થ્રીપ્સ એક સૌથી વધુ નુકસાન કરતી મરચીની દુશ્મન છે , તમને થ્રીપ્સ ક્યારે આવે ? ક્યારે મારવી ? કઈ દવા છાંટવી ?ક્યારે છાંટવી ? તે જ ખબર ન હોય તો મરચી ખાખરી જાય છે મરચા ઉપર લીટા લીટા થઈ જાય છે તે લીટા આડા કે ઉભા હોઈ શકે જાણે મરચાં તરડાઈ ગયા હોય તેવા થઈ જાય છે.
Showing posts with label થ્રીપ્સ. Show all posts
Showing posts with label થ્રીપ્સ. Show all posts
મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો
બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...
મરચાની ખેતી કરીએ અને થ્રીપ્સ ને કાબુમાં ન કરી શકીએ તો અડધા મીમી વાળી આ નાનકડી જીવાત ખૂબ જ મોટું નુકસાન કરે છે અને ઉત્પાદન માં મોટું નુકશાન કરે છે , ડુંગળી કે લસણ થી મરચી નું વાવેતર દૂર રાખવું
30 દિવસ ની મરચી થાય પછી 50 કિલોગ્રામ પ્રતિ એકર લીંબોળી નો ખોળ ( નીમ કેક ) આપવું
સાયાંટ્રાનીલીપ્રોલ 20 મિલી /પંપ
અથવા
સ્પિનટૉરમ 5 મિલી / પમ્પ
અથવા
ફેનપ્રોફેથરિન
અથવા
સ્પાયરોટેટ્રામેટ
અથવા
જંપ (ફ્રીપોનીલ) ૭ મિલી/પંપ,
અથવા
બેનેવીયા (સાયઝીપાયર) ૨૫ મિલી/પંપ
અથવા
રીજન્ટ (ફ્રીપોનિલ ) 30 મિલી/ પંપ
અથવા
સ્પીન્ટોર ( સ્પીનોસાડ) 6 મિલી/પંપ
( ચોખ્ખું પાણી લેવું અને બીજી દવા કે ખાતર આ ટેક્નિકલ સાથે ભેળવવું નહિ )
અથવા
બેલ્ટ એક્સપર્ટ (ફ્લુબેન્ડીયામાઈન + થાયોકલોપ્રીડ) ૮ મિલી/પંપ
ટ્રાન્સ્લેમીનીયર ઇફૃફેક્ટ આપે તેવી દવાને ઈંડા અવસ્થા માં વાપરીને લાભ લઇ શકાય
લાર્ગો અથવા ડેલીગેટ ( સ્પિનટૉરામ ) ટ્રાન્સ્લેમીનીયર ઇફૃફેક્ટ આપે છે તેથી ઈંડા અવસ્થા માં પણ પ્રયોગ કરી શકો
એક ને એક કીટનાશક ફરીવાર વાપરશો નહિ , દવાનું ગ્રુપ બદલતા રહો
જો ડ્રિપ દ્વારા જમીનમાં આપવું હોય તો લેસેન્ટા( ઈમીડાક્લોપ્રીડ+ફ્રીપોનીલ) આપવું
અથવા ૩૦ ગ્રામ/૧૫ લિટર પ્રમાણે ડ્રેન્ચિગ કરવું
કાળી થ્રિપ્સ માટે અસરકારક નવી દવા નોંધો
થ્રીપ્સ મરચી માટે ખૂબ જ મોટું નુકસાન કરતી જીવાત છે. પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. અને વાઇરસ જેવા રોગો પણ ફેલાવે છે.
થ્રીપ્સ પોતાના ઇંડા પાન ઉપર સ્લીટ-ખાચો કરીને પાનમાં મૂકે છે તે બે દિવસમાં બચ્ચા બહાર આવે છે.
આ ઈંડા મુક્યાના બે દિવસમાં ઈંડા નાશક અથવા તો ટ્રાન્સલેમીનીયર પ્રકારની દવા છંટાય. પરંતુ જો બચ્ચા બહાર આવી ગયા હોય તો કોન્ટેક દવા છાંટવી પડે.
તમે કહો છો બીજા કામમાં તમને મરચીની ખેતીમાં સમય મળતો નથી તેનો મતલબ કે તમે રોજ વાડીયે જતા નથી તમારા માટે મરચીનો પાક નથી.
આવું કરશો તો કંઈ હાથમાં આવશે નહીં પછી કા તો દવા, કા તો બીજ કે પછી હવામાનનો દોષ કાઢશો. જરૂર છે અત્યારે જાગી જવાની.
નિયમ આધારિત ખેતી કરો
થ્રીપ્સ જેવી નાનકડી જીવાત મરચીનો મહાદુશ્મન છે , થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અન્યથા એકવાર તેનો ઉપદ્રવ ખૂબ વધે તો છોડને ખૂબ જ નુકસાન કરે છે એટલે તો સમયસર થ્રિપ્સ નો કંટ્રોલ કર્યો ના હોય તો ઉત્પાદન ઘટે છે એ આપણા માટે મરચીની ખેતીનો નુકસાનનો સોદો પડી શકે.
થ્રીપ્સનાં નુકસાન માંથી ઘણી વખત છોડ બહાર આવી શકતો નથી. તેટલું નુકસાન આ નાનકડી જીવાત કરી શકે છે. થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે મૂકે છે, પાન કુકડાઈ જાય છે, જો આનું જીવન ચક્ર ની જાણકારી ના હોઈ તો ખેડૂત ખર્ચના ખાડા માં પડી જાય છે ,
દવા ઈંડા માટે જુદી અને દવા નાનકડા બચ્ચા માટે જુદી હોઈ છે એ પણ ખબર ના હોઈ તો ખર્ચ ના ખાડા માં ઉતાર્યા સમજો , તમારા પણ પાર ક્યાં સ્ટેજ ની થ્રિપ્સ છે તે જોજો , દવા લેવા ક્યારે જાવ છો તે મુજબ દવા બદલી જાય છે , સારી અને સાચી દવા વાપરજો , ટેક્નિકલ ક્યુ છે તે જાણજો અને દવા સીલબંધ પેકીંગ માં ખરીદજો , નિયમ આધારિત ખેતી કરો
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.