સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
માહિતી સારી લાગે ને તમને થેક્યું કહેવાનું મન થાય તો પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -
મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો
બાયોક્યુલમ કેવી રીતે વાપરશો? છાણ અને વાડીના કચરાને સેડવવા ઝડપી અને વધુ તાકાત વાળું ખાતર બનાવવા જેમ જેમ કચરાનો ઢગલો થતો જાય તેમ બાયોક્યુલમને પાણીમાં અથવા છાણની રબડી કરી કચરા ના ઢગલા ઉપર છાંટતા રહો.
ઝડપી અને સારું ખાતર બનાવવાના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ક્યા?
• કુચાના જેટલા નાના ટુકડા હોય તેટલું જલ્દી સડી જાય.
• બને ત્યાં સુધી છાંયો હોય તો સારું
• જો તમે બે વાર ઢગલાનો પાવડાથી કે મોટો ઢગલો હોય તો ટ્રેક્ટર કે જેસીબી થી ખાંપ મારતા રહો કે
ફેરવી નાખતા રહો તો વધુ ઝડપી ખાતર લગભગ ૧ મહિનામાં બની જાય.
બેકટેરીયાને ખોરાક શું જોઈએ
બેક્ટેરિયા ને હવા અને ભેજ જોઈએ અને ખોરાક સ્વરૂપે આ કચરો તો છે જ, હવા પણ તેને મળી જાય
પણ ભેજ માટે પાણી તેમાં નાખી ભીનું રાખતા રહો જેથી ઝડપી સડવાની પ્રક્રિયા થાય.
નિંદામણ ના બીજ પણ બળી જશે તે ફાયદો
આ રીતે તૈયાર કરેલ ખાતરમાં નિંદામણના બી બળી જતા હોવાથી આ ખાતર વાપરવાથી ખડ થતું નથી.
તમારા કોઈ પણ ખેતરનાં કુચામાંથી હવે આવું સ્ટ્રોંગ ખાતર જાતે બનાવતા જ શીખો અને
તમારી જમીન ની તંદુરસ્તી સુધારી ખેતીનું ઉત્પાદન અને આવક વધારો.
બાયોક્યુલમ એટલે :
આ દેખાય નહિ તેવા બેક્ટરિયા ભગવાને ખેડૂતો માટે ફ્રીમાં આપેલા વગર પૈસાના દાડિયા છે. તેને ઓળખો અને તમારી વાડી માં તેને કામે લગાડો. આ વગર પૈસાના દાડિયા એટલે બાયોક્યુલમ.
છાણ અને વાડીના કચરાને સેડવી ઝડપી અને વધુ તાકાતવાળું ખાતર બનાવવા વપરાતા એરોબિક બેક્ટરિયા એટલે એક્સેલ કંપનીનું બાયોક્યુલમ. તમારી નજીકના ડિલરને પૂછો