બાષ્પીભવનને લીધે ૨૪ કલાકમાં પાણી ઘટે તેને વાસ્પિકરણ દર કહેવાય જે મિલીમીટરમાં મપાય એક એકરમાં તળાવમાં ૧ મીમી પાણી નો વાસ્પિકરણ દર હોય તો તળાવમાંથી ૨૪ કલાકે અંદાજે ૪૦૦૦ લીટર પાણી ઉડી જાય બોલો, તો પછી આપણા ખેતર માંથી , જમીનમાંથી , છોડ માંથી કેટલું પાણી ઉડી જતું હશે ?
તમારો પ્રશ્ન ખુબ જ સારો છે અભિનંદન,
ખેતીના રસ ધરાવતા તમારા જેવા ખેડૂતો ઓછા હોય છે. આ પ્રશ્ન મરચી વાવો તે પહેલા કરવો જોઈએ
તમારી વાત સાચી છે મરચીમાં સુકારાનો રોગ જ રીતે લાગી શકે ફાયટોપ્થોરા સુકારો, ફ્યુઝેરીયમ વિલ્ટ, વર્સીટીસીલીયમ વિલ્ટ, બેક્ટેરિયલ વિલ્ટ ( આ ઉપરાંત ઘણી વખત નેમેટોડના લીધે છોડ સુકાય જાય છે.)
આ સુક્વાની મુશ્કેલી એ છે કે આ ચારેય સુકારામાં નિષ્ણાંત પણ ભૂલ ખાય જાય તેવા એક સરખા લક્ષણો જોવા મળે
જેમ કે બધામાં છોડ મરચીના છોડના થડ બ્રાઉન (ભૂખરા કલર)નું થાય છે.
બેક્ટેરિયાથી થતા સુકારામાં બેક્ટેરિયાનો સ્ત્રાવ દેખાય છે.
સુકારો ન આવે માટે પહેલેથી જ ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફૂગ્નાશકો સેન્દ્રિય ખાતરો સાથે આપવા જોઈએ. રોગ લાગે ત્યારે નહિ, અત્યારે પણ મોનિટર નું ડ્રેનચિંગ કરી દ્યો ,
દર 10 દિવસે પી એસ એ પી ખાતર 150 ગ્રામ પ્રતિ પમ્પ આપવાનું શરુ રાખો ,
આમતો વાવણી પહેલા જ ખેત પદ્ધતિમાં ફેરફાર કરી વહેલીથી આયોજન કરવું પડશે તો મરચીની ખેતી થશે.
મૂળમાં થતી આવી ગાંઠોના લક્ષણો નેમેટોડના લક્ષણો છે.
મૂળમાં ગાંઠો ગાંઠો થઇ જાય છે ,
આ આપણી જમીનમાં બીજે થી આવી જાય છે
દા .ત . નજરે ના દેખાય તેવી કૃમિ ઘણી વાર નર્સરી માંથી રોપા દ્વારા આપણી જમીનમાં આવી જાય છે,
તમારી જમીનમાં રૂટનોટ નેમેટોડ આવી ગઈ હોય તો તમારે જમીનજન્ય આ નરી આંખે દેખાય નહિ તેવી કૃમિ - નેમેટોડને મારવા દવાનો ઉપયોગ કરવો પડશે ,
હવે તમારી ખેતી માં ખર્ચ વધશે
નિયમિત લીંબોળી નો ખોળ વાપરવો પડશે ,
એરંડા ખોળ આપવો પડશે ,
જમીન નું ફ્યુમીગેશન કરવું પડશે ,
ગલગોટા ઉગાડીને જમીન માં દબાવવા પડશે
તેમ છતાં તેનો સંપૂર્ણ નાબૂદ કરવું ખુબ મુશ્કેલ છે તેથી આપણે આપણી ખેતી પદ્ધતિ માં બહાર થી આવતું કોઈ પણ મટેરીઅલ ખેતર માં પ્રવેશબંધી અથવા કાળજી લેવી પડશે
બીજાના ખેતર માંથી પાણી આવવું , ખેતર માં વાહનો નો પ્રવેશ , ખેતર માં બીજા કોઈ વ્યક્તિ ના ચપ્પલ સાથે આવતા નિંદામણ કે બીજા રોગ માટે , તમને ખબર હશે કે ગ્રીન હાઉસ માં પ્રવેશ કરો ત્યારે તમારે ફોર્માલ્ડિહાઇડ ના દ્રાવણ માં પગ બોલોને પ્રવેશ કરવાનો હોઈ છે
સ્પોડોપ્ટેરા વર્ગની કાબરી અને લશ્કરી ઈયળ મરચીમાં નુકસાન કરી શકે છે મરચીમાં ઈયળ લાગે તો મરચા વાંકા થઇ જાય છે
ઈયળ ના નિયંત્રણ માટે
એમામેકટીન 9 મિલી /પંપ અથવા
ફેમ (ફ્લુબેન્ડીયા માઈન) ૬ મીલી/પંપ અથવા
કોરાજન (ફ્લોરાન્ટૃાનીલીપ્રોલ) ૬ મીલી/પંપ અથવા
બેનીવીયા (સાયજીપાયર) ૨૫ મીલી/પંપ અથવા
અલાન્ટો (થાયોક્લોપ્રિડ) નો વારાફરતી પ્રયોગ કરવો.
મરચીની ખેતીમાં આવતી વિવિધ જીવાતોને કાબૂમાં લેવા માટે આપણું સૂત્ર એ હોવું જોઇએ કે દુશ્મનને નબળી કડી શોધીને મારવો,
દા. ત. જીવાત કે ઈયળની કમજોર-નબળી કડી કઈ ?
નબળી કડી એટલે જીવાત-ઈયળનું ઈંડું.
ઈંડા જ મારી નાખો તો ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી.
ઈંડા જ મરી જાય કે નાશ પામે તો બચ્ચા જન્મે જ નહીં અને ઈંડા માંથી આવેલા બચ્ચાંથી મરચીને નુકસાન થાય નહીં,
પણ
કઈ જીવાત ક્યાં ક્યારે અને કેવી રીતે ઈંડા મૂકે તેનો અભ્યાસ કરવો પડે.
આ માટે રોજ ખેતર નું આવલોકન , આપણા બ્લોગ નું વાંચન , હવામાન ના બદલાવ માટે થર્મોમીટર જોતા શીખવું વગેરે કરવું પડે .
જો આટલું કરી ને ઈંડા જ મારી નાખો તો.......