ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમેટિક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે બે પાંદડા વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેલી લીફ માયનર પાનમાં (સર્પોલીયું) લીટા કરતી જીણી જીવાત. ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં શોષાય અને પાનમાં ઊંડે સુધી ઊતરી જાય.
સીસ્ટેમિક એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય તેવી દવા અથવા ફુગનાશક
ટૂંકમાં આ બંને દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?
આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.
તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.
એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ
એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.
છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766
મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.
દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે
આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.
પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,
કારણ શું છે ? ઉપાય શું છે ?
અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો
અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો
હવામાન ઉપર નજર કેમ રાખવી ? બટુકભાઈ સાવ સહેલું છે
તમારો બધા ને ઉપયોગી પ્રશ્ન બદલ આભાર , આપડે રોજ આપણી ચેનલ માં રજુ થતી પોસ્ટ દ્વારા એ તો સમજીગયા કે વાતાવરણ ના બદલાવ આવે એટલે આપણા ખેતર , આપણા પાક કે આપડા પાક ના પાન , જમીન કે આખા છોડ માં ફેરફાર થાય છે
અત્યારે ભાદરવાની ગરમી છે તો બપોરે મરચીના છોડ કેવા લંઘાઈ જાય છે , આ વાતાવરણ ના બદલાવ ની અસર છે
શું થયું છોડ માં એવું તમે વિચાર્યું ?
છોડ માં જીવ રસમાં પાણી મહત્તમ છે તે પાંદડા દ્વારા તડકાને લીધે બાષ્પીભવન એટલે કે ઉડી જાય છે તે એટલું ઉડી ગયું કે નીચે જે ભેજ છે તે પૂરતો નથી અથવા તો મૂળ નું કાર્ય નબળું છે ....
એવીજ રીતે રોગ જીવાંત આવવા માટે અનુકૂળ અને વિપરીત વાતાવરણ કે હવામાન હોઈ તે તમે નોંધો
થ્રિપ્સ : ગઈ રાત્રી ના મિનિમમ તાપમાન કરતા આજની રાત્રિનું મિનિમમ તાપમાન 3 ડિગ્રી વધારે હોઈ તો રાતે ઉઠી ને જુવો તો આકાશ માં વાદળ હોવાના , તો આવી રાત્રે થ્રિપ્સ પાનમાં ખાંચો કરી ઈંડા મુકશે , સવારે ભૂલ્યા વગર ઈંડાં નાશક ( ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટો નહીંતર બીજે દિવસે ઈંડા ફૂટી જશે તો બચ્ચા બહાર આવી જશે પછી તમારે સિસ્ટમીક છાંટવી પડશે , બોલો હવામાન ની ખબર હોઈ તો કેટલા રૂપિયા બચે , સારું લાગે તો કરજો
ભુકીછારો : ગુગલ તમને રોજ ના મિનિમમ અને મહત્તમ તાપમાન ના આંકડા આપે છે , હું તમને વળી મહત્તમ અને મિનિમમ તાપમાન માપવા 250 રૂપિયાનું થરમોમીટર વસાવા કહું છું અને એનાથી કેટલા રૂપિયા તમારા બચશે ખબર છે? તમારી વાડી નું માઈક્રો કલાયમેટ માપશે અને મહત્તમ તાપમાન અને મિનિમમ તાપમાન વચ્ચે 15 ડિગ્રી થી વધારે તફાવત જેટલી વાર થાય તેટલીવાર તેના બીજા દિવસે સલ્ફર છાંટી દ્યો અને જુવો કે તમારે મોંઘી દવામાંથી થતો ખર્ચ કેમ બચ્યો ?
આવી તો અનેક વાતો છે વાંચતા રહો મારી ચેનલ અને બ્લોગ
--
--
મરચીની ખાતરની જરૂરિયાત પાકની અલગ અલગ અવસ્થા વખતે અલગ હોય છે દા.ત. તમારે વીઘે 12 ટનનું અથવા તો હેક્ટરે 75 ટન લીલા મરચાનું ઉત્પાદન લેવું છે તો તેના ગુણાંકમાં ખાતરની જરૂરિયાત ગણવી પડે પરંતુ સરળ રીતે નીચેના ગ્રાફ સાથે સમજીએ.
મરચીના છોડને શરૂઆતના ૬૦ દિવસમાં પાકને વિકાસ માટે સારું એવું સમતોલ ન્યુટ્રીશન-પોષણ જોઈએ છે પછી જયારે પ્રથમ તોડાય થાય ત્યારે ફરી વધુ પોષણ ની જરૂરિયાત રહે છે તે તમને ઉપરના ગ્રાફમાં દેખાશે. પહેલી વીણી પછી ખાતરની જરૂરિયાત સતત વધતી રહે છે જો તમે મલ્ચીંગ અને ડ્રીપનો પ્રયોગ કરતા હો તો નાઈટ્રેટના રૂપમાં નાઈટ્રોજન આપો અથવા ઠંડી હોય તો યુરિયાના રૂપમાં આપી નહિ શકો , ઠંડીમાં નાઇટ્રેટ ના રૂપમાં આપો
ઉપરના ગ્રાફનું અવલોકન કરો તો ગ્રાફમાં નીચે પાકના દિવસો અને ડાબી તરફ રોજનો પોષણનો ઉપાડ પ્રતિ હેક્ટરના ખેતરમાં કેટલો મરચી લે છે તે બતાવેલ છે , પચાસ સાંઠ દિવસ આસપાસ પોટાશનો અપટેક છ કિલો પ્રતિ હેક્ટર પ્રતિ દિવસ જેટલો વધી જાય છે . એટલે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષમાં પોટાશની જરૂરિયાત પણ વધુ રહે છે અને ૧૦૦ દિવસે તો પોટેશિયમની સર્વોતમ સ્થિતિએ જરૂરિયાત છે તે તમે નોધ્યું હશે. ફેર્ટીગેશન માટે અગત્યના ખાતરો નોંધો પોટેશિયમ નાઇટ્રેટ , મોનો અમોનિયમ ફૉસ્ફેટ , કેલ્શિયમ નાઈટ્રેટ , મેગ્નેસિયમ સલ્ફેટ વગેરે
ઉપરથી છાંટવાના ખાતરોનો ઉપયોગ કરીને લાભ લ્યો
કૃષિ નિષ્ણાત પાસે તમારા જમીન અને પાણીના રિપોર્ટના આધારે ડ્રિપ માં આપવાના ખાતરનો ફર્ટિગેશન પ્રોગ્રામ અવશ્ય બનાવડાવો
મરચીના ભાવ મળવા આપણા હાથમાં નથી
આપણા હાથમાં શું છે ?
આપણી હાથમાં છે મરચીની કાળજી અને આપણી મરચીમાંથી ઉપજ વધુ મેળવવા આપવા જરૂરી પોષણ આપવાનું પ્લાંનિંગ
તમારી બાજુના છગનભાઈએ પણ તમે વાવી છે તે સેમ જાત અને બંને એ એક એકરની મરચી કરી છે , ધરું અને ફેરરોપણી પણ એકજ દિવસે કરી છે ,
તમે રોજ આંટો મારીને સામાન્ય દવા દ્વારા સારું નિયંત્રણ સમયસર કર્યું છે , તમને ખબર છે કે એક ટન સૂકા મરચા કરવા કેટલું પોષણ આપવું પડે તે તમે ક્રમે ક્રમે આપો છો એટલે તમારી મરચી છગનભાઇ કરતા સારી છે
કારણ તમે પોષણનું મૂલ્ય બરાબર સમજો છો , નવા નવા ખાતરો જેવાકે પીએસએપી નો સમયસર પ્રયોગ કરી તમે મરચીની ખામશી કરી છે
છગનભાઇ કરતા તમારે મરચાના મણિકા વધુ થાય તો તેજીનો લાભ કોને મળશે ?
ભાવની એંસીતૈસી વીઘે સારી ક્વાલિટીની ઉપજ વધુ થાય તે જીતે
PSAP ડબલ ફાર્મર ઇન્કમ કેટલોગમાં દર્શાવ્યા પ્રમાણે PSAP સંશોધક શ્રી પ્રશાંત નાન્કદીરકાર કહે છે કે PSAPના સારા પરિણામો મેળવવા માટે નીચેના મુદ્દાનું ધ્યાન રાખો.
- એક લીટર પાણીમાં માત્ર 6 થી 8 ગ્રામ PSAP નાખો.
- PSAP નો સ્પ્રે વહેલી સવારે અથવા સાંજના ૪ વાગ્યા પછી કરો.
- PSAP નો સ્પ્રે કરો ત્યારે વાતાવરણીય તાપમાન ૩૦ સેન્ટીગ્રેડ થી ઓછું હોય તે જુઓ
- PSAPનો સ્પ્રે કરો ત્યારે નોઝલ સારી વાપરો જેથી સ્પ્રે એકદમ જીણો થાય અને છોડને પુરેપુરો ભીંજાવો.
- PSAP છાંટ્યા પછી ૨ કલાક પહેલા અને પછી વરસાદ કે ઝાકળ ન હોય તે સારી વાત છે.
- PSAPનો છંટકાવ વખતે પુરતા પાણીનો વપરાશ કરો. ફાલ અવસ્થાએ એકરે ૨૦૦ લીટર પાણીનો વપરાશ કરવો જરૂરી છે,ટૂંકમાં છોડ બરાબર કવર થાય તેમ છાંટો .
- PSAPના છંટકાવ ૧૫ થી ૨૫ દિવસના અંતરે અથવા જરૂરિયાત મુજબ વહેલા પણ કરવા જોઈએ.
વધુ માહિતી માટે 9825229766
આપણે મરચીના પાકમાં પોષણ ન્યુટ્રીશન - છોડની તંદુરસ્તી - મૂળની તંદુરસ્તી - છોડની પ્રતિકાર શક્તિ કે સાચું ખાતર અને સૂક્ષ્મતત્વોની જરૂરિયાત સાથે જમીનના પી એચ પર ધ્યાનજ નથી આપતા પછી કહીયે છીએ કે ઉત્પાદન નથી મળતું .ગોળ નાખો એટલું ગળ્યું થાય . જો આના પર ધ્યાન આપીયે અને સાથે સાથે છોડની આસપાસના હવામાનના વિપરીત આઘાત સામે પણ છોડ ટક્કર જીલે અને પ્રતિકારક રહે તેવું કરીયે તો એક એક છોડ ભરપૂર ફાલ આપી સુંડલા ભરી દે .
જો આ રસી મુકીયે તો આપણા દવાના સ્પ્રે જ ઘટી જાય, દવાના સ્પ્રે ઘટે તો આપનો ખર્ચ પણ ઘટી જાય અને મિત્રો જો ખર્ચ ઘટે તોજ નફો વધે.
આ નવી શોધ એટલે PSAP અથવા પોટેશિયમ મોલેક્યુલ કેવી રીતે કામ કરે તો તેનો જવાબ છે મરચીના પાન પહોળા અને ઘાટ લીલા જોવા મળે, છોડમાં નવો વિકાસ અને જુસ્સો જોવા મળે , ફૂટ અને ફાલની સંખ્યા વધે,મરચાનો ઉતારો વધે ફળનું વજન વધે,છોડ પ્રતિકારક અને મજબૂત બને, છોડ વાતાવરણીય આઘાતો સામે લડે એટલે વાયરસ કે કુક્ડ વાળા છોડ પણ નવી ફૂટ કાઢે .
સ્પ્રે ઘટે તો ખર્ચ બચે ને ખર્ચ બચે તો નફો વધે
PSAP નો અખતરો એક વીઘા માં કરીને જુવો , ચાલો એક વીઘા માં નહિ અર્ધો વિઘો PSAP ને આપો ને દર 20 દિવસે PSAP નો સ્પ્રે કરો અને પછી જુવો કે શું બદલાવ આવે છે ? તમારા ખર્ચાળ દવાના કેટલા સ્પ્રે ઘટે છે ? રોગ જીવાત કેટલા ઓછા આવે છે ?
જોજો એમ નહિ માની લેતા કે PSAP કુક્ડને કે જીવાતને મારે છે ? ના , તે રોગ જીવાત કે કુક્ડની દવા નથી તે તો છોડનું નવીન પ્રકારનું પોષણ છે - છોડની સંરક્ષણ રસી છે
PSAP એટલે = પોટેશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ ,
વધુ વિગત માટે 9825229766