
અત્યારે વરસાદ નથી ત્યારે ડ્રિપ છે તે મિત્રો મરચીમાં ઉમર પ્રમાણે મરચીમાં પાણી વધુ આપવું પડે, ઉમર પ્રમાણે ક્રોપ ફેક્ટર બદલે, દા.ત. મરચી ફૂલે ફાલે છે અને મરચીનો વાસ્પિકરણ ક્રોપ ફેક્ટર ૧ છે તો જેટલું બાષ્પીભવન છે એટલું પાણી આપવું જરૂરી,
જો એક એકરની મરચી હોય તો ૨૦,૦૦૦ લીટર પાણી આપવું જરૂરી જેટલો વધુ ફાલ તેટલું પાણી વધારવું પણ જરૂરી.
ડ્રીપ થી પાણીનું ચોક્કસ વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરી શકાય જે લાભ ખુલ્લા પાણી માં મળતો નથી , એટલે તો હું વારંવાર કહું છુ કે ડ્રિપ વસાવો....
ખુલ્લા પાણી માં કાળજી ન લઇને રેડ પાણી એટલે કે ખુલ્લું પાણી વધુ અપાય જાય તો રોગ-જીવાત નો ઉપદ્રવ પણ વધે અને મહામૂલું પાણી બગાડે એટલે ઉપજ ઉપર તમારું ધ્યાન હોય તો વૈજ્ઞાનિક અભિગમ કેળવો, સારા મિત્રો રાખો, મારો બ્લોગ વાંચો, ડ્રિપ વસાવો , નકામા ગ્રુપ માંથી નીકળી જાવ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવો
400 x 90
--
--
![]() |
![]() |
![]() |
યાદ રાખો મરચીમા ફળનૂ બંધાવું વાતાવરણને તાપમાનને આધારિત છે
તમે થર્મોમીટર વસાવ્યું ? જોતા આવડી ગયું ? હા, તો મરચી ની ખેતી ના લાયક છો .
જો રાત્રિનું તાપમાન મિનિમમ ૨૮ થી ૩૦° સે થી ઉપર થયું તો મરચીના ફુલ માં રહેલી પરાગરજ સ્ટરાઇલ થઇ જશે.
તેથી ફાલ લાગતો નથી. તે ફૂલ ને ખરી જવાનું
( તમે દોડતાનહી દવા લેવા તમને એન એ એ આપશે પણ આવા તાપમાને તે કઈ તમારી મરચી માં ઉપયોગી નહિ થાય)
પરંતુ
જે દિવસથી રાત્રીનું (મિનિમમ તાપમાન) ૨૮ થી ૩૦° સે થી નીચું ગયું ફરી ફાલ લાગવાનું શરૂ થશે.
વેપારીના કહેવાથી કોઇ કેમિકલ છાંટી ખર્ચ વધારતા નહીં,
હા , પોષક તત્વોની ખામીના લીધે ફાલ ખરણ થતું હોઈ તો તેની પૂરતી કરો PSAP નો છંટકાવ શરુ રાખજો અને વજનદાર માલ પેદા કરજો

ખેડૂત તરીકે હવામાન એટલે તાપમાન, ઠંડી, પવન, ભેજ, વરસાદ, પાણીની અછત વગેરેના સંદર્ભે સમજવું જોઈએ.
આ બધું ટેકનિકલ અને વધુ વૈજ્ઞાનિક ન થાય તે રીતે ફરી એકવાર સમજાવું તો દા.ત. વરસાદ પડયો છે, પડામાં પાણી ભરાયા છે, પછી તડકો તીવ્ર નીકળે છે ત્યારે શું થશે?
રોગ આવવાની શક્યતા વધી જશે. પરિપક્વ ફળ અને ફૂલ પાટલામાં ખરી પડશે. પાણીના નિકાલના અભાવે તમારી જમીનનો પી.એચ અને જમીન ભસ્મીક છે કે અમ્લીય તે છોડ પર નુકસાન દેખાડશે.
