મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે આગળ વર્ષે વાવેતર એટલું થયું હતું કે બધાને મરચીનો પાક લોટરી જેવો લાગેલો , બધા ને મરચી મરચી ને મરચી , માલ એટલો થયો કે કોલ્ડસ્ટોરેજ ભરાય ગયા અને ખપત કરતા બીજા વર્ષે પણ ચાલે તેટલો સૂકા મરચાનો માલ ભરાઈ ગયો .
ગયા વર્ષનું ઉત્પાદન બઝારમાં આવ્યું ત્યારે ભાવ સાવ તળિયે ગયા . એટલે આ વર્ષે અત્યારે મરચીના વાવેતર ઘણા ઓછા થયા . જે કંપની પોતાની બ્રાન્ડ અછત કરીને વેંચતા હતા તેમનો માલ પણ પડ્યો રહ્યોં એટલે જાણીતી કંપનીને આ વર્ષનું ન બવેચાયેલું બીજ કોલ્ડસ્ટોરેજમાં મુકવાનો વારો આવ્યો . ગુજરાતની નાની કંપનીઓના બીજ વેચાયા વગર પડ્યું રહ્યું એટલે એને નુકશાન ગયું . ટૂંકમાં આ વર્ષનું વાવેતર ઓછું છે એટલે આશા છે કે ફ્રેશ માલની સારા માલની ડિમાન્ડ નીકળશે ત્યારે ભાવ સારા મળશે
ચાલો આ વર્ષે સારો માલ પેદા કરવા મરચીને કુક્ડ થી બચાવીએ .સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમનામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. આ વર્ષે કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર ઓછું થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે
✨ સામાન્ય રીતે આપણે મરચીના છોડમાં પાંદડા કુક્ડાયેલા કર્લિંગ જોઈએ છીએ તે વિવિધ કારણોસર હોઈ શકે છે. પરંતુ મરચાંના છોડમાં તે મુખ્યત્વે જીવાતનો ઉપદ્રવ એમાંય ખાસ કરીને કથીરી , થ્રિપ્સનો ઉપદ્રવ અને લીફ કર્લ વાયરલ રોગને કારણે થાય છે 🦠. ચાલો તેને સમજીયે
🔰 કથીરી
√ પાંદડા નીચે તરફ વળે છે .પાનમાં કર્લિંગ અને કરચલીઓ.
√ વિસ્તરેલ પાંદડી વાળા ખરબચડા પાંદડા.
🔰થ્રિપ્સ :
√ ચેપગ્રસ્ત પાંદડા ઉપોર કરચલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે.
√ કળીઓ બરડ થઈ જાય છે અને ખરી પડે છે અને પાંદડાંની પાંખડીઓ લાંબી થઈ જાય છે.
√ પ્રારંભિક તબક્કામાં, ઉપદ્રવને કારણે વૃદ્ધિ અને ફૂલોનું ઉત્પાદન અટકી જાય છે, ફળનો વિકાસ અટકી જાય છે
🔰લીફ કર્લ રોગ
√ મરચાંના લીફ કર્લ વાયરસ પાંદડાના કિનારી ઉપર તરફ વળવા, નસો પીળી પડવા અને પાંદડાના કદમાં ઘટાડો દ્વારા ઓળખી શકાય છે.
√ વધુમાં, પાંદડાની નસો ફૂલી જાય છે અને ઇન્ટરનોડ્સ અને પાંખડીઓ ટૂંકા થઈ જાય છે. જૂના પાંદડા ચામડા જેવા અને બરડ બની જાય છે.
√ જો છોડને શરૂઆતની ઋતુમાં ચેપ લાગે છે, તો તેમનો વિકાસ અટકી જશે, જેના પરિણામે ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે .
√ આ વાયરસ નું નુકશાન, થ્રિપ્સ જેવી જીવાતના નુકસાન જેવા જ લક્ષણો જોવા મળે છે
√ સફેદ માખી વાયરસના ફેલાવા માટે સૌથી મોટી વાહક છે.
આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે
એટલે કૂકડનું.
આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,
કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે
એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.
સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો
ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.
ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,
સફેદમાખી આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે
આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય
--
--
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866