વરસાદ પડ્યો એટલે શું થયું ? તમારા પડામાં પાણી ભરાયું , તમારી જમીનમાં પાણી ભરાય છે. એનો મતલબ કે તમારી જમીનનો નીતાર સારો નથી, આવી જમીનમાં મરચીની ખેતી કરાય નહિ. આવતા વર્ષે ધ્યાન રાખજો , જમીન સુધારણા કરો
તમને ખબર છે કે વધુ વરસાદ માં અમુક જમીન મગફળી પીળી પડે છે , કેમ ખબર છે તમને ? એવી જમીન માં મગફળી માં લોહતત્વની ખામી ઉભી થાય છે એટલે આપણે હીરાકશી ને લીંબુ ના ફૂલ છાંટીએ , એવું જ મરચીમાં પણ આયનની ખામી હોય તો થઇ શકે.
આવી જમીનમાં રેઈઝબેડ એટલે કે પાળા બનાવીને મરચીની ખેતી કરવી જોઈએ. પાળાને લીધે આવા વખતે પાણીનો નીતાર સારો મળે. એટલે મૂળને શ્વાસ લેવાની તકલીફ નહિ પડે.પીળી પડે નહિ ,
![]() |
![]() |
![]() |

આપણી જમીનમાં સેન્દ્રીય તત્વોની ખામીને લીધે જમીન ખરાબ થતી જાય છે ત્યારે જમીન સુધારણા અને આપણા પાકના મૂળને મદદ કરે તેવું એક તત્વ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે અને એ છે હ્યુમિક એસિડ
હ્યુમિક એસિડ એ પરમાણુઓનો એક જૂથ છે જે છોડ ના મૂળ નો વિકાસ કરી છોડના પોષક તત્વો તથા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માં વધારો કરી છોડ ને રોગપ્રતિકાર બનાવવામાં તથા બાહ્ય વાતાવરણ થી રક્ષણ મળે છે. તથા છોડ ને ઉતેજીત કરી ઝડપ થી વિકાસ કરવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે
થયું એવું કે વરસો પહેલા વધની દવાના બાટલા વેંચતા તેવું આજે બધાં પાસે પોતાની એક બ્રાન્ડની હ્યુમિક છે , ચાઈના થી હ્યુમિક ખુબ આવે છે એટલે સમજીને સારી વિશ્વાસપાત્ર બ્રાન્ડ પસંદ કરવી એટલું ધ્યાન રાખવું
હ્યુમિક સારી વસ્તુ છે તે સાચું પણ ખરીદી સમજીને વાપરો અને જમીનો કાર્બન વધારવા મદદ કરો
![]() |
![]() |
![]() |
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.