મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.
સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે.
રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે. ફળ ઉપર પણ ડાઘા પડતા જેવા મળે છે. ફળ પરના આ ટપકા ખરબચડા હોય છે.
સીનેફોરા બ્લાઈટ : સીનોફોરા રોગકારક ને લીધે મરચીનો એક ડાલી નો સુકારો રોગ છે આ રોગ મરચી ફૂલેફાલે હોય ત્યારે દેખાય છે, પાંદડા ઉપર શરૂઆતમાં પાણી પોચા ડાઘ પડે છે, ફૂગના આ રોગ ઉપરથી નીચેની તરફ ફેલાય છે. ડાર્ક ગ્રે ફૂગ છોડ પર દેખાય છે. આ રોગ આવ્યો હોય તેના ફળમાં પણ કાળી ફૂગ લાગે છે. ભરચોમાસે આ રોગ મરચીમાં લાગે છે તેથી ઉત્પાદનમાં નુકશાન આપે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ છે. રોગકારક હાજર છે તમે મરચીની તોડાઈ કરો છો એટલે કે મરચીમાં ઘાવ પડેલો છે ત્યારે અથવા મજુરોથી કે પશુથી છોડની ડાળી ભાંગી છે તેના ઘાવમાંથી આ ફૂગ છોડમાં લાગી જાય છે. પછી ડાળી આખી સુકાય જાય છે અને મરચા પણ કાળા પડે છે.આને એક ડાળીનો સુકારો પણ કહે છે , આ રોગ આપણી બેદરકારીને લીધે વધુ લાગુ પડે છે
અત્યારે વરસાદ નથી ત્યારે ડ્રિપ છે તે મિત્રો મરચીમાં ઉમર પ્રમાણે મરચીમાં પાણી વધુ આપવું પડે, ઉમર પ્રમાણે ક્રોપ ફેક્ટર બદલે, દા.ત. મરચી ફૂલે ફાલે છે અને મરચીનો વાસ્પિકરણ ક્રોપ ફેક્ટર ૧ છે તો જેટલું બાષ્પીભવન છે એટલું પાણી આપવું જરૂરી,
જો એક એકરની મરચી હોય તો ૨૦,૦૦૦ લીટર પાણી આપવું જરૂરી જેટલો વધુ ફાલ તેટલું પાણી વધારવું પણ જરૂરી.
ડ્રીપ થી પાણીનું ચોક્કસ વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરી શકાય જે લાભ ખુલ્લા પાણી માં મળતો નથી , એટલે તો હું વારંવાર કહું છુ કે ડ્રિપ વસાવો....
ખુલ્લા પાણી માં કાળજી ન લઇને રેડ પાણી એટલે કે ખુલ્લું પાણી વધુ અપાય જાય તો રોગ-જીવાત નો ઉપદ્રવ પણ વધે અને મહામૂલું પાણી બગાડે એટલે ઉપજ ઉપર તમારું ધ્યાન હોય તો વૈજ્ઞાનિક અભિગમ કેળવો, સારા મિત્રો રાખો, મારો બ્લોગ વાંચો, ડ્રિપ વસાવો , નકામા ગ્રુપ માંથી નીકળી જાવ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવો
400 x 90
--
--
યાદ રાખો મરચીમા ફળનૂ બંધાવું વાતાવરણને તાપમાનને આધારિત છે
તમે થર્મોમીટર વસાવ્યું ? જોતા આવડી ગયું ? હા, તો મરચી ની ખેતી ના લાયક છો .
જો રાત્રિનું તાપમાન મિનિમમ ૨૮ થી ૩૦° સે થી ઉપર થયું તો મરચીના ફુલ માં રહેલી પરાગરજ સ્ટરાઇલ થઇ જશે.
તેથી ફાલ લાગતો નથી. તે ફૂલ ને ખરી જવાનું
( તમે દોડતાનહી દવા લેવા તમને એન એ એ આપશે પણ આવા તાપમાને તે કઈ તમારી મરચી માં ઉપયોગી નહિ થાય)
પરંતુ
જે દિવસથી રાત્રીનું (મિનિમમ તાપમાન) ૨૮ થી ૩૦° સે થી નીચું ગયું ફરી ફાલ લાગવાનું શરૂ થશે.
વેપારીના કહેવાથી કોઇ કેમિકલ છાંટી ખર્ચ વધારતા નહીં,
હા , પોષક તત્વોની ખામીના લીધે ફાલ ખરણ થતું હોઈ તો તેની પૂરતી કરો PSAP નો છંટકાવ શરુ રાખજો અને વજનદાર માલ પેદા કરજો
રોગ ત્રિકોણ એટલે શું તે સમજીયે
આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જયારે ત્રણ પરિસ્થિતિ નિર્માણ થાય.
રોગકારક હાજર છે , વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકશાન થાય છે
રોગ ત્રિકોણ યાદ રાખો
જો તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકુળ હોય તો જ રોગ આવે છે તે રોકવા ખેડૂતે સમયસર પગલા લેવાથી ઓછા ખર્ચે નુકશાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે
1- રોપ તદુરસ્ત અને સફેદ માખી થી મુક્ત પેદા કરો - રોપ માં દવા છાંટો -રોપ ની ઉપર ઇન્સેક્ટ નેટ લગાડો .
