આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા


























ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ. 


ગરમ વાતાવરણ ૩૨ ૦ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .



ફોલીક્યુર (ટેબુકોનાઝોલ) ૩૦ મિલી પ્રતિ પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી /પંપ અથવા
બાવીસ્ટીંન + એલીએટ ૩૦ ગ્રામ /પંપ અથવા
કેમ્પેનીયન (કાર્બેન્ડેનઝીમ + મેન્કોઝેબ) ૩૦ ગ્રામ/પંપ માં નાખી થડે ડ્રેન્ચિંગ કરો.

ટ્રાઇકોડરમા વિરિડી નું ડ્રેનચિંગ કરવું





મરચીની ખેતીમાં વાયરસ આવતો અટકાવવા પહેલું પગથીયું છે મરચીના બીજ માંથી તૈયાર થતા રોપના શરૂઆતના દિવસોની પુરેપુરી કાળજી એટલે કે બીજમાંથી રોપ તૈયાર થાય તે પ્રથમ ૩૦ થી ૪૫ દિવસ રોપ ઉછેર વખતે એક પણ પ્રકારની ચુસીયા જીવાત રોપમાં લાગવી જોઈએ નહિ તે માટે જરૂર પડે તો જ્યાં નર્સરી એટલે કે રોપ ઉછેર કર્યો છે ત્યાં રોપ ને ઇન્સેક્ટ નેટ (૬૦ થી ૮૦ મેશની નાઈલોન નેટ) ની અંદર કરો,

નર્સરી રોપ જ્યાં કર્યો છે તે ગાદીકયારો બેડની માટીમાં ફ્યુરાડાન નાખો. રોપની ફેરરોપણી કરો ત્યારે ૧ મહિનો ચુસીયાથી બચી રહ તે માટે ઈમીડાક્લોપ્રિડના ૧ મિલી દવા /૨ લીટર પાણીમાં નાખી મૂળને બોળીને ફેરરોપણી કરો.

ફેર રોપણી કરતા પહેલા નર્સરીના રોપ ઉપર ફીપ્રોનીલ અથવા થાયોમેથોકઝામનો છંટકાવ પણ કરો. જ્યાં ફેરરોપણી કરવાની છે ત્યાં જમીનમાં ફ્યુરાડાન જરૂર નાખો અને ડ્રીપ અને મલ્ચીંગ કરો તો મરચીની ખેતી માટે ખુબ સારું છે.

એક વાત પ્રવીણભાઈની યાદ રાખો કે જો રોપ માં ચુસીયા ખાસ કરી ને સફેદ માખી આવી હોય તો વાયરસ મૂકી ગઈ છે તેટલે તમારી મરચી માં કુક્ડ આવશે તે નક્કી છે , તો જાગવાનો સમય કયો ?

હવે અત્યારે જાગ્યા હો તો સતત ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 80 થી 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો


મરચીની ખેતી વિષે માહિતી મેળવવા ફોન કરો.
















મરચીમાં પાન પીળા પડવાના   વિવિધ કારણ 

  • મોલો, સફેદમાખી, નીમેટોડ નો ઉપ્દ્રવ 
  • વર્ટીસીલીયમ રોગ નિ અસર 
  • નાઈટ્રોજન અથવા મેગ્નેશિયમની ખામી  
  •  વધુ પડતું પિયત - પાણી નો આઘાત











મરચી ની ખેતી કરતા ખેડૂતે પોતે હવામાન ના બદલાવનો અભ્યાસ કરવો પડશે ,
મરચી માં આવતી ફૂગ હોઈ કે બેક્ટેરિયા , ચુસીયા જીવાત હોઈ કે કથીરી, નિમેટોડ હોઈ કે વાઇરસ બધા માં હવામાનની કઈ કઈ અસરના લીધે થાય છે તેનો અભ્યાસ કરવો પડશે ,

મિત્રો અભ્યાસ કરો, રોગનો ફેલાવો કેવા હવામાન માં વધે છે ?

જીવાત સંવનન કયા હવામાનમાં કરે અને ઈંડા પણ માં ક્યાં મૂકે ? પાનની ઉપર કે પાન માં ખાંચો કરીને કે પાન ની અંદર ?

કઈ જીવાતો વાયરસનો રોગ ફેલાય છે તે ખબર હોય તો મરચી ની ખેતી આબાદ થાય અથવા સારી થઈ શકે

રોગ અને જીવાત ને લીધે થતું નુકશાન મરચીના છોડ પર જોઈ શકો તેના માટે સ્કાઉટીંગ કરો , બિલોરી કાચ વસાવો અને સમયસર પગલાં લેશો તો આ વર્ષની મરચી ની ખેતી બદલાય જશે

મરચી ની માહિતી રોજ પ્રવીણ પટેલ ના બ્લોગ આજનીખેતી બ્લોગ માં ક્યારે મુકાશે ? તેની જાણ મેળવવા પટેલ એગ્રો ની ટેલિગ્રામની ખેતરની વાત ચેનલ માં જોડાઈ જાવ
Book your Advt Here
400 x 90








સારા મરચાનો પાક લેવો છે ?

હવે આવનારા રોગ વિશે જાણો અને કૃષિ નિષ્ણાંત ની સલાહ લ્યો

સારા અને અનુભવી વેપારી પાસેથી માર્ગદર્શન લ્યો ,


દા . ત . પશુને ખરવા થયો હોય તો દવા કરીએ એટલે રૂઝ આવી જાય.
સમયસર દવા પીવડાવીએ તો પગ કાપવો ન પડે !

જ્યારે તમે મરચીના રોગ ના ચિન્હોની ખબર ના હોય , તમે ભાગીયા ભરોશે હો , તમે રોજ મરચીના ખેતરમાં અવલોકન કરતા ના હો તો ......મરચીના રોગ લાગે તેની ખબર ન રહે તો પાંદડું જ ખરી જાય.
રસોડું નાશ પામે, શું કરો ખોરાક બનતો બંધ, ચેપ લાગે તે વધારામાં, નુકસાનનો પાર નહીં !

એટલે જ જીવાત કરતા રોગ નુકસાન મોટું.




400 x 90



-

 વાવેતરના ૧૪ દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?

પહેલું મરચી ના પાક માં હજુ તંતુ મૂળ નો વિકાસ થતો હોઈ ત્યાં ક્યારા માં પાણી ભરાય રહે તો મરચી માં ઓક્સિજન ની ખામી ઉભી થાય એટલે નીચેના મૂળ કામ કરતા બંધ થયા હોઈ તો મરચી ને પાલર પાણી ને બદલે ટેક્નિકલ ઇરીગેશન આપો એટલે કે ડ્રિપ હોય તો જરૂર પૂરતુ જમીન ની ઉપરની સપાટી ભીની થાય એટલું પાણી આપો કારણ કે નીચે તો ભીનું છે ત્યાં પાણી ની જરૂર નથી એટલે વધુ પાણી આપીએ તો છોડ મરી જશે ,

પાન પીળા પાડવાનું બીજું કારણ લોહ એટલે કે ફેરસની ખામી હોઈ , માઈક્રોન્યુટ્રીયન્ટ છાંટો તે લેવા જાવ તો ચીલેટેડ ફોર્મ માં લેજો તો કામ કરશે ,

ત્રીજું જો પાંદડા 12 કલાક થી વધુ ભીના રહ્યા હોઈ તો કોપર સાથે સ્ટ્રેપ્ટોસાયક્લીનનો છંટકાવ કરો બેક્ટેરિયા ના કારણે પણ ના ટપક ના રોગ થી છોડ ને બચાવી શકાય




પી એસ એ પી ખાતર 200 ગ્રામ પેકીંગ  જે 15 લીટર માં પમ્પ માં પાકની અવસ્થા મુજબ 5 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે 75 ગ્રામ નાખી ને છંટકાવ કરવો , આ ખાસ પ્રકારનો રિસર્ચ મોલેક્યુલ મરચી માં એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેશ એટલે કે તણાવ દૂર કરી છોડ ને રોગ સામે પ્રતિકારક અને તંદુરસ્ત બનાવે છે , વધુ વીગત માટે બ્લોગ માં નીચે પ્રસ્ન પૂછવાના વિભાગ માં પ્રશ્ન કરો















મરચીના પાકની રસી એટલે કે પી એસ એ પી ખાતરના પરિણામો 

અત્યારે વરસાદ ખુબ પડ્યો જેમને ખુબ પાણી ભરાયા અને નિકાલ નથી થયો તેમના માટે તો પાણીના નિકાલ પછી કોઈ આપી શકાય પરંતુ તે ખેડૂતોને પાણી નીકળી ગયા અને ખેતર માં જઈ શકાય તેમ છે તેને શું કરવું તેનો વિચાર કરવા નો સમય છે

પી એસ એ પી ખાતર જેને વરસાદ પહેલા પંપે 150 થી 200 નાખીને થડે થડે કે ઉપરથી સ્પ્રે કર્યો છે તેને વરસાદની સામે મરચી વધું સારી રહી છે તેમણે ફરી પી એસ એ પી દર 10 દિવસે ઉપરથી સ્પ્રે કરવો અને કુક્ડ હોઈ તો 200 ગ્રામ નાખી સ્પ્રેય કરવો

ચાર કામ મરચીના પાક માં ખાસ કરવા

એક : વરસાદ ગયા પછી તરતજ કોપર સાથે સ્ટ્રેપ્ટો સાયક્લીન દવાનો આપણે અગાઉ કીધું તેમ ઉપરથી છાંટવા નો પ્રયોગ કરવો

બીજું : મરચી ના થડે થડે તમારે એકેડિયા કંપનીનું સિવિડ નું ડ્રેનચિંગ કરવું 

ત્રીજું : ઉપરથી છાંટવાના ખાતર 19-19-19 પંપે 150 ગ્રામ સાથે ચીલેટેડ માઈક્રો ન્યુટ્રીઅન્ટ નો ઘાટો સ્પ્રે કરવો જેથી અત્યારે મૂળિયાં કામ કરતા નથી ત્યારે ઉપરથી ખોરાક મળી જાય

ચોથું : મરચી ને વધુ સારી કરવી હોય તો વીઘે 3 કિલો ઝાયટેનિકસ બાયો ફેર્ટીલાઇઝર નું થડે થડે ડ્રેનચીગ કરો , તમારી નજીક ઝયટોનિક્સ ક્યાંથી મળશે તે જાણવા 9825229766 પાર ફોન કરો





પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ ઘાટો છટકાવ થયો ત્યાં
1 - છોડ માં રસી મૂકી હોઈ તેવું થયું
2 - પાન પહોળા થયા
3 - પાનની thickness જાડાઈ વધી - ચુસીયા ઓછા લાગ્યા -રોગ સામે છોડ મજબૂત રહ્યો


પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ નો છંટકાવ - કુક્ડ હતી ત્યાં
1 - કુક્ડ નું જોખમ ઓછું થયું , નવી કૂંપળ માં કુક્ડ નથી
2 - જ્યાં 200 ગ્રામ પ્રતિ પમ્પ ના સતત બે છંટકાવ ચાર દિવસ ના અંતરે થાય ત્યાં કુક્ડ આગળ વધતો અટક્યો


પી એસ એ પી નો છઁટ્કાવ ઘાટો અને પાંદડા ભીંજાય તેમ કરવો , વીઘા દીઠ સ્પ્રે પમ્પ વધતા રહેવા જોઈએ
તમારા મિત્ર ને કહો કે તમારી મરચી ને સારી બનાવવા દર દશ દિવસે પી એસ એ પી છટકાવ કરવા માંગો છો? તમારી મરચી માં પ્રતિકાર શક્તિ લાવી રોગ જીવાત સામે રક્ષણ મળે તેવી મરચી બનાવો7

વધુ વિગત માટે ફોન કરો 9825229766









Damping off - Chestnut/Cheshunt compound, Anti-fungal, seedling ...

જે ખેતરમાં મરચી વાવતી હોય અથવા મગફળીની ખેતી થતી હોય તે મરચીના ખેતરમાં સ્ક્લેરોસિયા નામની રાઈ જેવા દાણા ધરાવતી ફૂગના દાણા પડ્યા રહે છે જેમાં અનુકુળ વાતાવરણ એટલે કે ભેજ વાળું વાતાવરણ મળતા મરચીની ફેરરોપણી કરી હોય કે મરચી ચોપી હોય તેમાં થડ પાસે લાગે છે આપણે તેને ગળું પડ્યું તેમ કહીએ છીએ ઘણીવાર છોડ મારી જાય છે.

આ રોગનું કારણ છે વધારે ભેજ, બહુ ઓછો ભેજ, વધુ ગરમ વાતાવરણ, ખાતર ગળતીયું ન વાપર્યું હોય, આ રોગ માટે ડ્રેન્ચિંગ તાત્કાલિક કરવું પડે અથવા પહેલા વરસાદ પછી થડે થડે ટ્રાયકોડરમાનું ડ્રેન્ચિંગ કરવું પડે.

રીડોમિલ (મેટાલેક્ષીલ + મેન્કોઝેબ) ૭૦ ગ્રામ/પંપ નાખી નોઝલ કાઢી ડ્રેન્ચિંગ કરો.





મરચીમા લાગતો સુકારાનો રોગપીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારક ને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજ ને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે.

 

 
રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એપ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, રોપની જગ્યા સારી પસંદ કરો

રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો,બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપનાથડે થડે ડ્રેન્ચિંગ કરો, ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે

તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળા ને આપીને રોપ નર્સરી મા તૈયાર કરાવતા હો તોજે નર્સરી ઇન્સેક્ટ નેટ નો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોઈ તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આ વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે









આ જમીનજન્ય ફૂગ પીથીયમ અને રાઈઝેક્ટોનીયા ને લીધે રોપ ઉભો જમીન પાસેથી સુકાય છે , જમીન પાસે ગળું પડે, પાણી પોચા ડાઘ થડ ઉપર અને ડાળી ઉપર જોવા મળે, પાણી અપાતું હોઈ તે પાણીનાપ્રવાહ તરફ રોગ આગળફેલાય, ઘાટા વાવેતરમાં આ રોગવધે, પાણીની નિતાર સારો ના હોય તેવી જમીન આ રોગ જોવા મળે છે , વધુ પડતું નાઈટ્રોજન આપવાથી આ રોગ વધે . જે જમીનમાં ફાયટોપથોરા આવે છે ત્યાં વધુ જોવા મળે છે .

આ રોગ થવાનું કારણ : ઘાટું વાવેતર, નાઈટ્રોજન નો વધુ પડતો વપરાશ, એકને એક ખેતરમાં મરચી કરવી , નિતાર સારો ના હોય તેવી જમીન .

નિયંત્રણ : નીતાર સારો રાખો , જમીન સુધારણા કરો , સેન્દ્રીય તત્વો નું ઉમેરણ કરો , પાક ફેરબદલી કરો , વરસાદ પછી ખાસકાળજી લેવી, રેઈસ બેડ એટલે કે પાળાઉપર મરચી વાવો, ફૂગનાશક પ્રયોગ કરો . ડ્રેનચિંગ કરો









Tips & Information about Peppers - Gardening Know How

નિંદામણ એક મોટો કંટાળો છે , મજૂરો ની સમશ્યા છે એટલે કેમિકલ થી ઉભા પાક માં નિન્દામણનાશક છાંટીને પાકને નિંદામણ મુક્ત રાખી શકાય છે

મરચી ના ઉભા પાક માં પેરાકવોટ /ગ્રામેકક્ષોન નોન સિલેકટીવ નિંદામણ નાશક છે ,

ઉભા પાક માં છાંટવાનું હોય તો તેમાં એન્ટી ડ્રીફટ નોઝલ વાપરવી ફરજીયાત છે એટલે કે તેની ઝીણી જણ પણ ઉડેનહીં તેવી નોઝલ

કારણ કે જો છોડ ઉપર ઉડે તો છોડ પણ બળી જાય તેવું નોન સિલેક્ટિવ નિંદામણનાશક છે.

સ્પ્રે બુંદ બુંદ થવો જોઈએ હુંડ વાપરવું ફરજિયાત છે.

નોંધ : ગોળ પાન વાળા નિંદામણ માટે મરચી માં પોસ્ટ ઇમારજન્સ કોઈ ભલામણ નથી. ફેરરોપણી પછી ૧૦-૧૨ દિવસ આસપાસ ટરગાસુપર નો ઉપયોગ કરી લાંબા પાન વાળા નીંદણનુ નિયંત્રણ કરી શકશો


વધુ વિગત તમારા નજીકના એગ્રો વાળા ને પૂછો અને નિંદામણ નાશક વાપરતા પહેલા તેનું લિટરેચર ધ્યાન પૂર્વક વાંચો











વરસાદને લીધે આપણા મરચીના છોડ કેવા આઘાત અનુભવતા  હતા તે આપણ ને ખબર છે  ? એમાંય આ વરસાદથી પણ આઘાત લાગ્યો તે તમે અનુભવ્યું હશે ?

ઘણા ખેડૂતોના મરચીના પાંદડા આ વરસાદ પછી ખરી ગયા,  વરસાદ થી પણ આઘાત પડ્યો  હવે શું કરવું ???

 




જે ખેડૂતોએ મરચીને   સારું પોષણ અને ફુગનાશકના સ્પ્રેય આપી દીધેલ તેને સારું છે , જ્યાં પાણીનો નિકાલ થયો ત્યાં સારું છે .

ઉઘાડ નીકળે કે તુર્તજ  PSAP ખાતરનો ઘાટો સ્પ્રે કરી દેવો 
સારી ફુગનાશક છાટવી 




યાદ રાખો વરસાદ પછી પાલર પાણી ઉતારજો અને પછી 


છોડને શું જોઈએ ? જેવી જમીન તે પ્રકારે તેને પિયત ની વ્યવસ્થા જોઈએ , પણ કેટલું પાણી જોઈએ ? જમીનના પ્રકાર પ્રમાણે છોડને કેટલું પાણી જોઈએ ? એક લિટર ? સાત લિટર ? 18 લિટર ? કેટલું ? છોડ ને પિયત જોતું નથી છોડને ભેજ જોઈએ છે , યાદ રાખો છોડને ભેજ જોઈએ છે

ભેજ પૂરતો ના થાય એટલું પાણી હોય તો છોડ તણાવ અનુભવે , છોડ ઉત્પાદન ઓછું આપે, છોડ મરી પણ જાય ,જો ભેજની જરુરુયાત કરતા પાણી વધુ આપો તો છોડના મૂળિયાંને નુકશાન થાય , મૂળને લગતા રોગો નો ઉપદ્રવ વધે, ઉત્પાદન ઘટે , છોડ મરે , 




વાંચતા રહો  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા તમારા મોબાઈલમા



400 x 90



Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • ખેતીનો ફોર આર કોન્સેપટ શું છે ?
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • પાક ઉત્પાદનમાં અસર કરતુ પરિબળ જૈવિક અને અજૈવિક આઘાત
  • મરચીનો ફ્યુઝેરીયમ સુકારો
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • મરચીના પાકમાં આવતા દબાણ -સ્ટ્રેસ શું છે ? જેના લીધે ઉપજ ઓછી મળે છે
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ કઈ દવા ભેળવવાની મનાઈ છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates