વરસાદ પડ્યો એટલે શું થયું ? તમારા પડામાં પાણી ભરાયું , તમારી જમીનમાં પાણી ભરાય છે. એનો મતલબ કે તમારી જમીનનો નીતાર સારો નથી, આવી જમીનમાં મરચીની ખેતી કરાય નહિ. આવતા વર્ષે ધ્યાન રાખજો , જમીન સુધારણા કરો
તમને ખબર છે કે વધુ વરસાદ માં અમુક જમીન મગફળી પીળી પડે છે , કેમ ખબર છે તમને ? એવી જમીન માં મગફળી માં લોહતત્વની ખામી ઉભી થાય છે એટલે આપણે હીરાકશી ને લીંબુ ના ફૂલ છાંટીએ , એવું જ મરચીમાં પણ આયનની ખામી હોય તો થઇ શકે.
આવી જમીનમાં રેઈઝબેડ એટલે કે પાળા બનાવીને મરચીની ખેતી કરવી જોઈએ. પાળાને લીધે આવા વખતે પાણીનો નીતાર સારો મળે. એટલે મૂળને શ્વાસ લેવાની તકલીફ નહિ પડે.પીળી પડે નહિ ,
આપણી જમીનમાં સેન્દ્રીય તત્વોની ખામીને લીધે જમીન ખરાબ થતી જાય છે ત્યારે જમીન સુધારણા અને આપણા પાકના મૂળને મદદ કરે તેવું એક તત્વ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે અને એ છે હ્યુમિક એસિડ
હ્યુમિક એસિડ એ પરમાણુઓનો એક જૂથ છે જે છોડ ના મૂળ નો વિકાસ કરી છોડના પોષક તત્વો તથા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માં વધારો કરી છોડ ને રોગપ્રતિકાર બનાવવામાં તથા બાહ્ય વાતાવરણ થી રક્ષણ મળે છે. તથા છોડ ને ઉતેજીત કરી ઝડપ થી વિકાસ કરવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે
થયું એવું કે વરસો પહેલા વધની દવાના બાટલા વેંચતા તેવું આજે બધાં પાસે પોતાની એક બ્રાન્ડની હ્યુમિક છે , ચાઈના થી હ્યુમિક ખુબ આવે છે એટલે સમજીને સારી વિશ્વાસપાત્ર બ્રાન્ડ પસંદ કરવી એટલું ધ્યાન રાખવું
હ્યુમિક સારી વસ્તુ છે તે સાચું પણ ખરીદી સમજીને વાપરો અને જમીનો કાર્બન વધારવા મદદ કરો
આપણા વિસ્તારમાં યુપીએલ કંપનીની પ્રજ્વલા વખણાય છે. આ જાતના પરિણામો સુકા મરચા કરવા માટે ખુબ સારા છે. ઉભા ખેતરમાં પણ આ મરચાની જાત ખુબ સારી છે.
જે તમે ફોટા માં જોઈ શકો છો.
તમારી નજીક્માં કોઈએ આ જાત કરી હોઈ તો ખાસ જોવા જજો
વધુ માહિતીમાટે 9825229866
પાણી વગર ખેતી શક્ય નથી એ તો જાણે આપણને ખબર છે , પણ પાણી કેટલું ? ક્યારે ? કેવીરીતે ? એની આપણને જરાય ખબર નથી અને એ બધું ઇઝરાયેલના ખેડૂતને ખબર છે માપી માપીને આપે કારણ કે તે બધા જાણે છે કે
પાણી કિંમતી છે અને સાથે વધુ પાણી પાકને આપવાથી શું નુકશાન થાય ? અને આપણે રાત્રે પાવર હોય તો પછી સવાર પડે ત્યારે પાકના મૂળ પાણી માં ડૂબાડૂબા બડબડીયા બોલાવતા હોય , આપણેને પાકને વધુ પાણી આપવાથી થતું ભારે નુકશાનની ખબર જ નથી , બોલો ,
ડ્રિપની કોઈને વાત કરો તો સફળતાના લાખ અનુભવ સાંભળ્યા હોય તો પણ બહાના કાઢે ઉંદરડા નું ? કે ખિસ્કોલા નું ? કે અમારી જમીન માં રેડ પાવું પડે એવું બહાનું કાઢી ને વધુ ઉત્પાદનનો રસ્તો અપનાવે નહિ ,
મરચી ના પાક માં ભેજ જોઈએ છે , પિયત નહિ એટલામાં સમજજો , રોગ સામે લડવા કરતા પાણી નું નિયમન સારું છે, જે આજે આપણને સમજાય જાય તો સારું છે પાણી વગર આજે આપણે આકાશ સામે જોઈ રહ્યા છીએ , આ પરિસ્થિતિ કદાચ આપણ ને સમજાવવા આવી હોય , જેટલા સામુહિક રીતે વહેલા સમજીશું એટલું ફાયદામાં
જરુરી પાણી એટલે છોડની આવશ્યકતા , તમારી જમીનની ઉપલી સપાટીનો ભેજના આધારે પાણી આપો તો છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તો વધુ ખોરાક મરચીના પાંદડા બનાવશે તો ઉપજ વધશે , પાણી નું સંચાલન વાડીના માલિક તરીકે તમારા હસ્તક રાખો , ભાગીયાને નહિ , પાણી આપવાનો સમય ઘડિયાળ ના કાંટે નક્કી કરો , આવું કરશો તો તમને ત્રણ લાભ થશે પાણી બચશે , રોગ જીવાત ઓછા આવશે , ખાતર તમે આપ્યું છે તે મૂળ પ્રદેશમાંથી નીચે નહિ જાય ને છોડ લઇ લેશે તો ઉત્પાદન વધશે , બાકી આટલું વાંચ્યા પછી તમે આવતા વર્ષે મરચીની ખેતીમાં પાળા ના કરો , મ્લચીંગ ના કરો ને ડ્રિપ ના વસાવો તો પછી રોગ જીવાત અને ઉત્પાદનની ફરિયાદ કરતા નહિ ....
કોઈ વાત સારી લાગે તો આપણે ગમ્યું એમ બીજાને કહીયે તો તે વાત કુટુંબમાં પણ સારી છે
શું તમને આ મરચી અને લીંબુની વૈજ્ઞાનિક માહિતી તમને ગમે છે ? તો ક્યારેક 9825229966 ઉપર પ્રતિભાવ આપશો તો ગમશે ,
-