2- રોપમાં સફેદમાખી આવી તો સમજો કે વાયરસ રોગનો ચેપ લાગી ગયો
3- ગયા વર્ષે જ્યાં મરચી હતી તે ખેતર માં મરચીની ફેરરોપણી કરશો નહિ , જ્યાં પાણી ભરાય રહેતી હોય તેવી જમીન પસંદ કરશો નહિ , દર ત્રણ વર્ષે જમીનની ઊંડી ખેડ થતી હોઈ ત્યાં મરચી વાવો
4- મરચી ની ખેતી પાળા ઉપર કરો તેના ઉપર ડ્રિપ અને 30 માઇક્રોન મ્લચીંગ લગાડો અને પાળા ઉપર ફૂટ ફૂટ ના અંતરે તંદુરસ્ત રોપ ના મૂળ ને ઇમીડાક્લોપ્રીડ અને ફુગનાશકના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો
5- ખેતરમાં એકલ દોકલ વાયરસ ઉપદ્રવીત છોડ દેખાય તો વહેલાસર તેને ઉપાડીને બાળી દયો .
6- ખેતરમાં રહેલ કે શેઢેપાળે રહેલ નિન્દામણ રોગ ફેલાવનાર રોગકારકો ના વાહક હોઈ છે તે દૂર કરો .
7- આજુબાજુ ના ખેતર માંથી આવતી સફેદમાખીથી બચવા દર છ- સાત મરચી ની હાર છોડી એક હાર પિંજર પાક તરીકે મકાઈ નો ચાસ કરો
8- સફેદમાખી -થ્રિપ્સ જેવી જીવાત કુક્ડ ના રોગની વાહક છે તેનું સમયસર નિયંત્રણ કરો , વીઘે 6 થી 7 પીળા ક્રોપ ગાર્ડ ટ્રેપ લગાડો
9- ચુસીયા જીવાત થી બચવા નીમ અને વાયરસ માટે ગૌમૂત્ર અને હિંગ નો પ્રયોગ વારંવાર કરો , વધુ પડતો ઉપદ્રવ થાય તો સફેદમાખી માટે જંતુનાશક પાયરોપ્રોક્સિફેન ( લાનો, ઓબેરોન અથવા સુમિપ્રેપ્પટ ) પ્રયોગ કરો
10-ચુસીયા જીવાત ખાસ કરી ને સફેદ માખી કે ચુસીયા માટે બજારમાં મળતી નામનેઠા વગર ની દવા વારંવાર છાંટશો તો જીવાત માં પ્રતિકારશક્તિ આવી જશે અને તમે નુકશાનીમાં આવી જશો , માન્ય દવા યોગ્ય માત્ર માં વાપરવા નું ગોઠવો
ખેડૂત તરીકે હવામાન એટલે તાપમાન, ઠંડી, પવન, ભેજ, વરસાદ, પાણીની અછત વગેરેના સંદર્ભે સમજવું જોઈએ.
આ બધું ટેકનિકલ અને વધુ વૈજ્ઞાનિક ન થાય તે રીતે ફરી એકવાર સમજાવું તો દા.ત. વરસાદ પડયો છે, પડામાં પાણી ભરાયા છે, પછી તડકો તીવ્ર નીકળે છે ત્યારે શું થશે?
રોગ આવવાની શક્યતા વધી જશે. પરિપક્વ ફળ અને ફૂલ પાટલામાં ખરી પડશે. પાણીના નિકાલના અભાવે તમારી જમીનનો પી.એચ અને જમીન ભસ્મીક છે કે અમ્લીય તે છોડ પર નુકસાન દેખાડશે.
પોષક તત્વો આવા બધું ભેજવાળા મૂળ પ્રદેશ ને લીધે છોડ ઉપાડશે નહીં ઉપરથી કોઈ દવા છાંટશો તેનું પ્રમાણ યોગ્ય નહીં હોય તો નુકસાન પણ કરશે કારણ છોડ સ્વયં નબળો છે, યાદ રાખો છોડ ને તણાવમાંથી પહેલા કાઢવો પડે
તેવી જ રીતે બીજી પરિસ્થિતિમાં હવામાન કેવી રીતે નુકસાન કરે ? તે જોઈએ .
દાખલા તરીકે સાવ ઓછો વરસાદ છે ગરમી છે વાતાવરણમાં થોડો ભેજ છે છોડમાંથી ગરમીના લીધે વધુ ઉત્સવેદન વાસ્પિકરણ થાશે છોડને પાણી આપવું આવશ્યક છે પણ પાણી નથી અપાતું તો......?
છોડનો વિકાસ અટકશે પણ સાથે સાથે આવા વાતાવરણમાં જીવાતો ચૂસીયાનો એટેક વધશે તમે દવા છાંટવામાં પાણીનું પ્રમાણ ઓછું રાખશો તો ઔર નુકસાન થશે મૂળ પાણી તરસે છે તેથી તે જીવન ટકાવવા તંતુમૂળ ફેલાવશે એવા સમયે તમે પાણી હોય તો છોડ બચશે નહીંતર છોડ પોતાનામાં વિકૃતિ લાવી દેશે......
છોડ પણ જીવંત છે તેને આજુ બાજુના આઘાતો માંથી બચાવવો તે ખેડૂત તરીકે નું કામ છે , જો બચાવીએ તો છોડ ઉપજ આપવા તૈયાર છે પણ પોતેજ આઘાત માં છે ફળ ને શક્તિ આપે કે પોતે ટકી રહે ....
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.