મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો - નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય
--
--
આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866
મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે
એટલે કૂકડનું.
આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,
કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે
એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.
સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો
ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.
ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,
સફેદમાખી આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે
મરચીની ખેતીમાં આવતી વિવિધ જીવાતોને કાબૂમાં લેવા માટે આપણું સૂત્ર એ હોવું જોઇએ કે દુશ્મનને નબળી કડી શોધીને મારવો,
દા. ત. જીવાત કે ઈયળની કમજોર-નબળી કડી કઈ ?
નબળી કડી એટલે જીવાત-ઈયળનું ઈંડું.
ઈંડા જ મારી નાખો તો ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી.
ઈંડા જ મરી જાય કે નાશ પામે તો બચ્ચા જન્મે જ નહીં અને ઈંડા માંથી આવેલા બચ્ચાંથી મરચીને નુકસાન થાય નહીં,
પણ
કઈ જીવાત ક્યાં ક્યારે અને કેવી રીતે ઈંડા મૂકે તેનો અભ્યાસ કરવો પડે.
આ માટે રોજ ખેતર નું આવલોકન , આપણા બ્લોગ નું વાંચન , હવામાન ના બદલાવ માટે થર્મોમીટર જોતા શીખવું વગેરે કરવું પડે .
જો આટલું કરી ને ઈંડા જ મારી નાખો તો.......