ધરતીનું ધરતી ને પાછું આપવાનો તમને વિચાર આવ્યો તે બદલ ધન્યવાદ.....
જમીન આપણા પાકનો આધાર છે , જમીન આપણી ધરતી માતા છે , વધુ ઉત્પાદન લેવા જમીન ને જીવતી કરવી હશે તો જમીનમાં આપણું ગળતિયું ખાતર બનાવી ને વાપરવું પડશે અથવા જમીનમાં સાદું નહિ ફોર્ટિફાઇડ કરેલું સેન્દ્રીય ખાતર વાપરવું પડશે , આવું ફોર્ટિફાઇડ ખાતર બઝાર 50 કિલો ના પેકીંગ માં એક્સલ કંપની નું સેલરીચ ના નામે મળે છે
જો તમારે ધરતી નું ધરતી ને પાછું આપવું હોઈ તો તમે એક કામ કરો તમારા ખેતર નો એક પણ કચરો બહાર લઇ જવાની મનાઈ કરી દયો અને છાણ અને વાડીના કચરા જેવાકે પાંદડા -ઝડિયા -સાંઠી કે શાકભાજી ના પાન વગેરે ને સેડવી ઝડપી અને વધુ તાકાત વાળું ખાતર બનાવવા માટે જરૂરી એરોબિક બેક્ટરિયા ( વગર પૈસા ના દાડિયા ) જો તમારા પાસે હોઈ તો તમારા ખેત કચરા માંથી કંચન જેવું ખાતર એક મહિનામાં બની જાય અને એ પણ ખુબજ સરસ સોડમદાર
શું કરવું ?
તમારા છાણ અને કચરો જ્યાં નાખતા હો તો તેમાં બાયોક્યુલમ નાખો તેનાથી ઝડપી અને સ્ટ્રોંગ ખાતર બનશે.
કેટલા બેક્ટરિયા નાખવા ?
૫૦ મણ છાણ કે ખેતર નો કુચો હોય તો તેમાં ૧ કિલો બાયોક્યુલમની જરૂર પડે એટલે સાદી ગણતરી કરીએ તો ૧ કિલો છાણ અને કુચા માટે ખાલી ૧ ગ્રામ બાયોક્યુલમ નાખવું પડે.
ભાવ :-
બાયોક્યુલમ નો ૧ કિલોનો ભાવ ફક્ત 250/- રૂ. ( કુરિયર સાથે )
બાયોક્યુલમ અત્યારે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229766 થી મળશે , બાયોક્યુલમ તમે નજીક ના તાલુકા સ્થળે કુરિયર દ્વારા મંગાવી શકો છો ,
નાણાં કઈ રીતે મોકલવા ?
ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.
વધુ માહિતી માટે ફોન કરો 9825229766
યાદ રાખો
આ દેખાય નહિ તેવા બેક્ટરિયા ભગવાને ખેડૂતો માટે બનાવેલા વગર પૈસાના દાડિયા છે , તેને ઓળખો અને તમારી વાડી માં કામે લગાડો. આ વગર પૈસાના દાડિયા એટલે બાયોક્યુલમ.
છાણ અને વાડીના કચરાને સેડવી ઝડપી અને વધુ તાકાતવાળું ખાતર બનાવવા વપરાતા એરોબિક બેક્ટરિયા એટલે એક્સેલ કંપનીનું બાયોક્યુલમ.
સર્કોસ્પોરા પાન ના ટપક અથવા
ફ્રોગ આઈ પાનના ટપકા માટે ફુગનાશક જોઈએ કારણ કે આ ફૂગ થી થતો રોગ છે
બજારમાં મળતી દવા
નેટીવો (ટ્રાફ્લોક્ષોસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
સ્કોર (ડાયફેન્કોઝોલ) ૧૫ મિલી / પંપ અથવા
પોલીરામ (મેટીરામ) ૩૦ ગ્રામ / પંપ અથવા
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/ પંપ અથવા
કવચ (ક્લોરોથેનોલીન) ૨૫ મિલી/ પંપ નો અથવા
ઝાઈનેબ અથવા કોપર અથવા બેનોમિલ માંથી કોઈ પણ એક દવા નો પણ ઉપયોગ કરી શકો
વૈજ્ઞાનિક ખેતીમાં જો આપણી પાસે તાપમાન, હવામાન, ઉત્સ્વેદન એટલે કે હવામાં પાણી કેટલું ઉડી જાય છે તે જમીનનું તાપમાન કેટલું છે તે જમીનમાં ભેજ કેટલો છે તે માપવાના સ્વતંત્ર હવામાન વેધર સ્ટેશન ૩૭૦૦૦ થી ૪૫,૦૦૦ સુધીમાં પોતાની વાડી એ અપનાવી શકાય છે. વધુ વિગત માટે વાંચતા રહો આજની ખેતી બ્લોગ અથવા પોસ્ટ મુકાયા ની જાણ કરતી અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત
હવામાન માપક સાધનો થી હવામાનના બદલાવ થી આવતા રોગ, જીવાત, હિમ વર્ષા, ઝાકળ ની આગોતરી જાણકારી મળે છે તેના લીધે જંતુનાશક દવા, ફૂગનાશકના ઓછા ખર્ચે સારું- સમયસર નિયંત્રણનો લાભ મળે છે.
ચાલો ભલે આવા મોંઘા સાધનો ના અપનાવીએ પણ તમારી વાડીએ થર્મોમીટર તો વસાવી શકો કે નહિ ? જે 300 થી 600 રૂપિયાનું આવે તે તો લગાડી શકો કે નહીં. ? અથવા ગુગલ વેધર ને ફોલો કરો અને ના કરો તો દવા ના વધારે પડતા ખરચ કરો તમારી મરજી છે
કયાં વાતાવરણ ને લીધે ક્યાં રોગ કે જીવાત આવવાની શક્યતા છે તે ની સમજણ અને જાણકારી મેળવવા વાંચતા રહો ટેલિગ્રામ ચેનલ -ખેતર ની વાત
થ્રીપ્સની જીવન અવસ્થામાં પહેલી ઈંડા અવસ્થા, બીજી ઈયળ (લાર્વા) બચ્ચું અવસ્થા, ત્રીજી પ્રી-ટ્યુંપા અવસ્થા, ચોથી પ્યુપા અને પાંચમી પુખ્ત અવસ્થા.
થ્રીપ્સની આ અવસ્થાઓમાં ઈંડામાંથી નીકળતી નાની લાર્વા અવસ્થામાં જો મારીએ અથવા ઈંડાનાશકથી ઈંડા મારી નાખીએ તો જ થ્રીપ્સનું નિયંત્રણ આપણા માટે સહેલું,
નહિતર મોટી લાર્વા પ્યુપા માં જાય તે પહેલાની અવસ્થા પાંદડા ઉપર આવી ગઈ ને તો પછી નુકશાન હી નુકશાન. ત્રીજી અને ચોથી અવસ્થામાં પ્યુપા તો જમીનમાં થતી હોય છે. તેમાંથી પુખ્ત બહાર નીકળીને નર-માદા ને એકવાર સંવનન -મેટિંગ કર્યું એટલે માદા ઈંડા મુક્યા જ કરે બોલો, તમે જ વિચારો કઈ અવસ્થામાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ કરી દેવું જોઈએ
થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે તમે તંમારા દવા વાળા ને પૂછ્યું કે નહિ ? તેને ખબર છે કે નહિ ? કસોટી કરો , નહીંતર તમને દવા સાચી કેમ આપશે ? જવાબ અમને મોબાઈલ દ્વાર મોકલજો 9825229966