ગ્રુપ ની વૈજ્ઞાનિક માહિતી તમને ગમતી હોઈ તો બીજા નું પણ ભલું થાય તેવું કરજો , સારું મળે તેને એકલું નહિ ખાતા , જીતો ને જિતાડો -

બીજા ની ખેતી પણ સારી ખેતી થશે તો તમને ભાવ નહિ મળે તે વાત ને મન માંથી કાઢી નાખજો

ક્વોલિટી બનાવો

🌿



આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 













બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે બેક્ટેરિયા થી થતો સુકારો


મરચીનો આ સુકારો બેક્ટેરિયાથી થાય છે. ફૂગથી થતો સુકારો અને બેક્ટેરિયાથી થતો સુકારો અલગ અલગ હોય છે.

બેક્ટેરીયલ વિલ્ટનો સુકારો નીચેના પાન પીળા પડવાનું શરુ થાય છે અને એકા એક કાયમી માટે આખો છોડ સુકાય જાય છે. આખો છોડ પીળો પણ નથી પડ્યો હોતો ને લીલેલીલો છોડ સુકાય જાય છે. મૂળિયું ચીરતા તેના થડમાં ભૂખરા કલરનો ભાગ જોવા મળે છે એટલે કે અચાનક તેના મૂળ પાણી ખેંચવાનું બંધ કરી દે છે. આ જમીનજન્ય બેક્ટેરિયા થી થતો સુકારો છે.

જુના મૂળ અને થડમાં લાંબા સમય સુધી આ રોગ સચવાઈ રહે છે તેથી મરચીવાળા ખેતરમાં મરચી વાવવી નહિ. આ રોગ આવવાનુ કારણ ખેતી કરતી વખતે કે નીમેટોડ ડંખ થી કે જમીનજન્ય જીવાતના મૂળમાં પડતા ઘાવને લીધે ત્યાંથી આ રોગ દાખલ થાય છે.

ખુબ ઊંચું તાપમાન અને વધુ પડતો ભેજ આ રોગના ફેલાવા માટે જવાબદાર છે, પાણી દ્વારા પણ આ બેક્ટેરિયા બીજા છોડમાં સુધી ફેલાઈ શકે છે. પ્રથમ ચિહ્ન દેખાય ત્યારે તુરત જ મૂળ પાસે બેક્ટેરીસાઈડ જેવી કે એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાય્ક્લીન) ૧૨ ગ્રામ/ પંપ અથવા કોપર + ફોઝેટાઈલ ૩૦ ગ્રામ/ પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ડ્રેન્ચિંગ કરવું.

400 x 90

આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા ૧ નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે  ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા  કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....




-- --








તમને ખબર પડી કે  મરચીની ખેતીમાં સફળ થટાયેલ ખેડૂતો એ માહિતી ક્યાંથી મેળવી ? 

ખેતરની વાત નામની ટેલિગ્રામ ચેનલ ના 1690 થી વધુ ખેડૂતોએ ગયા  વર્ષે બીજા કરતા મરચીના ઉત્પાદન લેવામાં આગળ રહીને સૌથી વધુ ઉત્પાદન લાવ્યા તે આપણા માટે આનંદની વાત છે , સૌને અભિનંદન ,

મરચીમાં વધુ ઉત્પાદન લેવાની માહિતી , નવી ખેતી પદ્ધતિ , નવી ટેક્નોલોજી વગેરે  તમને ટેલિગ્રામ ચેનલ દ્વારા જણાવતો રહીશ ,


મરચીની વૈજ્ઞાનિક ખેતીની અતથી ઇતિ માહિતી તમારી પાસે હોવી જોઈએ  મરચી ની પાઠશાળા તમારી પાસે રહે , આજેજ તમે કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરી લેજો તેમાં તમને રોજ રોજ ખેતી વિશે ઘણું  વાંચવા મળશે


કૃષિ વિજ્ઞાન નું વાર્ષિક લવાજમ 399 છે પરંતુ તમારે વિના મુલ્યે વાંચવું હોય તો આજેજ 9825229966  વોટ્સએપ કરીને જોડાઈ .

 




-- --







Better Management Practices for Cotton Cultivation



મરચીની ખેતીમાં એકરે 10 ટન ગળતીયું, સારી રીતે કોહવાયેલ ખાતરનો પ્રયોગ કરવો જોઈએ.

મરચીને સારા સેન્દ્રીય તત્વોની આવશ્યકતા છે એટલે કાચું વાપરશો નહીં , જો પાળા ઉપર ખેતી કરતા હો તો પાળા જ્યાં બનવાના છે તેની નિશાની ચુના પાવડર થી કરીને મજૂરો ને સગવડતા રહે તેવી વ્યવસ્થા કરો બધે સરખા પ્રમાણમાં કોહવાયેલું ગળતિયું ખાતર સરખી રીતે નાખવાનો પ્રયત્ન કરો. ક્યાંક ઓછું તો ક્યાંક વધુ એવું નહિ ,

છાણીયું ખાતર નાખવાથી જમીનમાં શું પ્રક્રિયા થાય છે તે સમજી લ્યો , છાણીયા ખાતર નાખી દીધા પછી જયારે જમીનને પાણી મળે એટલે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે તેથી વાવણી અથવા તો ફેરરોપણી પહેલા 15 દિવસ અગાઉ ખાતર આપીને એક પિયત આપી દેવાથી સારું રહેશે નહીંતર ઉગતા છોડને કાર્બન નુકશાન કરે છે એટલે સાચી પદધતિ એ છે કે ખાતર નાખ્યા પછી પાણી આપીને જમીનને 15 દિવસનો સમય આપવો જોઈએ અથવા ૧૫ દિવસ પછી વાવણી કરવી જોઈએ.

પાળા માં છાણીયું ભર્યું હોય ત્યારે રોપને ફેર રોપણી કરતા પહેલા પાળા ને પિયત આપી ઓરવી નાખવા જોઈએ અને પૂરતો સમય પછી ફેરરોપણી કરવી જોઈએ .



400 x 90



-- --


































મરચીમા લાગતો સુકારાનો રોગ પીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારકને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે. રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એ પ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, ગાદીકયારાની જગ્યા સારી પસંદ કરી ? 

રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો, બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપના થડે થડે ડ્રેન્ચિંગ કરો , ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે. 

તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળાને આપીને રોપ નર્સરીમા તૈયાર કરાવતા હો તો જે નર્સરી ઇન્સેક્ટ નેટનો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોય  તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી તમે આપેલ બીજમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આવતા વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે






મરચીની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ને બદલે  સારા નિતાર વાળી જમીન માફક  છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથેની જમીન હોય તે પડું પસંદ કરાય

તમારી જમીન નો પી એચ 6.5 થી 7.5 સુધી નો હોઈ તેવી જમીન માં મરચી નો પાક સારો થાય છે , મરચી માટે જમીન ની પસંદગીની વાત છે ત્યારે એટલું યાદ રાખો કે મરચી માં જમીનજન્ય રોગકારક જેવાકે ફુગ , વાયરસ , બેક્ટેરિયા લાગવાની શક્યતા વધુ છે તેથી જમીનની પસંદગી સારી કરો તમે બીજી જમીન પસંદ કરીના શકો તેમ હો તો એટલું તો કરી શકોને કે જ્યાં મરચી વાવેતર કરવાની છે ત્યાં ટામેટા , રીંગણાં , બટેટા , કપાસ કે સોયાબીન નું વાવેતર છેલ્લા 3 વર્ષ માં ના કરેલું હોય ,

પાક ફેરબદલી એટલે જરૂરી છે કે જમીનજન્ય રોગો તાજેતરના પાક માં ઓછા નુકશાન કરે , યાદ છે આપણે આ અગાવ કીધું તું કે અત્યારે કોઈ  પાક પૂરો થાય તેમ હોય તો તે પાકના  જડીયાનો સંપૂર્ણ નિકાલ કરવા તરતજ ગ્લયફોસેટ છાંટી ને નાબૂદ કરી દો ,

હવે તમે કહેશો અમારે તો કપાસ વાળું પડું છે અને સાંઠી ખેંચી લીધા પછી ખેતર તપેલું છે , ઊંડી ખેડ કરી છે , છાણીયું પૂરું ભર્યું છે તો તમને કહેવાનું કે તો પણ તમારે જમીનજન્ય રોગ આવશે , જો તમારી જમીનમાં ગયા વર્ષે ફાયટોપથોરા આવેલ હોય તો તે જમીનમાં મરચી આવર્ષે કરતા નહિ , મરચી માં ફાયદો લેવો હોઈ તો પાળા કરી મરચી વાવજો , બાકી પાક ફેરબદલી કરવી જરૂરી છે

આ વર્ષના અનુભવે આવતા વર્ષે પણ મરચીની ખેતી સારી થશે તો આજથીજ નક્કી કરો કે ખેતરની વાત ચેનલ સાથે જોડાઈને આવતા વર્ષની ખેતી પાળા ઉપર,મ્લચીંગ , ટેકા પદ્ધતિથી કરીને ખૂબસારું ઉત્પાદન લેવું છે , તો કરો તૈયારી

વાંચતા રહો આપણી મરચીની ચેનલ ખેતરની વાત




Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • મરચીમાં ભૂકીછારો - પાઉડરી મીલ્ડ્યું .
  • મારી મરચીમાં પાંદડા ખરી જાય છે ક્યાં કારણને લીધે પાંદડા ખરે?
  • પાઉડરી મીલ્ડ્યું કૃષિ વિજ્ઞાન નું પાનું
  • ચીલી કી પાઠશાલા : ખેતીમાં આપણા હાથમાં શું છે ?
  • થ્રિપ્સ : થ્રીપ્સના નિયંત્રણ માટે બઝારમાં મળતી દવા કઈ કઈ છે ? 8
  • સફેદ માખી
  • મરચીની ખેતીમાં લાલ મરચા કરતા ખેડૂતને પજવનારો રોગ એટલે એન્થ્રેકનોઝ -2
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • થ્રિપ્સ - ચુસીયા જીવાત
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates