સતત વરસાદ થી જેની મરચી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી ખરશે ?








પ્રશ્ન છે : પાન નો ટપકાં નો રોગ માટે કઈ દવા છંટકાવ કરવો?




જો વરસાદ સતત મરચીના છોડને ભીના રાખે છે સતત વરસાદ થી જેની મરચી 12 થી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી ખરશે ?
મરચી માં આ પરિસ્થિતી થી વાતાવરણ ના બેક્ટેરિયા પાન પર લાગશે , મરચી ના પાન ઉપર ટપક પડશે આને બેક્ટેરિયલ લિફ્ સ્પોટ કહે છે , ટપકા મોટા થશે , કોઈ કાળજીના લીધી તો 15 દિવસ પછી પાન ખરશે , ત્યારે તમે દવા લેવા દોડસો તો તમે 15 દિવસ મોડા છો એટલું યાદ રાખજો

શું કરવાનું ?


જો ૧૪ કલાક છોડ ભીના રહ્યા અને ઉઘાડ નીકળ્યો કે તરતજ સ્ટ્રેપ્ટોસાયક્લીન + કોપર છાંટી દયો.

ફરી ૨ - દિવસ પછી સતત ૧૪ કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો

11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી.

આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાક માં 2 રોગ લાગવા ના એક પાન ના ટપકાં અને બીજો મરચા જયારે લાલ થશે ત્યારે લાલ મરચાનો અન્થ્રેકનોઝ રોગ આવશે ત્યારે તમે 125 રૂપિયા નો પંપ થાય તેવી દવાના છંટકાવ કરસો તોય કાઈ ફેર નહિ પડે તો પછી અત્યારે ચોમાસુ વરસાદમાં ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા સતત 14 કલાક ભીના રહ્યા પછી ઉઘાડ નીકળતા તેટલી વાર છાંટો

છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..

ઉઘાડ નીકળે એટલે પહેલું કામ આ કરજો







0 comments