પોષક તત્વો આવા બધું ભેજવાળા મૂળ પ્રદેશ ને લીધે છોડ ઉપાડશે નહીં ઉપરથી કોઈ દવા છાંટશો તેનું પ્રમાણ યોગ્ય નહીં હોય તો નુકસાન પણ કરશે કારણ છોડ સ્વયં નબળો છે, યાદ રાખો છોડ ને તણાવમાંથી પહેલા કાઢવો પડે
તેવી જ રીતે બીજી પરિસ્થિતિમાં હવામાન કેવી રીતે નુકસાન કરે ? તે જોઈએ .
દાખલા તરીકે સાવ ઓછો વરસાદ છે ગરમી છે વાતાવરણમાં થોડો ભેજ છે છોડમાંથી ગરમીના લીધે વધુ ઉત્સવેદન વાસ્પિકરણ થાશે છોડને પાણી આપવું આવશ્યક છે પણ પાણી નથી અપાતું તો......?
છોડનો વિકાસ અટકશે પણ સાથે સાથે આવા વાતાવરણમાં જીવાતો ચૂસીયાનો એટેક વધશે તમે દવા છાંટવામાં પાણીનું પ્રમાણ ઓછું રાખશો તો ઔર નુકસાન થશે મૂળ પાણી તરસે છે તેથી તે જીવન ટકાવવા તંતુમૂળ ફેલાવશે એવા સમયે તમે પાણી હોય તો છોડ બચશે નહીંતર છોડ પોતાનામાં વિકૃતિ લાવી દેશે......
છોડ પણ જીવંત છે તેને આજુ બાજુના આઘાતો માંથી બચાવવો તે ખેડૂત તરીકે નું કામ છે , જો બચાવીએ તો છોડ ઉપજ આપવા તૈયાર છે પણ પોતેજ આઘાત માં છે ફળ ને શક્તિ આપે કે પોતે ટકી રહે ....
![]() |
![]() |
![]() |

ખેતર માં ઊભા પાક પર છટકાવ કરી શકાય છે. સામાન્ય રીતે ઘન સ્વરૂપ માં હોય છે તેને પ્રવાહી માં ઓગાળી વાપરી શકાય છે. (ઘટ્ટ પ્રવાહી હોવાને લીધે પમ્પ ની નળી બ્લોક થવાની તકલીફ રહે છે.)
ખેતર માં પાવડર સ્વરૂપ માં ખાતર સાથે ભેળવી જમીન તૈયાર કરતી વખતે આપી શકાય .
બીજ ને પટ આપી ને પણ વાપરી શકાય છે
છોડ ના મૂળ પર સીધું પણ આપી શકાય છે.
![]() |
![]() |
![]() |
જમીનમાં હ્યુમિક એસિડ શા માટે ઉમેરવાની જરૂર છે?
દુર્ભાગ્યે, ઘણી માનવીય પ્રવૃત્તિઓ જમીનને બદતર અને પ્રદૂષિત કરી છે, જમીનની ઇકોસિસ્ટમ્સ (કાર્બનિક પદાર્થ) ને ઓછી કરે છે અને કેટલીક જમીનને આપણા પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બનાવે છે. ધોવાણ એ જમીનના અધોગતિના સૌથી મોટા કારણોમાંનો એક છે, કારણ કે આવશ્યક ટોચની જમીન તેને બદલી શકાય તેના કરતા વધુ દરે ગુમાવવામાં આવે છે.
અકાર્બનિક ખાતરોનો સતત ઉપયોગ, વાર્ષિક ઊંડી ખેડ સાથે મળીને જમીનની ભેજવાળી સામગ્રીને ઘટાડી રહી છે. માટીને પુનર્સ્થાપિત કરવા માટે, કાર્બનિક પદાર્થોને બદલવો આવશ્યક છે. અને ક્ષતિગ્રસ્ત હ્યુમસને બાહ્ય સ્રોતથી બદલવું આવશ્યક છે, કારણ કે કુદરતી વિકાસમાં ઘણા વર્ષો લાગે છે.
