આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

ચાલો જીતો ને જિતાડીએ , 

આ      માસ્ટર - કી      બીજા ને પણ આપજો

આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની માસ્ટર- કી જો કોઈ હોઈ તો તે છે આ ચાર પ્રશ્નના જવાબ મેળવવા

ખેતી ની કોઈ સમશ્યા હોઈ કે ખેતીની અગવડતા કે મુશ્કેલી હોય ,

આ બધા માટે ઉપર આપેલા ચાર પ્રશ્નો નો જવાબ શોધી કાઢો
એટલે દરેક સમશ્યામાં આ માસ્ટર- કી લાગે છે ,

દા .ત. મરચી માં રોગ આવ્યો છે , મરચી પીળી થઇ ગઈ છે , મરચીના પાનમાં દવા છાંટ્યા પછી કુક્ડાય ગયા હોઈ , મરચી ને પાણી લાગી ગયું હોઈ કે પછી મરચીમાં પાનના ટપકા નો રોગ લાગ્યો હોય ,

દરેક સમશ્યા માટે ઉપરના ચાર પ્રશ્નો પૂછો અને જવાબ શોધો

દા. ત. મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે

પ્રશ્ન શું છે ? મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે , પાન ઉપર અનિયમિત આકારના ટપકાં છે, પાન તોડીને નિષ્ણાંતને દેખાડવું જોઈએ અથવા સારા અને અનુભવી વેપારીને આ પાન બતાવવું જોઈએ તોજ કારણ શું છે ? જવાબ મળે

આપણને વૈજ્ઞાનિક જવાબ જોઈએ ,
એમનામ કઈ પણ દવા છાંટો એવું નહિ ,
કારણ વૈજ્ઞાનિક સુજ વગર ખોટું નિદાન હોઈ તો ફેરો મોંઘો પડે કારણકે
એક દવા નો ડોઝ ખોટો ....મતલબ આવક માં ઘટાડો

જો સાચું કારણ મળી જાય તો આપોઆપ
ઉપાય શું છે ? નો જવાબ મળી જાય કે વરસાદના પાણી થી સતત પાન ભીના રહેવાથી અને વાતાવરણ કે હવામાનના બેક્ટેરિયાથી બેક્ટેરિયલ સ્પોટ છે , સર્કોસ્પોરા નથી તો કોપર સાથે સ્ટ્રેપટો છાંટો તેવો જવાબ મળે

છેલ્લું હું શું કરી શકું ?
હું કઈ કરું નહિ અથવા નિર્ણય મોડો લઉં ,
કે ભાગીયાના ભરોસે રહું તો
સાચી દવા પણ ઘણી વાર મોડી કે અવ્યવસ્થિત છાંટવાથી આપણું કામ સરે નહિ અને
એક રોગ મોડો કંટ્રોલ માં આવે એટલે પાક ઉત્પાદન માં નુકશાની આપી ને જાય

માસ્ટર- કી નો ઉપયોગ વારંવાર ખેતી માં કે સાંસારિક જીવનમાં કરતા રહેજો
અને હા,
હું શું કરી શકું ? નો જવાબ મળ્યો એટલે તમે સફળ



આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 











Bacterial Spot of Pepper | Pests & Diseases


મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે
બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન ખરી પડશે,

ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? કેટલા દિવસ મોડા પડ્યા ? વિચારજો

400 x 90


મરચીના પાક માં વિવિધ પોષક તત્વો અને સુક્ષ્મતત્વોની જરૂર પડે છે

  • જે તત્વ સરળ રીતે પાન-છોડમાં ફરે છે તેવા તત્વો નાઇટ્રોજન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસની ઉણપના લક્ષણો જુના પાનમાં એટલે કે છોડના નીચેના પાનમાં જોવા મળે છે. દા.ત. નાઇટ્રોજનની ખામી સૌપ્રથમ નીચેના પાનમાં પીળાશ પડતાં થવાથી જાણી શકાય છે. જે ધીરે-ધીરે ઉપરની તરફ વધતું જાય છે. ફોસ્ફરસ મુખ્ય તત્વની ખામી પણ નીચેના પાનમાં ખૂબ ઘાટા લીલા પાન થઈ જવા. ઘણી વખત જાંબુડિયા પાન થઈ જવા સુધી જોઈ શકાય છે.

  • મેગ્નેશિયમની ખામી મરચીમાં ખાસ જોવા મળે છે. જુના નીચેના પાનમાં પીળાશ પડે છે, પાન અંદર તરફ વળે છે પણ તેની નસો લીલી જ રહે છે તો સમજવું કે મેગ્નેશિયમની ખામી છે

  • જે તત્વ મીડીયમ રીતે છોડમાં પ્રસરે છે તેવા તત્વો જેવા કે પોટેશિયમ, સલ્ફર, ઝિંક, કોપર અને મેગેનીઝ છે. દરેકની ઉણપથી શું વચ્ચેના પાનમાં શું થાય તે ટૂંકમાં નોંધો.
  • પોટેશિયમની ખામી થી પાનની કિન્નરી પીળી પડે, ઘણી વખત ટાંચણીથી કાણા પાડયા હોય તેવા પણ થઈ જાય. મેગેનીઝની ઉણપ તો વળી સાવ નોખો દેખાવ આપે. મીડીયમ વચ્ચેના પાનમાં પીળાશ પડે પરંતુ છરકા છરકા થઈને લાંબા ખાંચા પડે.
  • સૌથી ઉપરના પાનમાં આયર્ન, કેલ્શિયમ અને બોરોનની ખામી હોય તો તેમાં કેલ્શિયમની વાત લઈને  પ્રશ્ન પૂર્ણ કરીએ. કેલ્શિયમની ખામી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે કેલ્શિયમની ખામીથી ઘણીવાર બ્લોસમ રોટ- ઉભા પાકમાં મરચાનો નીચેનો છેડો પીળો પડી સડી જાય છે  તે રોગને બ્લોસમ રોટ કહે છે .
400 x 90


મરચીની ખેતીમાં જેટલું ઉત્પાદન લેવું છે તે પ્રમાણે પોષણ આપવાનું હોય છે. શુક્ષ્મ તત્વોની આવશ્યકતા પણ જમીનના પૃથ્થકરણ રીપોર્ટ પ્રમાણે વત્તે ઓછે પ્રમાણમાં રહે છે.પરંતુ મેગ્નેશિયમની આવશ્યકતા મરચામાં ખાસ રહે છે તેથી તેની પૂર્તિ કરવી ખાસ જરૂરી છે.

હા, મેગ્નેશિયમનો છંટકાવ ક્યારે ન કરવો ? તે ખાસ નોંધશો. જ્યારે વરસાદ જેવું વાતાવરણ છે, સતત વરસાદ પડે છે, બેક્ટેરિયલ સ્પોટ રોગ આવવાની શક્યતા હોય , ત્યારે મેગ્નેશિયમ છાંટવું નહીં તે છાંટવાથી બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકા વધી જાય છે ,














મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર  અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે આગળ  વર્ષે વાવેતર એટલું થયું હતું કે બધાને મરચીનો પાક લોટરી જેવો લાગેલો , બધા ને મરચી મરચી ને મરચી , માલ એટલો થયો કે કોલ્ડસ્ટોરેજ ભરાય ગયા અને ખપત કરતા બીજા વર્ષે પણ ચાલે તેટલો સૂકા મરચાનો માલ ભરાઈ ગયો .

ગયા વર્ષનું ઉત્પાદન બઝારમાં આવ્યું ત્યારે ભાવ સાવ  તળિયે ગયા . એટલે આ વર્ષે અત્યારે  મરચીના વાવેતર ઘણા  ઓછા થયા . જે કંપની પોતાની બ્રાન્ડ અછત કરીને વેંચતા હતા તેમનો માલ પણ પડ્યો રહ્યોં એટલે જાણીતી કંપનીને આ વર્ષનું ન બવેચાયેલું બીજ કોલ્ડસ્ટોરેજમાં મુકવાનો વારો આવ્યો . ગુજરાતની નાની કંપનીઓના  બીજ વેચાયા  વગર પડ્યું રહ્યું એટલે એને નુકશાન ગયું . ટૂંકમાં આ વર્ષનું  વાવેતર ઓછું છે એટલે આશા છે કે ફ્રેશ માલની સારા માલની ડિમાન્ડ નીકળશે ત્યારે ભાવ સારા મળશે 

