મરચીમાં જીવાત લાગે, રોગ લાગે, આ સિવાય બીજું નુકસાન કઇ રીતે થાય ?



તમારા પ્રશ્ન માટે તમને અભિનંદન,

પાણી વધુ પાવાથી,

પા્ળા ઉપર મરચી ન કરવાથી,

વિવિધ રોગ જીવાત આવે તે આપણને ખબર છે,

તે જ રીતે હિમ પડવું,
વધુ પડતું હવાનું પ્રદૂષણ.,
જમીનને પાણીના પી એચ માં અસંતુલન ,

વધુ પડતી ગરમી એટલે સૂર્યપ્રકાશથી પણ દાઝ લાગવાથી મરચામાં ડાઘ પડે છે. તેને સન સ્કેલ્ડ કહે છે.
સૂક્ષ્મ તત્વની ખામીના લીધે ફળનું ફાટી જવું,

કરા પડે તેનું નુકસાન વળી અલગ હોય છે,

કેલ્શિયમની ખામીથી બ્લોસમ રોટ આવી શકે છે ,

ઘણી વખત ચીલાચાલુ સસ્તાના  લોભે ક્લોરિન યુક્ત ઉપરથી છાંટવાના ખાતરોથી પાન પર ઘસરકા થાય છે તે નુકસાન દેખાતું નથી પણ ઉત્પાદન વધારવાને બદલે ઘટાડે છે.

વેપારી પાસેથી ક્વોલિટી ઇનપુટસ જંતુનાશક ખરીદતી વખતે  માંગતા આવડવું જોઈએ 
નહીં કે જે આપે તે છાંટવું.

0 comments