હ્યુમસની તંદુરસ્ત માત્રા વિના, જમીનની જૈવિક પ્રવૃત્તિ અને તેના પર નિર્ભર છોડ ના પોષક તત્વો નો ઘટાડો થાય છે. તંદુરસ્ત જમીનમાં 2-6% રેન્જમાં કાર્બનિક પદાર્થ હોય છે. પરંતુ ઘણા ખેતી વાતાવરણમાં માટીનો ઉપયોગ નીચા સ્તરે કાર્બનિક પદાર્થો સાથે થાય છે. જે અપડી જમીન મા વર્ષો પહેલા જે હ્મુમસ તત્વ રહેલું હતું તેને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે હ્મુમિક એસિડ ખૂબ જ ઉપયોગી છે.
![]() |
![]() |
![]() |
એક દાખલા સાથે સમજીએ આપણું ખેતર ખુલ્લા આકાશ નીચે છે જ્યાં સુરજ ની ગરમી છે, પવનની ઝડપ છે, આપણા છોડ જીવંત છે તેનું શ્વસન છે આમ વરસાદ થી પડેલું પાણી હોય કે વાતાવરણમાં રહેલો ભેજ કે આપણે આપેલું પાણી, તાપમાન, પવનના લીધે કે છોડના શ્વસન (રેસ્પીરેશન) ને લીધે જેટલું ઉડે તે આંક ને બાષ્પીભવન આંક કહે છે.
દા.ત. વરસાદ નથી તમે એક થાળીમાં ૧ લીટર પાણી ૨૪ કલાક સુધી મુકો તો પાણી ઘટે કે એમને એમ રહે ?
આ જે ઘટાડો ૨૪ કલાકમાં થાય તે મીલીમીટરમાં માપવામાં આવે છે. આ એવી જ રીતે છોડમાંથી પણ પાણી ઉડે તેને ઇવોપોટ્રાન્સ્પિરેશન કહેવાય.
જેમ ઘાટું વાવેતર તેમ વધુ બાષ્પીકરણ થાય , પાનની ચીકાશ, જાડાઈ પણ તેના ઉપર અસર કરે , ૧ એકર રજકામાંથી વધુ પાણી ઉડે, થોર માંથી ઓછું ઉડે, થોરને ક્યા પાણી જોઈએ પણ રજકો લંઘાય જાય.
ટૂંકમાં જેટલું ઉડે તેટલું પાણી આપવું પડે, વધુ નહિ કે થોડું નહિ, આ ફક્ત ડ્રીપ દ્વારા શક્ય બને.
આ વાસ્પિકરણના આકડા તમારા નજીકના વેધર સ્ટેશન દા.ત. તરઘડીયાથી મળી શકે. બાષ્પીભવન રેઈટના આધારે ક્રોપ ફેક્ટરની આ વાત છે.
ઇઝરાયેલ અને આપણામાં આટલો ફેર છે તે ખેતી વિજ્ઞાનને સમજીને નિયમ આધારિત ખેતી કરે છે
આપણે રાત્રે મોટર ચાલુ કરી તે કરી........
![]() |
![]() |
![]() |
હ્યુમિક એસિડના ફાયદા શું છે?
આરોગ્યપ્રદ છોડ અને વધુ પાકની ઉપજ માટે હ્યુમિક એસિડનો ઉપયોગ થાય છે.
છોડ ની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધારે છે
જમીનમાં જળ-સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
જમીનની એકંદર રચનાને સુધારે છે.
માઇક્રોબાયલ એટ્લે કે સુક્ષ્મ્તત્વ ની પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે
જમીનના પીએચ નિયમન કરે છે.
જમીનમાંથી ચેલેટ્સ.આયર્નનો વપરાશ વધારીને આયર્ન ક્લોરોસિસની ઉણપ ને દૂર કરવામાં મદદ કરે છે
વનસ્પતિના આરોગ્યને સુધારે છે, છોડની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.
મૂળ વૃદ્ધિને ઉત્તેજિત કરે છે, જે પાકની માત્રામાં વધારો કરે છે જેથી કરીને સામાન્ય છોડ કરતાં જડપથી વિકસિત થાય છે. અંકુરણ પણ વધે છે
![]() |
![]() |
![]() |
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.