બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...
સીએમવી વાયરસ એફીડ એટલે કે મોલો દ્વારા એક છોડ માંથી બીજા છોડમાં ફેલાય છે. મરચીના પાકમાં મોલોનું અસરકારક નિયંત્રણ કરવું.
મરચીના પાન અંદરની તરફ વળે છે, પાનની સાઈઝ નાની રહી જાય છે, મરચા નાના અને કઢંગા થઈ જાય છે. ફળ અડધા પડધા પાકી જાય છે. છોડ સાવ વિકાસ ઓછો કરે છે ને ઉપરના પાન અવિકસિત અને અંદર તરફ કુક્ડાઈ જાય છે.
મરચીની ફરતે અને વચ્ચે વચ્ચે મકાઈ કે જુવારનો ટ્રેપ ક્રોપ વાવવો, રોગ લાગેલ છોડ ઉપાડી બાળી નાખવો,
મોલોના અસરકારક નિયંત્રણ માટે
ઈમીડાક્લોપ્રીડ + એસીફેટનું મિશ્રણ અથવા પ્રોફેનોફોસ ૨૫ મિલી/પંપનો વારાફરતી છંટકાવ કરવો.
ઘણી વખત ફ્યુઝેરીયમ નામની ફુગ લાગી હોય તો શરૂઆતમાં નીચેના પાંદડા પીળા પડે, પછી ધીરે ધીરે છોડ મરવા માંડે ૨૦-૨૫ દિવસમાં છોડ મરી જાય છે. છોડ પીળો થાય, પાનખરે તે લક્ષણો ફ્યુઝેરીયમ વિલ્ટ ના છે તેના માટે આ ફૂગ ધીમે ધીમે વધે છે અને ખૂબ આર્થિક નુકસાન આપે છે, મૂળ ચીરતા તેમાં ડાઘ દેખાય.
નિયંત્રણ માટે જમીનનું તાપમાન પર ધ્યાન આપવું. જમીન નુ તાપમાન ૩૨૦ સેલ્સિયસ હોય અને વધુ પડતું પાણી અપાતું હોય ત્યારે આ રોગ આવવાની શક્યતા વધી જાય છે.
ઉપાય : ફોલિક્યુર - ટેબુકોનાઝોલ ૩૦મિલી/પંપ નું થડે થડે ડ્રેંચિંગ કરવું અથવા
બાવિસ્ટિંન + એલિએટ ૩૦ ગ્રામ/પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી/પંપ અથવા
ટોપસીન (થાયોફેનેટ મિથાઈલ) ૩૦ગ્રામ/પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ઘાટું ડ્રેન્ચિંગ કરવું.
આ બધી દવાઓ રોગની શરૂઆતની અવસ્થા વખતે વાપરો તો ફાયદો થાય. નહીતર મરી ગયેલો છોડ જીવતો થાય નહીં.
ઠંડીની સીઝનમાં આવતી મોલો-એફિડ નામની પોચા શરીર વાળી જીવાતનો વધુ ઉપદ્રવ થાય તો પાંદડા કુકડાઈ જશે, નવા કુમળા પાંદડામાં જોવા મળતી આ જીવાત પોતાના શરીરમાંથી મીઠો રસ હગાર તરીકે કાઢે છે, જેના લીધે તેમાં પાછી ફૂગ લાગે છે અને છોડ કાળો પડી જશે. મોલોની દવા જેવી કે એકતારા અથવા ડેન્ટોપસુ અથવા એડમાયર અથવા પ્રોફેનોફોસનો પ્રયોગ કરો
બંને રોગ છે અને બંને વાતાવરણમાંના બેક્ટેરિયાને લીધે થાય છે , બંને ને ઉગતા ડામો તો ફાયદો થાય ,
બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે સુકારો તેમાં છોડ લીલે- લીલો છોડ સુકાઈ જાય છે આવું એસિડિક પીએચ વાળી જમીનમાં વધુ થાય છે , આપણા રાજકોટ જિલ્લા માં આવી જમીન મોટાભાગે નથી , પછી ખબર નહિ ટાશ કે નકામો કાંપ ઉમેરીને કોઈએ બગાડી હોઈ તો ......
બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનનાં ટપકાનો રોગમાં પણ પર ટપક પડે છે જેમાં મરચી ના પાન ખરી પડે છે એટલે મોટુનુકશાન થાય છે
ખેતીના રસ ધરાવતા તમારા જેવા ખેડૂતો ઓછા હોય છે. આ પ્રશ્ન મરચી વાવો તે પહેલા કરવો જોઈએ
તમારી વાત સાચી છે મરચીમાં સુકારાનો રોગ જ રીતે લાગી શકે ફાયટોપ્થોરા સુકારો, ફ્યુઝેરીયમ વિલ્ટ, વર્સીટીસીલીયમ વિલ્ટ, બેક્ટેરિયલ વિલ્ટ ( આ ઉપરાંત ઘણી વખત નેમેટોડના લીધે છોડ સુકાય જાય છે.)
આ સુક્વાની મુશ્કેલી એ છે કે આ ચારેય સુકારામાં નિષ્ણાંત પણ ભૂલ ખાય જાય તેવા એક સરખા લક્ષણો જોવા મળે
આ સુક્વાની મુશ્કેલી એ છે કે આ ચારેય સુકારામાં નિષ્ણાંત પણ ભૂલ ખાય જાય તેવા એક સરખા લક્ષણો જોવા મળે
જેમ કે બધામાં છોડ મરચીના છોડના થડ બ્રાઉન (ભૂખરા કલર)નું થાય છે.
બેક્ટેરિયાથી થતા સુકારામાં બેક્ટેરિયાનો સ્ત્રાવ દેખાય છે.
સુકારો ન આવે માટે પહેલેથી જ ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફૂગ્નાશકો સેન્દ્રિય ખાતરો સાથે આપવા જોઈએ. રોગ લાગે ત્યારે નહિ, અત્યારે પણ મોનિટર નું ડ્રેનચિંગ કરી દ્યો ,
દર 10 દિવસે પી એસ એ પી ખાતર 150 ગ્રામ પ્રતિ પમ્પ આપવાનું શરુ રાખો ,
આમતો વાવણી પહેલા જ ખેત પદ્ધતિમાં ફેરફાર કરી વહેલીથી આયોજન કરવું પડશે તો મરચીની ખેતી થશે.
મૂળમાં થતી આવી ગાંઠોના લક્ષણો નેમેટોડના લક્ષણો છે.
મૂળમાં ગાંઠો ગાંઠો થઇ જાય છે ,
આ આપણી જમીનમાં બીજે થી આવી જાય છે
દા .ત . નજરે ના દેખાય તેવી કૃમિ ઘણી વાર નર્સરી માંથી રોપા દ્વારા આપણી જમીનમાં આવી જાય છે,
તમારી જમીનમાં રૂટનોટ નેમેટોડ આવી ગઈ હોય તો તમારે જમીનજન્ય આ નરી આંખે દેખાય નહિ તેવી કૃમિ - નેમેટોડને મારવા દવાનો ઉપયોગ કરવો પડશે ,
હવે તમારી ખેતી માં ખર્ચ વધશે
નિયમિત લીંબોળી નો ખોળ વાપરવો પડશે ,
એરંડા ખોળ આપવો પડશે ,
જમીન નું ફ્યુમીગેશન કરવું પડશે ,
ગલગોટા ઉગાડીને જમીન માં દબાવવા પડશે
તેમ છતાં તેનો સંપૂર્ણ નાબૂદ કરવું ખુબ મુશ્કેલ છે તેથી આપણે આપણી ખેતી પદ્ધતિ માં બહાર થી આવતું કોઈ પણ મટેરીઅલ ખેતર માં પ્રવેશબંધી અથવા કાળજી લેવી પડશે
બીજાના ખેતર માંથી પાણી આવવું , ખેતર માં વાહનો નો પ્રવેશ , ખેતર માં બીજા કોઈ વ્યક્તિ ના ચપ્પલ સાથે આવતા નિંદામણ કે બીજા રોગ માટે , તમને ખબર હશે કે ગ્રીન હાઉસ માં પ્રવેશ કરો ત્યારે તમારે ફોર્માલ્ડિહાઇડ ના દ્રાવણ માં પગ બોલોને પ્રવેશ કરવાનો હોઈ છે
મરચીનો પાક સોલેનેસિ ગ્રુપ માં આવતા પાકો જેવાકે રીંગણ , ટામેટા વગેરે ની જેમ ખાતર ની આવશ્યકતા ઘણી વધારે હોય છે , આ બધા લાંબા ગાળા ના પાક હોવાથી આ પાકો માં પોષણ વધુ માંગી લે છે ,
રીંગણ ના મૂળ નો વિકાસ ઊંડા મુળ વાળા પાકો માં ગણાય છે , જો હાડપાન કઠણ ના હોઈ તો રીંગણ ના મૂળ 120 થી 150 સેમી ઊંડા જઈ શકે છે , ટામેટા અને મરચી મીડીયમ મૂળ પ્રદેશ ફેલાવે છે પણ તેના છોડ ને પોષણ સારા એવા પ્રમાણ માં જોઈએ છે ,
મરચી નો વિચાર કરીયે તો છોડની ફેર રોપણી પછી ના 30 દિવસ છોડ સ્થિર થવા માં હોય છે પરંતુ પછી ના એટલે કે ફેરરોપણી પછી ના 45 થી 105 દિવસ તેને સમયે સમયે ખાતર ની જરૂરિયાત વધુ રહે છે ,
આપણે વધુ જથ્થો મેળવવા માટે ફૂલ થી શરૂ કરી મરચા પાકે ત્યાંસુધી કેટલું ખાતર ? ક્યારે ?અને કેટલું ?આપવું તે તમે કઈ પિયત પધ્ધ્તિ થી ખેતી કરો છો તેના આધારે કેટલું અને ક્યારે આપવું તે નકી કરી શકાય , ડ્રિપ દ્વારા ખાતર આપવું અત્યંત સહેલું પડે છે અને સાથે સાથે રોગ જીવાત પણ ઓછા આવે છે તે નફા માં , મરચી ની ખેતી માં જમીન પૃથ્થકરણ ખુબ અગત્યનું છે તે કરાવજો અને સેન્દ્રીય ખાતર નો વપરાશ વધુ કરવાનો છે
તમારી અનુકૂળતા મુજબનું બીજ તમોએ પસંદ કર્યું છે હવે ત્યારે તમારું લક્ષ કેટલા ઉત્પાદન નું છે તે પણ તમારી ડાયરી માં લખી રાખો , ટૂંક માં બીજ નો ખર્ચ મરચા ની કુલ ખેતી ખર્ચ નો ફક્ત દશ ટકા છે તે યાદ રાખી સારું પસંદ કરેલું હોઈ તે અગત્ય નું છે ઘણા દેખાદેખી માં બીજ ની પસંદગી કરતા હોઈ છે , બીજ પસંદગી એ પાયા ની વસ્તુ છે પણ ઉત્પાદન લેવા સાચું અને સમયસર નું ખાતર આપવું પડશે વધુ વિગત માટે વોટ્સએપ કરો 9825229966
-
ઈયળ ના નિયંત્રણ માટે
એમામેકટીન 9 મિલી /પંપ અથવા
ફેમ (ફ્લુબેન્ડીયા માઈન) ૬ મીલી/પંપ અથવા
કોરાજન (ફ્લોરાન્ટૃાનીલીપ્રોલ) ૬ મીલી/પંપ અથવા
બેનીવીયા (સાયજીપાયર) ૨૫ મીલી/પંપ અથવા
અલાન્ટો (થાયોક્લોપ્રિડ) નો વારાફરતી પ્રયોગ કરવો.
વાંકાનેરના સિંધાવદર ના એક ખેડૂત નો પ્રશ્ન છે તેના મરચાની નીચેની ટીપ ઉપર એવો ડાઘ પડે છે
તેમનો જવાબ : જુઓ આપની વાત અને પ્રશ્ન પરથી લાગે છે તે પ્રમાણે જ્યાંથી મરચું લાગેલું છે એ ટોપી થોડી પીળી પડી હોય અને મરચીના નીચેના ભાગે થોડું મરચું પાણી પોચું થઈ સડો લાગેલો હોય તો (જુઓ ચિત્ર) આ બ્લોસમ રોટ કે જે કેલ્શિયમની ખામી ના લીધે થાય છે અને પછી તેમાં ફૂગ પણ લાગે છે કેલ્શિયમનો છંટકાવ કરવો
કેલ્શિયમ નો છંટકાવ કરવો
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.