 ચાલો આ વર્ષે સારો માલ પેદા કરવા મરચીને  કુક્ડ થી બચાવીએ .સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમનામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે  આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. આ વર્ષે  કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર ઓછું  થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે












✨ સામાન્ય રીતે આપણે મરચીના છોડમાં પાંદડા કુક્ડાયેલા કર્લિંગ જોઈએ છીએ તે વિવિધ કારણોસર હોઈ શકે છે. પરંતુ મરચાંના છોડમાં તે મુખ્યત્વે જીવાતનો ઉપદ્રવ એમાંય ખાસ કરીને કથીરી , થ્રિપ્સનો ઉપદ્રવ અને લીફ કર્લ વાયરલ રોગને કારણે થાય છે 🦠. ચાલો તેને સમજીયે 

🔰 કથીરી 

√ પાંદડા નીચે તરફ વળે છે .પાનમાં કર્લિંગ અને કરચલીઓ.

√ વિસ્તરેલ પાંદડી વાળા ખરબચડા  પાંદડા.


🔰થ્રિપ્સ :

√ ચેપગ્રસ્ત પાંદડા ઉપોર કરચલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે.

√ કળીઓ બરડ થઈ જાય છે અને ખરી પડે છે અને પાંદડાંની પાંખડીઓ લાંબી થઈ જાય છે.

√ પ્રારંભિક તબક્કામાં, ઉપદ્રવને કારણે વૃદ્ધિ અને ફૂલોનું ઉત્પાદન અટકી જાય છે, ફળનો વિકાસ અટકી જાય છે


🔰લીફ કર્લ રોગ


√ મરચાંના લીફ કર્લ વાયરસ પાંદડાના કિનારી ઉપર તરફ વળવા, નસો પીળી પડવા અને પાંદડાના કદમાં ઘટાડો દ્વારા ઓળખી શકાય  છે.

√ વધુમાં, પાંદડાની નસો ફૂલી જાય છે અને ઇન્ટરનોડ્સ અને પાંખડીઓ ટૂંકા થઈ જાય છે. જૂના પાંદડા ચામડા જેવા અને બરડ બની જાય છે.

√ જો છોડને શરૂઆતની ઋતુમાં ચેપ લાગે છે, તો તેમનો વિકાસ અટકી જશે, જેના પરિણામે ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે .

√ આ વાયરસ નું નુકશાન,  થ્રિપ્સ જેવી  જીવાતના નુકસાન જેવા જ લક્ષણો જોવા મળે છે 

√ સફેદ માખી વાયરસના ફેલાવા માટે સૌથી મોટી વાહક છે.









આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.











આપણે ખેતી ને ધંધો સમજીયે છીએ અને ખેતી માંથી પૈસા કેમ કમાવા તે વિચારીયે છીએ

તમે ખેતી માંથી પૈસા કમાવ તે અગત્ય ની વસ્તુ છે અને પૈસા કમાવાની જવાબદારી આપણી પોતાની છે એટલે ખેતી માટે સારું શું છે તે જાણવું ? ખેતી માં શું કરવા થી વધુ પૈસા કમાઈ શકાય ? જે જાણવાની જવાબદારી પણ આપણી છે .

ઘણીવાર માહિતીના અભાવના કારણે આપણ ને જોઈએ તેટલી સફળતા અને પૈસા મળતા નથી,

એવું ના બને એટલા માટે આ બ્લોગ દ્વારા તમને માહિતી આપવાનો અમારો આ પ્રયાશ છે , બીજા કૃષિ મિત્રોની જેમ તમે પણ સ્માર્ટ કૃષિ મિત્ર બનીને તેનો ઉપયોગ કરી શકો છો ને તમારી ખેતી ની આવક વધારી શકો છો .

ખેતી માં ઘણી પ્રતિકૂળતાતો છે જ પણ આપણે વિજ્ઞાનને સમજીને તે બધા માંથી રસ્તો કાઢવાનો છે , આપણા છોડ તમે ઉત્પાદન આપવા તૈયાર છે પરંતુ આપણે છોડ ને પ્રતિકૂળતા ( સ્ટ્રેસ ) માંથી અનુકૂળતા કરી આપવાની છે .

એક વાત તમને કહું આપણે જંતુનાશક અને બિયારણ પર જેટલું ધ્યાન આપ્યું તેટલું ધ્યાન આપણે છોડની અનુકૂળતા , જમીન ની તંદુરસ્તી , જરૂરી સપ્રમાણ ખોરાક આપવાની વાત પર. સાવ ઓછું ધ્યાન આપીયે છીએ , સાચું કે નહિ ?

આજની ખેતી  ટેલિગ્રામ ચેનલ દ્વારા અમે તમારા સુધી મરચી ,કપાસ અને બાગાયત પાકો ની અસરકારક માહિતી પહોંચાડવા નું ધ્યેય લીધું છે , તમે પણ વાંચો અને તમારા મિત્ર ને પણ અમારી ટેલિગ્રામ ખેતી ની ચેનલ આજની ખેતી   માં જોડો

ચાલો જીતો ને જિતાડો ધ્યેય સાથે આપણે ખેતી ની આવક વધારવા એક બીજા ને મદદ કરી આપણી ખેતી નું ઉત્પાદન વધારીએ ,

અમારી એક વિનંતી છે કે જો તમને આ માહિતી સારી લાગે અને તમે અમારો આભાર વ્યક્ત કરવાં માંગતા હોતો એટલું કરજો કે તમારા ખાસ બે મિત્રો ને ટેલિગ્રામ ની ચેનલ આજની ખેતી   માં જોડજો તેજ અમારો આભાર છે કારણ કે ખેતી ની માહિતી ના લાભ આપણે આપણા પૂરતા નથી રાખવા વહેંચવાં છે









Book your Advt Here
400 x 90




મરચીનો પાક વધુ ગરમી અને વધુ ઠંડી સહન કરી શકતો નથી તેને હુંફાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે 20 થી 28° સે તાપમાનમાં મરચીનો પાક સારો થાય છે, 

મરચી માં  બીજના ઉગવા સમયે જરૂરી તાપમાન :
સારા ઉગવા માટે મિનિમમ 13 સે.ગ્રેડ અને મહત્તમ 40 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન જોઈએ પણ સૌથી સારા ઉગવા માટે 20-25 સે.ગ્રેડ અનુકૂળ હવામાન ગણાય છે, તો રોપ ક્યારે નખાય ? પછી કહેતાં નહીં કે રોપ ઉજ્જર્યો નહિ ?  

મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે જરૂરી તાપમાન :
મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે મિનિમમ 15 સે.ગ્રેડ અને મહત્તમ 32 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી સારા વાનસ્પતિક વિકાસ માટે દિવસ નું તાપમાન 20-25 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 16-18 સે.ગ્રેડ તાપમાન આ વિકાસના તબક્કા માં જોઈએ , આ દિવસ અને રાત્રી ના તાપમાન ને બરાબર પારખી લેજો , ખુબ અગત્ય ની આ વાત ધ્યાને લેજો

મરચી માં ફૂલો વધુ લાવવા અને ફળો વધારે બેસવા માટે ક્યુ તાપમાન અનુકૂળ: 
ખુબજ અગત્યનો તબક્કો એટલે ફૂલ ફળ નો તબક્કો , આ તબક્કા માં મિનિમમ 18 સે.ગ્રેડ અને મહત્તમ 35 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી વધુ ફુલ અને ફળો બેસવા માટે દિવસ નું તાપમાન 26-28 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 18-20 સે.ગ્રેડ અનુકૂળ હોઈ છે , મરચી વધુ ફૂલે ફાલેને બધા ફૂલ ટકી રહે અને ફળ વધુ લાગે તે માટે આવું તાપમાન જોઈએ ,

રોજ રોજ તાપમાન તમારા વાડી ના થર્મોમીટર માં જોતા રહો અને ડાયરી માં નોંધો , તમારી વાડીયે એક નાનું ટેબલ વસાવો અને વાડીયે તમારી ઓફિસ બનાવો , તો તમનેજ સમજાશે કે ક્યારે કઈ દવાની જરૂર નથી , ગૂગલ વેધરને તમારો દોસ્ત બનાવીને રોજ રોજ ડેટા લેતા રહોને તમારી ડાયરી માં નોંધ કરી તમારા પાક ના બદલાવ પણ નોંધો , એક 300 રૂપિયાનું થર્મોમીટર તમારો હજારોનો ખર્ચ બચાવશે.દા .ત. ઘણી વખત હવામાન ફૂલ ટકવા માટેનું જ નથીને તમે ફાલ ખરણ અટકાવવાની દવાનો નકામો ખર્ચ કરો છો .  

400 x 90




                     3,56,483.........


આજની ખેતી બ્લોગસ્પોટની ત્રણ લાખ છપ્પન હજાર  થી વધુ વખત ખેડૂતોએ લીધેલી મુલાકાત, મરચી ઉગાડતા ખેડૂતો માટે વૈજ્ઞાનિક માહિતી આપતું ગુજરાતનું સૌથી વધુ વંચાતો બ્લોગમાં નવી મુકાતી  પોસ્ટ તમારે પણ વાંચવી હોય તો આજેજ ખેતરનીવાત ટેલીગ્રામ ચેનલમાં અથવા પટેલ એગ્રો વોટ્સએપ ચેનલ  માં જોડાવા 9825229966 ઉપર વોટ્સએપ કરો આ વાત તમારા મિત્રને પણ કહો 
























મરચીના પ્રત્યેક છોડને બાયોટિક અને એબાયોટિક આઘાત થી બચાવવો પડશે 


આપણું ધ્યાન આપણે જીવાત ઉપર અને છોડ નબળો દેખાય તેના ઉપર ઠેરવી દીધું છે એટલે આવું દેખાય એટલે આપણે દવા વાળા ને ત્યાં દોડીએ છીએ ,

મરચીને શું તકલીફ છે ? વાતાવરણ , ટાઢ , તડકો , વધારે પાણી , જમીનમાં પાણીનો ભરાવો , ખોટી દવાનો અથવા સાચી દવાનો ખોટી દવા સાથેના મિશ્રણનો છંટકાવ આ બધું મરચીના છોડને તણાવ સ્ટ્રેશ આપે છે તેને એબાયોટીક અને બાયોટિક તણાવ કહે છે , આનો વિચાર આપણે કરવો પડશે

આજની ખેતી બ્લોગ અથવા ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા નફાકારક ખેતીની માહિતી આપના સુધી પહોંચાડવાનું અમારું કાર્ય તમને ગમતું હોઈ તો રોજ અમારો બ્લોગ વાંચો ને તમારી ખેતી સારી બનાવો ,

આજે માહિતી બ્લોગ ઉપર મુકાણી કે નહિ ? તે તમને ખબર કેમ પડે ? મુકાતી માહિતીની તમને ખબર પડેં તે માટે અમે પટેલ એગ્રોની આજની ખેતી  નામની ટેલિગ્રામની ચેનલ શરુ કરી છે તેમાં જોડાય જજો તો નવી માહિતી મુકાયા ની જાણ તમને થતી રહેશે

આજેજ તમારા મોબાઇલ માં ટેલિગ્રામ ડોઉનલોડ કરો ને તેમાં પટેલ એગ્રો સીડ્સ ની ચેનલ આજની ખેતી બ્લોગ  માં જોઈન થાવ આ તમારે બીજા મિત્રને મોકલવું હોઈ તો પોસ્ટની નીચે સોસિયલ મીડિયાના સિમ્બોલ છે તેનો ઉપયોગ કરો અને બીજા મિત્ર ને મદદ કરો









400 x 90
Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • ખેતીનો ફોર આર કોન્સેપટ શું છે ?
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • પાક ઉત્પાદનમાં અસર કરતુ પરિબળ જૈવિક અને અજૈવિક આઘાત
  • મરચીનો ફ્યુઝેરીયમ સુકારો
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • મરચીના પાકમાં આવતા દબાણ -સ્ટ્રેસ શું છે ? જેના લીધે ઉપજ ઓછી મળે છે
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ કઈ દવા ભેળવવાની મનાઈ છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates