આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા
Anthracnose of chilli in Thailand |opallpyp - YouTube


મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ એટલે રોગ ,
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી

એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા.

હવે 12 થી 14 કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ


ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો

છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..


Book your Advt Here
400 x 90



આપણું ટેલિગ્રામ ચેનલ માં મરચી ઉગાડતા 1000 થી વધુ ખેડૂતો જોડાયા છે દરેક પાસે એવરેજ ખાલી એક એકરની મરચી છે તેમ ગણો તો પણ આપણા ગ્રુપમાં અત્યારે 1000 એકર એટલે કે

2500 વીઘા થી વધુ મરચી ઉગાડતા ખડૂતો જોડાયેલા છે 1- ડિસેમ્બર 20

આ વર્ષે મરચીની ઘણી ઘણી જાતોના વાવેતર થયા છે ,

કોણ આગળ રહ્યું ?

2500 + વિઘા મરચી ના ખેડૂતો જોડાયા હજુ જોડાઈ રહ્યા છે
કઈ જાત
આ વર્ષે સારી થાય છે તે હવે ખબર પડશે ,

આપણે સર્વે કરી રહ્યા છીએ કે 2500 વિઘાની મરચીના પરિણામો આપણી પાસે છે

ત્યારે આવતા વર્ષમાટે આપણી પાસે કઈ જાત સારી તે નક્કી કરીશું

પ્રથમ
બીજા અને
ત્રીજા
નંબરે કોણ આવે છે તે આપણે હવે પછી જાહેર કરીશું




કૃષિ વિજ્ઞાન માસિક નો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના અંકમાં સફળ ખેડૂતોની વાર્તા આપીશું તે તમે વાંચજો અને આવતા વર્ષની ખેતી વિષે આયોજન કરજો





આજનો પ્રશ્ન :
મરચીના પાકમાં રોગ આવે કેમ ? ઓળખવો કેમ ?



સૌથી પહેલા તો રોગ આવે કેવી રીતે ?





રોગ ત્રિકોણની આ પહેલા પુરી સમજણ આપી હતી તે યાદ કરો


આપણા ખેતરમાં રોગકારક ની હાજરી
રોગને અનુકુળ વાતાવરણ
અને રોગ ફેલાવનાર હોસ્ર્ટ કે છોડ ની હાજરી
આ ત્રણ ની સાથે હાજરી હોઈ તો રોગથાય


રોગ ને ઓળખાવો કેવી રીતે ?






પાન ના ટપકા : હોઈ તો પાન ઉપર ડાઘ પડે
પાનની ખામી : હોઈ તો પાન ઉપર પાણી પોચા બદલાવ આવે
ગાંઠો : હોઈ તો મૂળ માં સડો કે ગાંઠ
સુકારો : હોઈ તો છોડ ઉભો સુકાય - વિલ્ટ
એન્થ્રેકનોઝ : હોઈ તો મરચા કે ફળ ઉપર ડાઘ પડે
ભૂકી છારો : હોઈ તો પાન પર સફેદ ફૂગ લાગે
સિનોફોરા : ડાળી સુકાવી : હોઈ તો અમુક ડાળીઓ આખી સૂકાતી હોઈ




-- --





સીવીએમવી વાયરસ મરચી માટે પણ એફીડ મોલો જવાબદાર છે ટૂંકમાં વાયરસ ફેલાવનાર ચુસીયાનું નિયત્રણ કરો તો શક્ય છે અન્યથા તેનો બીજો કોઈ ઉકેલ નથી. મરચીમાં આ વાયરસથી પાંદડા કુક્ડાઈ જાય છે. પાનમાં ઘાટાલીલા ડાઘા પડે છે. થડ ઉપર પણ ઘાટા લીલા ડાઘ પડે છે. પાંદડા અનિયંત્રિત કઢંગા અને કુક્ડાઈ ગયેલા થઇ જાય છે. ફળો બનતા અટકી જાય છે. છોડ સાવ નિષ્ક્રીય અને વિકાસ અટકી જાય છે. પાન ઉપર તરફ વળે છે.

મરચીમાં ફરતે અને વચ્ચે વચ્ચે મકાઈ/જુવારના ચાસ કરો તેના ઉપર નિયમિત દવા છાંટો. રોગીષ્ટ છોડને દુર કરી બાલી નાખો, મરચીમાં એફીડ એટલે કે મોલોનું નિયંત્રણ કરતા રહો.
ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ ૬ ગ્રામ/ પંપ અથવા
પ્રોફેનોફોસ ૨૫ મિલી/પંપ અથવા
લાન્સરગોલ્ડ અથવા મોવેન્ટો વારાફરતી છાંટી નિયંત્રણ કરતા રહો.



400 X 90


જે ખેડૂતો અન્ય પ્રાંત માંથી કે માન્ય નર્સરી સિવાય રોપ લાગીને વાવે છે તે ખેડૂતોએ વાવેતર કરતા પહેલા રોપ સાથે નીમેટોડ આવી જતા નથી ને ? તેની ખાત્રી કરી લેવી જોઈએ અને નર્સરી માંથી લાવેલા રોપની વાવણી કરતા પહેલા તેના મૂળને જંતુનાશકના દ્રાવણમાં બોળીને વાવેતર કરવું જોઈએ.

આપના કહેવા પ્રમાણેના લક્ષણો દર્શાવે છે કે મૂળમાં થયેલ ગાંઠોના લક્ષણો લીધે તમારા ખેતરમાં નીમેટોડનો ઉપદ્રવ છે જે મરચી અને હવે પછીના તમારા પાકમાં નુકશાન કરશે.

નીમેટોડ એક કૃમિનો પ્રકાર છે અને તે મોલોઈડોગાઈન પ્રજાતિના હોય છે. તેનો ઉપદ્રવ શરુ થાય પછી નિયંત્રણ કરવું ખુબ કઠણ થઇ જાય છે.

આ કૃમિ મૂળ પ્રદેશમાં ગાંઠ બનાવીને મૂળ દ્વારા લીધેલો ખોરાક પર જીવે છે અને છોડ ને પોષણ મળવા દેતો નથી

આજે આપણા વિસ્તારમાં નેમેટોડ સૂત્ર કૃમિ જમીનમાં હતી નહિ પરુંતુ પરપ્રાંત અને અમાન્ય નર્સરીમાંથી લાવેલા બાગાયત અને શાકભાજીના રોપ સાથે સામેથી નિમેટોડનું દાનમાં લઈને પોતાની જમીનમાં કૃમિનો ઉપદ્રવ કરી પોતાના પગ પર કુહાડો માર્યો છે.

આમાંથી શું શીખવાનું છે ? રોપ સારી માન્ય નર્સરીમાંથી લેવો અથવા જાતે તૈયાર કરવો

કૃમિની દવા માટે અગાઉ માહિતી આપી છે તે ફરી જોઈ જાવ





જુઓ મિત્ર,

મરચી ની ખેતી કરતા હોઈએ અને સુક્ષ્મતત્વો અને ખાતર પૂરતું આપવું જોઈએ તે આપની સમજણ માટે ધન્યવાદ,
આપણે મરચીમાં જેટલું પોષણ આપીએ એવો પાક ઉતરે. તમે આજે ૧૦૦ ભરી લીલા મરચાં લઈને માર્કેટયાર્ડ ગયા તમે શું લઈને ગયા? તમારી જમીનમાંથી શું ઓછું થયું ?

તમે શું મરચા વેચ્યા કે બીજું કાંઈ ?

કોઈ દિવસ વિચાર કર્યો છે? ૧૦૦ કિલો મરચા લીલા અથવા સૂકા પેદા કરવા. મરચાંના છોડ ને કેટલું નાઈટ્રોજન, કેટલુ પોટાસ કે કેટલું ફોસ્ફરસ અને કેટલુ મેગ્નેશિયમ ? આ તો સીધી વાત છે જેટલી તોડાઈ કરો એટલું તમારી જમીનમાં ઓછું થાય તો ઓછું થાય તે પૂરતી તો કરવી પડે ને?

પોષણ કાંઈ હવામાંથી છોડ લેશે ? મિત્રો યાદ રાખો તમે ૧૦૦ ભારી મરચા નથી વેચતા, તમારી જમીનમાંથી ખેંચાયેલો પોષણ અને સુક્ષ્મતત્વોનો જથ્થો વેચી રહ્યા છો,

400 x 90




અલ્ટરનેરીયા લીફ સ્પોટ, પાન અને ફળના ટપકાના રોગ માટે

નેટીવો ૮ ગ્રામ/પંપ અથવા
એન્ટ્રાકોલ ૪૫ ગ્રામ/પંપ
ટ્રાયકલોક્ષાસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ અથવા
કસ્ટોડીયા ૨૫ મિલી/ પંપ અથવા
એઝોસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ કેબ્રીઓટોપ અથવા
મેટીરામ+ પાયરોકલોસ્ટ્રોબીન નો ઘાટો છંટકાવ કરવો.







-- --






બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...




400 x 90


સીએમવી વાયરસ એફીડ એટલે કે મોલો દ્વારા એક છોડ માંથી બીજા છોડમાં ફેલાય છે. મરચીના પાકમાં મોલોનું અસરકારક નિયંત્રણ કરવું.

મરચીના પાન અંદરની તરફ વળે છે, પાનની સાઈઝ નાની રહી જાય છે, મરચા નાના અને કઢંગા થઈ જાય છે. ફળ અડધા પડધા પાકી જાય છે. છોડ સાવ વિકાસ ઓછો કરે છે ને ઉપરના પાન અવિકસિત અને અંદર તરફ કુક્ડાઈ જાય છે.

મરચીની ફરતે અને વચ્ચે વચ્ચે મકાઈ કે જુવારનો ટ્રેપ ક્રોપ વાવવો, રોગ લાગેલ છોડ ઉપાડી બાળી નાખવો,


મોલોના અસરકારક નિયંત્રણ માટે

ઈમીડાક્લોપ્રીડ + એસીફેટનું મિશ્રણ અથવા પ્રોફેનોફોસ ૨૫ મિલી/પંપનો વારાફરતી છંટકાવ કરવો.



400 X 90



ઘણી વખત ફ્યુઝેરીયમ નામની ફુગ લાગી હોય તો શરૂઆતમાં નીચેના પાંદડા પીળા પડે, પછી ધીરે ધીરે છોડ મરવા માંડે ૨૦-૨૫ દિવસમાં છોડ મરી જાય છે. છોડ પીળો થાય, પાનખરે તે લક્ષણો ફ્યુઝેરીયમ વિલ્ટ ના છે તેના માટે આ ફૂગ ધીમે ધીમે વધે છે અને ખૂબ આર્થિક નુકસાન આપે છે, મૂળ ચીરતા તેમાં ડાઘ દેખાય.

નિયંત્રણ માટે જમીનનું તાપમાન પર ધ્યાન આપવું. જમીન નુ તાપમાન ૩૨૦ સેલ્સિયસ હોય અને વધુ પડતું પાણી અપાતું હોય ત્યારે આ રોગ આવવાની શક્યતા વધી જાય છે.

ઉપાય : ફોલિક્યુર - ટેબુકોનાઝોલ ૩૦મિલી/પંપ નું થડે થડે ડ્રેંચિંગ કરવું અથવા
બાવિસ્ટિંન + એલિએટ ૩૦ ગ્રામ/પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી/પંપ અથવા
ટોપસીન (થાયોફેનેટ મિથાઈલ) ૩૦ગ્રામ/પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ઘાટું ડ્રેન્ચિંગ કરવું.

આ બધી દવાઓ રોગની શરૂઆતની અવસ્થા વખતે વાપરો તો ફાયદો થાય. નહીતર મરી ગયેલો છોડ જીવતો થાય નહીં.








Thai Pepper Plant - Aphid Infestation! - YouTube


ઠંડીની સીઝનમાં આવતી મોલો-એફિડ નામની પોચા શરીર વાળી જીવાતનો વધુ ઉપદ્રવ થાય તો પાંદડા કુકડાઈ જશે, નવા કુમળા પાંદડામાં જોવા મળતી આ જીવાત પોતાના શરીરમાંથી મીઠો રસ હગાર તરીકે કાઢે છે, જેના લીધે તેમાં પાછી ફૂગ લાગે છે અને છોડ કાળો પડી જશે. મોલોની દવા જેવી કે એકતારા અથવા ડેન્ટોપસુ અથવા એડમાયર અથવા પ્રોફેનોફોસનો પ્રયોગ કરો
















મૂળમાં થતી આવી ગાંઠોના લક્ષણો નેમેટોડના લક્ષણો છે.

મૂળમાં ગાંઠો ગાંઠો થઇ જાય છે ,

આ આપણી જમીનમાં બીજે થી આવી જાય છે
દા .ત . નજરે ના દેખાય તેવી કૃમિ ઘણી વાર નર્સરી માંથી રોપા દ્વારા આપણી જમીનમાં આવી જાય છે,

તમારી જમીનમાં રૂટનોટ નેમેટોડ આવી ગઈ હોય તો તમારે જમીનજન્ય આ નરી આંખે દેખાય નહિ તેવી કૃમિ - નેમેટોડને મારવા દવાનો ઉપયોગ કરવો પડશે ,
હવે તમારી ખેતી માં ખર્ચ વધશે
નિયમિત લીંબોળી નો ખોળ વાપરવો પડશે ,
એરંડા ખોળ આપવો પડશે ,
જમીન નું ફ્યુમીગેશન કરવું પડશે ,
ગલગોટા ઉગાડીને જમીન માં દબાવવા પડશે

તેમ છતાં તેનો સંપૂર્ણ નાબૂદ કરવું ખુબ મુશ્કેલ છે તેથી આપણે આપણી ખેતી પદ્ધતિ માં બહાર થી આવતું કોઈ પણ મટેરીઅલ ખેતર માં પ્રવેશબંધી અથવા કાળજી લેવી પડશે

બીજાના ખેતર માંથી પાણી આવવું , ખેતર માં વાહનો નો પ્રવેશ , ખેતર માં બીજા કોઈ વ્યક્તિ ના ચપ્પલ સાથે આવતા નિંદામણ કે બીજા રોગ માટે , તમને ખબર હશે કે ગ્રીન હાઉસ માં પ્રવેશ કરો ત્યારે તમારે ફોર્માલ્ડિહાઇડ ના દ્રાવણ માં પગ બોલોને પ્રવેશ કરવાનો હોઈ છે





સ્પોડોપ્ટેરા વર્ગની કાબરી અને લશ્કરી ઈયળ મરચીમાં નુકસાન કરી શકે છે મરચીમાં ઈયળ લાગે તો મરચા વાંકા થઇ જાય છે

ઈયળ ના નિયંત્રણ માટે

એમામેકટીન 9 મિલી /પંપ અથવા
ફેમ (ફ્લુબેન્ડીયા માઈન) ૬ મીલી/પંપ અથવા
કોરાજન (ફ્લોરાન્ટૃાનીલીપ્રોલ) ૬ મીલી/પંપ અથવા
બેનીવીયા (સાયજીપાયર) ૨૫ મીલી/પંપ અથવા
અલાન્ટો (થાયોક્લોપ્રિડ) નો વારાફરતી પ્રયોગ કરવો.


400 x 90
Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • વરસાદ પછી મરચી માં શું કરવું ? કઈ ચાર વાત ખાસ કરવી ?
  • આજનો પ્રશ્ન : મરચી માં વાવેતર પછી 15 દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?
  • મરચી મૂળ અને થડ પાસે ગળું પડે છે શું કારણ હશે ?
  • મરચીનો ડમ્પિંગ ઓફ - રોપનો સુકારો ઉગસુક
  • જીવાત કરતા રોગ કઈ રીતે વધુ નુકસાનકારક ?
  • હવે સફેદમાખી આવશે વાઇરસ ફેલાવશે તો સફેદ માખી ના નિયંત્રણ વિષે જણાવવા વિનંતી
  • મરચીના પાક માં થતી કેમિકલ ઇન્જરી એટલે શું ? સાચી દવા પસંદ કરતા શીખો
  • * મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?
  • આપણને ખબર કેમ પડે કે મરચીમાં રોગ-જીવાત આવવાના છે? જાગતા રહેજો
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates