*ફાયટોપ્થોરા મરચીનો સુકારો લાગવાનું કારણ શું ?







ચોમાસામાં સતત વરસાદ થયો હોય એમાંય જમીનમાં નિતાર ઓછો હોય,
સપાટ ક્યારામાં મરચી વાવી હોય, પાણી ભરાયા હોય
વખતો વખત વાતાવરણમાં ૯૫ ટકા ૧૦૦ ભેજને લીધે હવામાન ભેજવાળું રહ્યું હોય
ખેતરની માટી ચીકણી હોય,
વરસાદ વખતે છોડ પવનના લીધે ડગડગ થયો હોય,

વરસાદ પડતો હોઈ ત્યારે છોડ જો બાંધ્યાના હોય તો થડ ડગ ડગ થવાથી થડપાસે આઈસક્રીમના કોન જેવો ખાડો પડ્યો હોય, તેમાં પાછા પાણી ભરાય હોય ત્યારે નિતાર વગરની જમીન અને થડ પાસે ફૂગ લાગે,


તાપમાન ૨૦ સે.ગ્રે.થી ૪ડિગ્રી વધુ અથવા ૪ ડિગ્રી ઓછું તાપમાન હોય ત્યારે પ્રકોપ દેખાય , આવા સમયે મરચીમાં ફાલ પણ પૂરતો લાગ્યો હોય છે ,


આવું થાય ત્યારે ફાયટોપ્થોરા લાગે છે છોડ ડગે નહીં તે માટે ચોમાસામાંજ દરેક ચાસ માં દર ૫ ફૂટના અંતરે લાકડા બાંધી તેની સાથે દોરી ખેંચી લ્યો ને દોરી સાથે છોડ ને સપોર્ટ આપો જમીન અને થડ પાસે કોન આકાર પડવાજ ના દ્યો , કોન થાય તો પાણી ભરાય ને ત્યાં ફૂગ લાગે એવું થાય જ નહિ તેવું કરો

જો તમારે આ સુકારો દેખાતો હોઈ તો આપણી ચેનલ ખેતરની વાત માં બતાવ્યા મુજબના ફુગનાશકના છંટકાવ અને ડ્રેનચિંગ બંને  કરો


સ્ટેકીંગ એટલેકે મરચીનો ટેકો આપવો


0 comments