આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા


-- --





Soil pH- an important factor in crop production



મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.

તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.

તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.

હવે જો તમે મરચીની ઉત્તમ ખેતી કરવાની ઈચ્છા ધરાવો છો  ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,

તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ કે એરીસ એગ્રો કે  યારા ફર્ટિલાઇઝર બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.

મરચી ના છોડની રોજની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો

Book your Advt Here
400 x 90



આપણા ખેડૂત મિત્રો કહે છે કે તમારો આભાર

મિત્રો , તમારે અમારો આભાર માનવો હોય તો તમે તમારા પાંચ પાક્કા મિત્રને આપણી ચેનલ માં જોડો જેથી તેને પણ આવતા વર્ષે મરચીની ખેતીની નવી નવી ટેક્નોલોજીની માહિતીનો લાભ મળે અને એ પણ તમારી જેમ મરચીની ખેતી નફાકારક કરે, આજ અમારા માટે સન્માન છે

પટેલ એગ્રો ની ખેતરની વાત્ત નામની મરચીના પાક ની ટેલિગ્રામ ચેનલ ની માહિતી અનેક ખેડૂતોને ખુબ ઉપયોગી થઇ અને તેને લીધી જે ખેડૂતોને મરચીનું ઉત્પાદન વધ્યું તેની વિગતો ટૂંકમાં જણાવીશું


હજુ તો આ શરૂઆત છે આવતા વર્ષનીમરચીની ખેતી નવી ટેકનોલોજી સાથે કરવી હોય તો અત્યારથીજ આપણી વોટ્સએપ  ચિલિકી પાઠશાળા માં જોડાઈ જાઓ 

મરચી ની ખેતી માંથી આવતા વર્ષે પણ પૈસા કમાવા માંગતા હો તો ચીલાચાલુ વોટ્સએપ ગ્રુપ છોડી ને મરચીની આ ખેતરની વાત ટેલિગ્રામ ડાઉનલોડ કરી ચેનલ માં જોડાઈ જાવ અથવા  ચીલી કી પાઠશાળા વોટ્સએપ ચેનલ જોઈન કરી લો 

જો તમને મરચી , શાકભાજી , કપાસ ની સારી, સાચી અને નફાકારક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત હો તો જરૂર બીજા ને પણ જોડજો 


ચીલી કી 










તમારા પ્રશ્ન માટે તમને અભિનંદન,

પાણી વધુ પાવાથી,

પા્ળા ઉપર મરચી ન કરવાથી,

વિવિધ રોગ જીવાત આવે તે આપણને ખબર છે,

તે જ રીતે હિમ પડવું,
વધુ પડતું હવાનું પ્રદૂષણ.,
જમીનને પાણીના પી એચ માં અસંતુલન ,

વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,

કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,

કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,

ઘણી વખત ચીલાચાલુ સસ્તાના  લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.

વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે  માંગતા આવડવું જોઈએ 
નહીં કે જે આપે તે છાંટવું.

મરચીની ખેતી કરવી હોય તો જાતે અભ્યાસ કરવો.

પોતાની ડાયરી રાખવી,

એકલું દવાના વેપારી પર આધાર રાખવાને બદલે વાડી વિસ્તારના ૮-૧૦ ખેડૂતોએ દર શુક્રવારે બપોર પછી ચા પાણીની મિટિંગ કરી અઠવાડિયામાં સૌએ મરચીમાં કઈ દવા? ક્યા ફૂગનાશક? કયો સૂક્ષ્મતત્વો છાંટવા? અને પરિણામ વિશે ચર્ચા કરી પોતાનું જ્ઞાન વધારવું જોઈએ 

કારણકે ઘણી વખત મરચીમાં જોવા મળતા લક્ષણો સરખા લાગે છે તેમાં આપણા એક બીજા ના અનુભવો બહુ કામ આવે છે , તમારી મરચી થોડી નબળી લગતી હોય તો તેમાં PSAP ના છંટકાવ શરુ કરી દેજો




400 x 90










File:Capsicum annuum Bell pepper Rhizoctonia solani, paprika ...

વર્ષો સુધી જમીનમાં પડી રહે તેવી ફૂગ રેલોફસી રાઈ ના દાણા જેવી ખાસ કરીને એસિડિક જમીનમાં આ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે , મરચીના રોપ વવાયાં પછી જમીન અને થડ પાસે આ ફુગના માયસેલિયા છોડ પર આક્રમણ કરીને જમીન પાસેના થડ ઉપર ગળું પડે છે , છોડ ની ચામડી ઘવાતા છોડ પોષણ ઉપર સુધી પહોંચાડી શકતો નથી તેથી છોડ પીળો થઇ ડુલી જાય છે .

મરચીમા ગળું પડવા માટે જવાબદાર ફુગ (સ્ક્લેરોસિયા રેલૌફસી ) જમીન માં રાયડા ના દાણા સ્વરૂપે જમીન માં પડી હોય છે અનુકૂળ વાતાવરણ એટલે કે પહેલો વરસાદ વખતે  જો વાતાવરણ માં ગરમી નું પ્રમાણ વધુ હશે, વાતાવરણ માં ભેજ વધુ હશે ને તમારી જમીન અમ્લીય હશે તો આ રોગ વધુ આવશે એટલે તમે ચોપેલી મરચીના થડ ઉપર એટેક કરશે જમીનને અડી ને રહેલ થડ માં ફુગ લાગશે ને મરચી ની ઉપરની છાલ માં ગળું પડશે , છોડ પોષણ મેળવતો બંધ થશે ને છોડ મરી જશે ,


આ માટે તમે ફેરરોપણી વખતે મરચી ને રિડૉમીલ ના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો , મરચી ની ફેરરોપણી પછી તરતજ કોપર ઑક્ક્ષીકલોરાઇડ અથવા કોપર હાઇડ્રોક્સાઇડ નું ફરજીયાત ડ્રેનચિંગ કરવું જરૂરી , જો મોડું કરીયે તો અથવા તે ફૂગ નું પ્રમાણ વધી જાય તો પણ કાબુ માં આવવી મુશ્કેલ થઇ જાય છે , આવી જમીન માં ટ્રાઇકોડર્મા વિરિડી કે હાર્જેનિયમ જૈવિક ફુગનાશક પહેલેથીજ આપી દેવું જોઈએ .





મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે

એટલે કૂકડનું.


આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,

કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે

એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.

સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો

ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.


ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો


સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો

સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,



સફેદમાખી  આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે











ઘણીવાર બે ખોટી દવાઓ ભેગી કરવાથી પાન પીળા પડે છે, ખાખરી જાય છે, વાંકા વળી જાય છે, તેને કેમિકલ ઇન્જરી એટલે રસાયણનું નુકસાન કહે છે.

ખોટી દવા છાંટીએ અથવા વધુ પ્રમાણ છાંટીને મરચીના છોડવાઓને રાડ બોલાવી દઈએ છીએ , આપણી પાસે નથી એવા કાન કે નથી એવી નજર કે આપણે છોડ જે પોકારી પોકારીને કહે છે તે સાંભળી શકીયે ,

આપણે તો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને નઠારી દવાના રગડા સાચા નિદાન વગર છાંટે રાખીયે છીએ અને પાછા નો - ભેળવવાના રસાયણો ભેળવીએ

મરચીના છોડના પાન રૂપી રસોડામાં સ્કોરચિંગ ( પાંદડા ઉપર ઘસરકા કે દવાની દાહક અસરના લીટા પડવા ) કે પાન પર આવા કેમિકલના લીટા પડવા થી છોડ તણાવ માં આવી જાય છે , પાછો પડી જાય છે .

બહુ બધા રસાયણો ભેગાના કરો , ક્લોરીનવાળા ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નહિ વાપરો , હક્ક થી જોઈએ તે ટેકિનકલ માંગતા શીખશો તો ફાવશો ,


ખેતીની અવનવી સાચી પદ્ધતિ વિષે વાંચવું હોય તો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ પેજ રોજ એકવાર ખોલજો અને બીજા મિત્રોને પણ કહેજો કે આ કૈક સારું છે ....










લીફકર્લ વાઇરસ

રોગકારક : CLCV વાઇરસ

લક્ષણ :
લીફકર્લ એક વાયરસ છે લીફકર્લ ને લીધે પાંદડા કોક્ડાઈ જાય છે ઉપર દર્શાવેલા ફોટા જેવા થઇ જાય છે. પાનની શિરાઓ સપાટીઓ ઉપસી આવે છે. પાન કુકડાય જાય છે , છોડ ની વધ અટકી જાય છે . ફળ લગતા નથી .

કારણ :
આપણે જાણીએ છીએ કે મરચીની અંદર ૧૬ પ્રકારના વાયરસ આવે છે. જેમાં મુખ્ય કુકુબર મોઝેક વાયરસ (CMV) મોલોથી , ચીલી વેઈનલ મોટેલ વાયરસ (CVMV) મોલોથી , ચીલી લીફ કર્લ વાયરસ (CLCV) સફેદમાખીથી અને મગફળી બડ નેક્રોસીસ વાયરસ (GBNV) થ્રીપ્સથી પ્રસરે છે.

જે વિસ્તારમાં મરચીનું મોનોક્રોપીંગ થતું હોય અથવાતો પાકની ફેરબદલી ઓછી થતી હોય ત્યાં મરચીમાં જ્યારે ચુસીયા બહુ ત્યારે એપેડેમીક રીતે મરચીનો લીફકર્લ વાયરસ ઝડપથી ફેલાય છે. એક વાર લીફ્કર્લ આવી જાય પછી તેનું નિયંત્રણ કરવું ખુબ જ કઠીન હોય છે .

માવજત :
મરચી માં આવા એકલ દોકલ છોડ હોય તો તેને ઉખાડીને બાળી નાખો , જો રાખશો અને આ ઉપદ્રવીત છોડ પર જેટલા ચુસીયા હશે તે ચુસીયા અન્ય છોડ પર જશે ત્યાં આ લીફ કર્લ વાઇરસ ફેલાશે પછી તમે કઈ નહિ કરી શકો, રોપ ચુસીયા ના ઉપદ્રવ વગરનો વાવો , ખેતર ચોખ્ખું રાખો , મરચીના ખેતરમાં પીળા ચીકણા કાર્ડ લગાવી સફેદમાખી અને ચૂસિયાંનું અવલોકન કરતા રહો અને સફળ નિયંત્રણ કરો , સતત ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રે કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો


નિયંત્રણ :

સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન નો છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો


લાનો (પાયરોપ્રોક્સિફેન) અથવા

ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) અથવા

પેગાસસ (ડાયફેન્થુંરોન )અથવા

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) અથવા

સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨અથવા


મિયોંથ્રીન અથવા સાયન્ટ્રાનિલીપ્રોલ અથવા થાયાક્લોપ્રીડનો

વારાફરતી પ્રયોગ કરવો , દર 15 દિવસે PSAP ખાતરનો છટકાવ કરતો રહેવો










Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • ખેતીનો ફોર આર કોન્સેપટ શું છે ?
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • પાક ઉત્પાદનમાં અસર કરતુ પરિબળ જૈવિક અને અજૈવિક આઘાત
  • મરચીનો ફ્યુઝેરીયમ સુકારો
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • મરચીના પાકમાં આવતા દબાણ -સ્ટ્રેસ શું છે ? જેના લીધે ઉપજ ઓછી મળે છે
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ કઈ દવા ભેળવવાની મનાઈ છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates