થ્રીપ્સ મરચી માટે ખૂબ જ મોટું નુકસાન કરતી જીવાત છે. પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. અને વાઇરસ જેવા રોગો પણ ફેલાવે છે.
થ્રીપ્સ પોતાના ઇંડા પાન ઉપર સ્લીટ-ખાચો કરીને પાનમાં મૂકે છે તે બે દિવસમાં બચ્ચા બહાર આવે છે.
આ ઈંડા મુક્યાના બે દિવસમાં ઈંડા નાશક અથવા તો ટ્રાન્સલેમીનીયર પ્રકારની દવા છંટાય. પરંતુ જો બચ્ચા બહાર આવી ગયા હોય તો કોન્ટેક દવા છાંટવી પડે.
તમે કહો છો બીજા કામમાં તમને મરચીની ખેતીમાં સમય મળતો નથી તેનો મતલબ કે તમે રોજ વાડીયે જતા નથી તમારા માટે મરચીનો પાક નથી.
આવું કરશો તો કંઈ હાથમાં આવશે નહીં પછી કા તો દવા, કા તો બીજ કે પછી હવામાનનો દોષ કાઢશો. જરૂર છે અત્યારે જાગી જવાની.
નિયમ આધારિત ખેતી કરો


Photo courtesy : google Image
0 comments